મહારાષ્ટ્રના મંત્રી એકનાથ શિંદે અને સાંસદ અરવિંદ સાવંતને થયો કોરોના, અત્યાર સુધીમાં એક ડઝન મંત્રીઓ સંક્રમણની ચપેટમાં

|

Jan 04, 2022 | 1:39 PM

મહારાષ્ટ્રના શહેરી વિકાસ મંત્રી અને શિવસેનાના ધારાસભ્ય એકનાથ શિંદે કોરોનાગ્રસ્ત થયા છે. શિવસેનાના સાંસદ અરવિંદ સાવંતને પણ કોરોના થયો છે.

મહારાષ્ટ્રના મંત્રી એકનાથ શિંદે અને સાંસદ અરવિંદ સાવંતને થયો કોરોના, અત્યાર સુધીમાં એક ડઝન મંત્રીઓ સંક્રમણની ચપેટમાં
Minister Eknath Shinde and MP Arvind Sawant

Follow us on

મહારાષ્ટ્રના શહેરી વિકાસ મંત્રી અને શિવસેનાના ધારાસભ્ય એકનાથ શિંદે (Eknath Shinde Corona) કોરોનાગ્રસ્ત થયા છે. શિવસેનાના સાંસદ અરવિંદ સાવંતને (Arvind Sawant) પણ કોરોના થયો છે. છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યના ઘણા નેતાઓને કોરોના સંક્રમિત થયાના અહેવાલો સામે આવી રહ્યા છે. નાયબ મુખ્યમંત્રી અજિત પવારે રાજ્યના મંત્રીમંડળના કેટલાક મંત્રીઓ અને ધારાસભ્યોના કોરોના પોઝિટિવ હોવાની માહિતી આપી હતી. આ શ્રેણી સતત વધી રહી છે. હવે આ યાદીમાં મંત્રી એકનાથ શિંદે અને સાંસદ અરવિંદ સાવંતનું નામ જોડાઈ ગયું છે.

એકનાથ શિંદે રાજ્ય કેબિનેટમાં શહેરી વિકાસ મંત્રી અને થાણે જિલ્લાના પાલક મંત્રી છે. અરવિંદ સાવંત કેન્દ્રમાં શિવસેનાના ક્વોટામાંથી મંત્રી રહી ચૂક્યા છે. ભાજપ અને શિવસેનાનું ગઠબંધન તૂટતાં તેમણે રાજીનામું આપ્યું હતું. હાલમાં તેઓ શિવસેનાના સાંસદ છે અને સંજય રાઉત સાથે પાર્ટીના મુખ્ય પ્રવક્તા છે. આ સિવાય એનસીપીના ધારાસભ્ય રોહિત પવાર, શિવસેનાના વરુણ દેસાઈ, ભાજપના ધારાસભ્ય અતુલ ભાતખલકર છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમિત જોવા મળેલા નેતાઓમાં સામેલ છે.

છેલ્લા કેટલાક દિવસોથી મારા સંપર્કમાં આવેલા લોકોનો કોરોના ટેસ્ટ કરાવવો જોઈએ – એકનાથ શિંદે

આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર
ખરતા વાળથી છુટકારો મેળવવા માટે રોજ એક વાર પીવો આ જ્યુસ
કથાકાર જયા કિશોરી પોતાની બેગમાં કઈ વસ્તુઓ રાખે છે? જાતે ખોલ્યું રહસ્ય
ઉનાળામાં ઘરે બનાવો કાચી કેરીની મીઠી ચટણી, જાણી લો સિક્રેટ રેસીપી

એકનાથ શિંદેએ સોમવારે મુંબઈ અને નવી મુંબઈમાં વિકાસ કાર્યોની સમીક્ષા કરવા સમગ્ર વિસ્તારનો પ્રવાસ કર્યો હતો. તેમના કોરોના પોઝિટિવ હોવાની માહિતી આપતા તેણે કહ્યું કે, ‘મેં કોરોના ટેસ્ટ કરાવ્યો છે. ટેસ્ટનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મારી સારવાર ચાલુ છે. મારી હાલત સ્થિર છે. તમારા બધાના આશીર્વાદથી હું જલ્દી જ કોરોનાને હરાવીશ અને ફરી એકવાર તમારી સેવામાં હાજર રહીશ. જે લોકો છેલ્લા કેટલાક દિવસોથી મારા સંપર્કમાં આવ્યા છે, તેમનો કોરોના ટેસ્ટ કરાવો અને પોતાની સંભાળ રાખો. મારી અપીલ છે કે તેઓ માસ્કનો ઉપયોગ કરે. તમારું અને તમારા પરિવારનું ધ્યાન રાખો.

બે દિવસ પહેલા એક મીટિંગમાં ડેપ્યુટી સીએમ અજિત પવારે મંત્રીઓ અને નેતાઓના ઝડપી સંક્રમિત થવા અંગે ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે, જ્યારે સંમેલન 5 દિવસનું હતું ત્યારે 10 થી વધુ મંત્રીઓ અને 20 થી વધુ ધારાસભ્યો કોરોના સંક્રમિત જોવા મળ્યા છે. જો સંમેલન હજુ થોડા દિવસ ચાલ્યું હોત તો અડધી કેબિનેટ કોરોના પોઝિટિવ થઈ ગઈ હોત. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે જ્યાં ભીડ વધુ જોવા મળશે ત્યાં હું તે કાર્યક્રમમાં હાજરી આપીશ નહીં. આ સાથે જ તેમણે એમ પણ કહ્યું હતું કે, જો આપણે નેતાઓ કોરોનાના નિયમોનું પાલન નથી કરતા તો જનતા પાસેથી કયા મોઢે કોરોનાના નિયમોનું પાલન કરવાની અપેક્ષા રાખવી જોઈએ.

 

આ પણ વાંચો: JEE Advanced 2022: JEE મેઇન વગર પણ આપી શકાશે JEE એડવાન્સ 2022, ત્રીજી તક પણ મળશે

આ પણ વાંચો: Padhe Bharat Campaign: શિક્ષણ મંત્રાલયે ‘પઢે ભારત અભિયાન’ કર્યું શરૂ, પુસ્તકોની પ્રથમ યાદી કરી જાહેર

Next Article