Ketan Agrawal Murder Case : ચેતન તો માત્ર મોહરો હતો… 12મી ફેલ સિયા એક સાથે અનેક યુવકોને કરતી હતી ડેટ, કેતન હત્યા કેસમાં મોટો ખુલાસો !

પુણેના કેતન અગ્રવાલ હત્યા કેસમાં મુખ્ય આરોપી સિયા ગોયલના પિતા પ્રવીણ ગોયલે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે જો તેમની પુત્રી કોર્ટમાં દોષિત સાબિત થાય છે તો તેને સૌથી કડક સજા મળવી જોઈએ. દરમિયાન, સિયા અંગે એક મોટો ખુલાસો થયો છે.

Ketan Agrawal Murder Case : ચેતન તો માત્ર મોહરો હતો... 12મી ફેલ સિયા એક સાથે અનેક યુવકોને કરતી હતી ડેટ, કેતન હત્યા કેસમાં મોટો ખુલાસો !
Ketan Agrawal Murder Case
| Updated on: Jun 26, 2026 | 2:20 PM

પુણેમાં કુખ્યાત કેતન અગ્રવાલ હત્યા કેસમાં પોલીસે મૃતકની થનારી પત્ની સિયા ગોયલ અને તેના કથિત પ્રેમી ચેતન ચૌધરીની ધરપકડ કરી છે. દરમિયાન, સિયા અંગે બીજો મોટો ખુલાસો થયો છે. સિયા 12મા ધોરણમાં નાપાસ થઈ હતી. તે દારૂ અને અન્ય ખરાબ ટેવોની વ્યસની હતી. જેનાથી તેના માતા-પિતા ગુસ્સે થતા હતા. વધુમાં સિયાના અનેક બોયફ્રેન્ડ પણ હતા.

એક સાથે અનેક છોકરાઓને ડેટ કરતી હતી સિયા

સિયા એક સાથે અનેક છોકરાઓને ડેટ કરતી હતી. આ જ કારણ છે કે તેના માતા-પિતાએ 20 વર્ષની ઉંમરે તેના લગ્ન કરવાનું નક્કી કર્યું. તે કોઈપણ કિંમતે સિયાને સેટલ કરવા માંગતા હતા. એટલા માટે જ તેના માતા-પિતાએ કેતન સાથે સિયાના લગ્ન ગોઠવી દીધા.

શિક્ષિત અને શ્રીમંત હતો કેતન

કેતન અગ્રવાલ ખૂબ શિક્ષિત અને શ્રીમંત હતો. તેથી સિયાના માતા-પિતાએ તેના લગ્ન કેતન સાથે ગોઠવી દીધા હતા. સિયાનો પરિવાર તેના પર કેતન સાથે લગ્ન કરવા માટે દબાણ કરી રહ્યો હતો. ચેતન અને સિયાએ પહેલાથી જ બધું પ્લાન કરી લીધું હતું. દરમિયાન કેતન અગ્રવાલનો પરિવાર સિયા પર ગંભીર આરોપો લગાવી રહ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ, સિયા અને તેના કથિત પ્રેમી ચેતન ચૌધરીએ અગાઉથી સમગ્ર કાવતરું ઘડી લીધું હતું. તપાસ દરમિયાન સિયાએ પોતે જ સમગ્ર ષડયંત્રની મુખ્ય સૂત્રધાર હોવાની કબૂલાત કરી હોવાનું પોલીસનું કહેવું છે.

દોષિત સાબિત થાય તો કડક સજા મળવી જોઈએ: સિયાના પિતા

એક ટીવી ઇન્ટરવ્યુમાં, પ્રવીણ ગોયલે કહ્યું કે પિતા હોવા છતાં, તે કોઈપણ રીતે ન્યાયમાં અવરોધ નહીં લાવે. તેમણે કહ્યું કે જો કોર્ટમાં આરોપો સાબિત થાય, તો તેમની પુત્રીને તે સજા મળવી જોઈએ જે તેને લાયક છે. ભાવુક થઈને તેમણે એમ પણ કહ્યું કે જો તે દોષિત ઠરે તો તેને તે જ કિલ્લામાંથી ફેંકી દેવી જોઈએ જ્યાં પોલીસના મતે, કેતન અગ્રવાલની હત્યા કરવામાં આવી હતી.

સિયાની માતા પૂજા ગોયલે શું કહ્યું?

સિયાની માતા પૂજા ગોયલે દાવો કર્યો કે પરિવારને સિયા અને કેતન વચ્ચે કોઈ મતભેદ કે તણાવ હોવાની જાણ નહોતી. તેમણે કહ્યું કે સિયા અને કેતન નિયમિત રીતે મળતા હતા અને વીડિયો કોલ પર વાત કરતા હતા. પરિવાર લગ્નની તૈયારીમાં વ્યસ્ત હતો અને લગ્ન પહેલાની ટ્રીપ માટે ખરીદી ચાલી રહી હતી.

પુણે પોલીસના જણાવ્યા અનુસાર, સિયા ગોયલ અને તેના કથિત પ્રેમી ચેતન ચૌધરીએ 18 જૂનના રોજ લોહાગઢ કિલ્લામાં કેતન અગ્રવાલની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. તપાસ એજન્સીઓનું કહેવું છે કે સગાઈ તૂટવાથી પરિવારની બદનામી થવાની આશંકાને કારણે બંનેએ કથિત રીતે હત્યાની યોજના બનાવી હતી. હાલ બંને આરોપીઓ ન્યાયિક કસ્ટડીમાં છે અને કેસની તપાસ ચાલુ છે.

આ પણ વાંચો, EPFO : 1 જુલાઈથી UPI અને ATM દ્વારા PFના પૈસા ઉપાડી શકાશે? EPFO જાહેર કરી મોટી અપડેટ, જાણો અહીં

Published On - 1:49 pm, Fri, 26 June 26

Follow Us