Maharashtra: નાસિકથી શિરડી હવે માત્ર દોઢ કલાકમાં પહોંચી શકાશે, સિન્નરનો ફોર લેન હાઈવે ટૂંક સમયમાં થશે શરૂ

|

Jan 01, 2022 | 4:21 PM

સિન્નરથી શિરડી 60 કિમીનો હાઇવે છે, તેનું કામ લગભગ પુરુ થવામાં છે. અગાઉ આ પ્રોજેક્ટ ઓક્ટોબર 2022માં પૂર્ણ થવાનો હતો. પરંતુ આ પ્રોજેકટ પૂર્ણ થવામાં આવનારી મુશ્કેલીઓને દૂર કરવામાં આવી હતી. જેના કારણે હવે આ હાઈવે ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યો છે.

Maharashtra: નાસિકથી શિરડી હવે માત્ર દોઢ કલાકમાં પહોંચી શકાશે, સિન્નરનો ફોર લેન હાઈવે ટૂંક સમયમાં થશે શરૂ
Nasik to Shirdi in just an hour

Follow us on

નવા વર્ષના પ્રથમ દિવસે શિરડીના સાંઈ બાબાના ભક્તો અને નાસિકના (Shirdi) રહેવાસીઓ માટે એક સારા સમાચાર છે. હવે નાસિકથી શિરડીની યાત્રા માત્ર દોઢ કલાકમાં પુરી થશે. આ માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવા જઈ રહ્યો સિન્નર-શિરડી ફોર લેન હાઈવે (Nasik-Sinnar-Shirdi Highway) ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યો છે. તેનાથી મુંબઈથી (Mumbai) શિરડી વચ્ચેનું અંતર આપોઆપ ઓછું થઈ જશે. આ હાઇવે માર્ચના અંતમાં શરૂ થાય તેવી શક્યતા છે.

સિન્નરથી શિરડી 60 કિમીનો હાઇવે છે. તેનું કામ લગભગ પૂર્ણ થવાના આરે છે. તેથી જ માર્ચ મહિનામાં તેને પરીવહન માટે ખોલવામાં આવે તેવી શક્યતા છે. અગાઉ આ પ્રોજેક્ટ ઓક્ટોબર 2022માં પૂર્ણ થવાનો હતો. પરંતુ આ પ્રોજેકટ પૂર્ણ થવામાં પડતી મુશ્કેલીઓ દૂર થઇ હતી. જેના કારણે હવે આ હાઈવે ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યો છે.

19 ગામોની જમીન લઈને બનાવવામાં આવ્યો છે 60 કિમીનો હાઈવે

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

આ 60 કિલોમીટરનો હાઇવે બનાવવા માટે સિન્નર તાલુકાના 19 ગામોમાંથી જમીન લેવામાં આવી છે. નાસિકથી શિરડી જતા માર્ગ પર, આ હાઇવે નાશિક-પુણે વચ્ચે ગુરેવાડીથી શરૂ થાય છે. આ માર્ગ નગરથી મનમાડ હાઈવે વચ્ચે સાવલીવિહિર ફાટાને જોડે છે. સિન્નર-શિરડી હાઈવે વચ્ચે બે ફ્લાય ઓવર બ્રિજ છે.

ગુરેવાડીથી મુસલગાંવ MIDC સુધી બે ફ્લાયઓવર બનાવવામાં આવનાર છે. તેની લંબાઈ 500 મીટર છે. આ રોડ દાતલી, પાંગરી, વાવી અને પાથરે વિસ્તાર પાસે અંડરગ્રાઉન્ડ હશે. અહમદનગર જિલ્લાના દરડે, ઝગડેફાટા, સાવલીવિહિર જવાના માર્ગ પર આ અંડરગ્રાઉન્ડ રોડ બનાવવામાં આવ્યો છે.

સાંઈ બાબાના ભક્તો માટે 51 કિલોમીટર લાંબો અલગ લેન

દર વર્ષે લાખો ભક્તો શિરડીના સાંઈ બાબાના ચરણોમાં માથું નમાવવા આવે છે. આ મુસાફરોને ધ્યાનમાં રાખીને હાઈવેમાં તેમના માટે અલગ લેન તૈયાર કરવામાં આવ્યો છે. સાંઈ ભક્તો માટે આ અલગ લેન 51 કિલોમીટર લાંબો છે. નાસિક અને નગર જિલ્લામાંથી આ માર્ગ શિરડી સુધી જાય છે.

આ લેન ગુરેવાડી, મુસલગાંવથી શરૂ થાય છે. આગળ તે સાવલીવિહિર પહોંચે છે. આ દરમિયાન મુસાફરોની સુવિધા માટે અલગ-અલગ જગ્યાએ ભૂગર્ભ માર્ગો તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં પાંગરી, વાવી, ખોપડી, મુસલગાંવ ફાટા અને પાથરેમાં આ રોડ તૈયાર કરવામાં આવી રહ્યો છે.

 

આ પણ વાંચો :  Maharashtra: સરકાર પર કોરોનાનું ગ્રહણ, 10 મંત્રીઓ અને 20 ધારાસભ્યો થયા સંક્રમિત, શું મહારાષ્ટ્રમાં હવે લોકડાઉન થશે ?

Next Article