જીમ અને બ્યુટી પાર્લર 50 ટકા ક્ષમતા સાથે શરૂ કરવાની મંજૂરી, મહારાષ્ટ્ર સરકારે કોરોના માર્ગદર્શિકામાં કર્યો સુધારો

|

Jan 09, 2022 | 5:03 PM

એકલા મુંબઈમાં જ 20 હજારથી વધુ નવા કેસ સામે (Mumbai Corona Case) આવ્યા છે, જેના પછી સરકારે પ્રતિબંધને વધુ કડક બનાવ્યો છે. પ્રતિબંધોને કારણે મુંબઈમાં ગેટવે ઓફ ઈન્ડિયાના ફોટોગ્રાફરો વધુ ચિંતામાં છે.

જીમ અને બ્યુટી પાર્લર 50 ટકા ક્ષમતા સાથે શરૂ કરવાની મંજૂરી, મહારાષ્ટ્ર સરકારે કોરોના માર્ગદર્શિકામાં કર્યો સુધારો
મહારાષ્ટ્ર સરકારે નવી કોરોના ગાઇડલાઇનમાં સુધારો કર્યો છે.

Follow us on

વધી રહેલા કોરોના સંક્રમણ વચ્ચે મહારાષ્ટ્ર સરકારે શનિવારે નવી કોરોના ગાઈડલાઈન (Maharashtra Corona Guideline) જાહેર કરી હતી. હવે આ કોરોના માર્ગદર્શિકામાં સુધારો કરવામાં આવ્યો છે. તદનુસાર, બ્યુટી સલુનને હેર કટીંગ સલુન સાથે જૂથબદ્ધ કરવામાં આવશે. બ્યુટી સલૂન (Beauty Saloon) માત્ર 50 ટકા ક્ષમતા સાથે જ ચલાવી શકાશે. જ્યારે, જીમ પણ 50 ટકા ક્ષમતા સાથે ખોલી શકાશે. સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે આ સુવિધાઓ ફક્ત તે લોકોને જ ઉપલબ્ધ થશે જેમને કોરોના રસીના બંને ડોઝ લઈ લીધા છે.

કોરોનાના વધતા જતા કેસ (Corona Case) વચ્ચે મહારાષ્ટ્રમાં 10 જાન્યુઆરીથી નાઈટ કર્ફ્યુ લાગુ થવા જઈ રહ્યો છે. આ સમય દરમિયાન, એકસાથે પાંચથી વધુ લોકોને બહાર નિકળવા દેવામાં આવશે નહીં. આ ઉપરાંત સરકાર દ્વારા જાહેર કરાયેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે રાજ્યમાં જીમ, સ્વિમિંગ પુલ, સ્પા, બ્યુટી સલૂન, પ્રાણી સંગ્રહાલય અને મનોરંજન પાર્ક બંધ રહેશે. પરંતુ હવે સરકારે આ માર્ગદર્શિકામાં (Revise Corona Guideline) સુધારો કર્યો છે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ

નવી કોરોના માર્ગદર્શિકામાં સુધારો

જીમ, બ્યુટી સલૂન ખોલવાની મંજૂરી

સુધારેલા નિયમો અનુસાર, જેમને કોરોના રસીના બંને ડોઝ મળી ગયા છે તેઓ જિમ, બ્યુટી સલૂનની ​​સુવિધાઓ લઈ શકશે. આ સાથે સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે માત્ર બ્યુટી અને હેર કટિંગ સલૂન અને જીમ જ 50 ટકા ક્ષમતા સાથે સંચાલિત કરી શકાશે. પુરી રીતે વેક્સીનેટેડ લોકો આ સુવિધાનો ઉપયોગ કરી શકશે. મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણ જોર પકડી રહ્યું છે. શનિવારે સંક્રમણના 40 હજારથી વધુ નવા કેસ સામે આવતાં ખળભળાટ મચી ગયો હતો.

ગેટવે ઓફ ઈન્ડિયાના ફોટોગ્રાફરો ચિંતિત 

એકલા મુંબઈમાં 20 હજારથી વધુ કેસ નોંધાયા છે. જે બાદ સરકારે પ્રતિબંધને વધુ કડક બનાવ્યો છે. મુંબઈના ગેટવે ઑફ ઈન્ડિયા પર હાજર ફોટોગ્રાફરો કોરોના પ્રતિબંધોને કારણે ખૂબ જ ચિંતિત છે. ત્યાં કામ કરતા ફોટોગ્રાફરોનું કહેવું છે કે તેઓ કોઈપણ રીતે પોતાનો ખર્ચ ચલાવી રહ્યા છે. તેમને કંઈ પણ સમજમાં આવી રહ્યું નથી કે તેઓ શું કરે. પરિસ્થિતિથી પરેશાન ફોટોગ્રાફરે કહ્યું કે ક્યારેક ક્યારેક ભૂખે મરી જવું યોગ્ય લાગે છે.

આ પણ વાંચો :  Mumbai Corona: મુંબઈમાં 48 કલાકમાં 2 પોલીસ કર્મચારીના કોરોનાથી મોત, જોઈન્ટ કમિશનર સહિત 400 લોકો સંક્રમિત

Next Article