નવાબ મલિક પહોંચ્યા સુપ્રીમ કોર્ટ, મુંબઈ હાઈકોર્ટના નિર્ણયને પડકાર્યો

|

Apr 02, 2022 | 8:05 PM

નવાબ મલિક 4 એપ્રિલ સુધી ન્યાયિક કસ્ટડીમાં છે. હવે નવાબ મલિકે હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. નવાબ મલિકે અરજી દાખલ કરીને અપીલ કરી છે કે તેમની સામેના કેસ રદ કરવામાં આવે.

નવાબ મલિક પહોંચ્યા સુપ્રીમ કોર્ટ, મુંબઈ હાઈકોર્ટના નિર્ણયને પડકાર્યો
Nawab Malik - File Photo

Follow us on

NCP નેતા અને મહારાષ્ટ્રના લઘુમતી મંત્રી નવાબ મલિક (Nawab Malik) હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા છે. અગાઉ, તેમણે મની લોન્ડરિંગ કેસમાં તેમની સામે ED દ્વારા કરાયેલી ધરપકડને ગેરકાયદે ગણાવી હતી. તેમણે બોમ્બે હાઈકોર્ટમાં તેની સામેનો કેસ રદ કરવા અપીલ કરી હતી. પરંતુ 15 માર્ચ 2022ના હાઈકોર્ટના નિર્ણયથી તેમને કોઈ રાહત મળી નથી. હાલમાં તે 4 એપ્રિલ સુધી ન્યાયિક કસ્ટડીમાં છે. હવે નવાબ મલિકે હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) પડકાર્યો છે. નવાબ મલિકે અરજી દાખલ કરીને અપીલ કરી છે કે તેમની સામેના કેસ રદ કરવામાં આવે.

નવાબ મલિક પર અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ અને મુંબઈ બોમ્બ બ્લાસ્ટ સાથે જોડાયેલા લોકો સાથે જમીનના સોદા કરવાનો આરોપ છે. EDએ 23 ફેબ્રુઆરીએ નવાબ મલિકની ધરપકડ કરી હતી. ત્યારબાદ સ્પેશિયલ પીએમએલએ કોર્ટે પ્રથમદર્શી આરોપોમાં તથ્યો શોધી કાઢ્યા અને તેમને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા. પરંતુ નવાબ મલિકે હાઈકોર્ટની પીએમએલએ કોર્ટની કલમ 3 પર પ્રથમદર્શી પુરાવાના આધારે પ્રશ્ન ઉઠાવ્યો હતો.

નવાબ મલિકે કહ્યું કે તેમની સામે કરવામાં આવેલી કાર્યવાહી માત્ર ગેરકાયદેસર નથી પરંતુ તેમના મૂળભૂત અધિકારોનું પણ ઉલ્લંઘન કરે છે. તેમણે કહ્યું કે તેમની પાસે ઉપરોક્ત કાર્યવાહી સામે હેબિયસ કોર્પસ રિટનો અધિકાર છે, પરંતુ તેમને આ અધિકાર મળ્યો નથી.

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો

શું છે સમગ્ર મામલો ?

ઈડીએ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ વિરુદ્ધ નોંધાયેલી એફઆઈઆરના આધારે ધરપકડ કરી હતી. એવો આરોપ છે કે નવાબ મલિકે મુંબઈના કુર્લા સ્થિત મુનિરા પ્લમ્બરની 300 કરોડ રૂપિયાની કિંમતની જમીન પાણીના ભાવે ખરીદી હતી. આ જમીન માટે દાઉદ ઈબ્રાહિમ અને મુંબઈ બોમ્બ વિસ્ફોટ સાથે સંબંધિત શાહ વલી અને સલીમ પટેલ સાથે ડીલ કરવામાં આવી હતી.

જમીનના માલિકને એક પૈસો પણ ન મળ્યો અને આ સોદાના બદલામાં 55 લાખ રૂપિયા દાઉદ ઈબ્રાહિમની બહેન હસીના પારકરના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા. વિધાનસભામાં વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસે આરોપ લગાવ્યો હતો કે આ ડીલ બાદ મુંબઈમાં ત્રણ બોમ્બ બ્લાસ્ટ થયા હતા. એટલે કે આ ડીલના પૈસાનો ટેરર ​​ફંડિંગમાં ઉપયોગ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : વડાપ્રધાન મોદીએ કહ્યું- ભારત અને નેપાળ વચ્ચે ખુલ્લી સરહદોનો દુરુપયોગ ન થવો જોઈએ, સુરક્ષા એજન્સીઓ વચ્ચેના સહયોગ પર ભાર મૂક્યો

Next Article