મહારાષ્ટ્ર: ઉત્તર કોલ્હાપુર વિધાનસભા પેટાચૂંટણી માટે આજે મતદાન, આ દિગ્ગજોની પ્રતિષ્ઠા દાવ પર

|

Apr 12, 2022 | 12:05 PM

કોંગ્રેસે(Congress) ચંદ્રકાંત જાધવના પત્ની જયશ્રી જાધવને ઉમેદવાર બનાવ્યા છે. જો કે શિવસેના (Shiv sena) અને એનસીપીએ (NCP) મહા વિકાસ અઘાડીના સહયોગી કોંગ્રેસના ઉમેદવાર સામે પોતાનો ઉમેદવાર ઉતાર્યો નથી.

મહારાષ્ટ્ર: ઉત્તર કોલ્હાપુર વિધાનસભા પેટાચૂંટણી માટે આજે મતદાન, આ દિગ્ગજોની પ્રતિષ્ઠા દાવ પર
File Photo

Follow us on

મહારાષ્ટ્રની (Maharashtra) ઉત્તર કોલ્હાપુર વિધાનસભા પેટાચૂંટણી (Maharashtra Assembly) માટે મતદાન શરૂ થઈ ગયું છે. કોંગ્રેસ અને ભાજપ સહિત 15 ઉમેદવારોની પ્રતિષ્ઠા દાવ પર લાગી છે. તમને જણાવી દઈએ કે, મતદાન સવારે 7 વાગ્યાથી શરૂ થશે અને સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. 16 એપ્રિલે મતગણતરી થવાની છે. ડિસેમ્બર 2021માં કોવિડથી કોંગ્રેસના ધારાસભ્ય ચંદ્રકાંત જાધવના (Chandrakant Jadhav) અવસાનને કારણે આ પેટા ચૂંટણી યોજાઈ છે.

કોંગ્રેસે ચંદ્રકાંત જાધવના પત્ની જયશ્રી જાધવને ઉમેદવાર બનાવ્યા છે. જો કે શિવસેના અને એનસીપીએ મહા વિકાસ અઘાડીના સહયોગી કોંગ્રેસના ઉમેદવાર સામે પોતાનો ઉમેદવાર ઉતાર્યો નથી. આથી આ ચૂંટણીને એક રીતે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધી હરીફાઈ તરીકે જોવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે, ભાજપે સત્યજીત કદમને મેદાનમાં ઉતાર્યા છે.

મતદાનની પ્રક્રિયા શરૂ થઈ

જિલ્લા વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, લગભગ 2.90 લાખ મતદારો ઉમેદવારોના ભાવિનો નિર્ણય લેવાના છે. 357 મતદાન મથકો પર મતદાન શરૂ થઈ ગયું છે. સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા મતદારોને અપીલ કરવામાં આવી છે કે તેઓ વધુમાં વધુ સંખ્યામાં આવીને મતદાન કરે અને તેમના રાજકીય અધિકારનો ઉપયોગ કરે.

SRHની હાર બાદ કાવ્યા મારનને આવ્યો ગુસ્સો
શાર્દુલ ઠાકુરની પત્ની બેકરીની માલિક છે, જુઓ ફોટો
70ની ઉંમરમાં રેખા ફરી બની ઉમરાવ જાન ! ચહેરાનો નૂર જોઈ દિવાના થયા લોકો
29 માર્ચે શનિ અને રાહુનો મહાસંયોગ ! આ 4 રાશિઓ થઈ જશે માલામાલ
આજે અચાનક 15% વધ્યો આ શેર...હવે કંપની બોનસ પણ આપશે, રોકાણકારો થયા ગદગદ!
'સિકંદર'નો વિલન સલમાન ખાન કરતાં વધુ ભણેલો છે, જાણો

ભાજપ તરફથી સત્યજીત કદમ મેદાનમાં

આ ચૂંટણી દંગલને માત્ર કોંગ્રેસ અને ભાજપ વચ્ચેની હરીફાઈ તરીકે જોવામાં નથી આવી રહ્યું, પરંતુ આ ચૂંટણી ભાજપ સામે લડીને પોતાની પ્રતિષ્ઠા અજમાવી રહી છે, એટલે કે મહા વિકાસ આઘાડી. એક રીતે જયશ્રી જાધવ માત્ર કોંગ્રેસના ઉમેદવાર જ નથી પરંતુ શિવસેના અને એનસીપી દ્વારા સમર્થિત ઉમેદવાર પણ છે. બીજી તરફ ભાજપ તરફથી સત્યજીત કદમ મેદાનમાં છે. જયશ્રી જાધવ માટે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નાના પટોલે ઉપરાંત CM ઉદ્ધવ ઠાકરેએ પણ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જોરશોરથી પ્રચાર કર્યો છે. બીજી તરફ વિપક્ષી નેતા દેવેન્દ્ર ફડણવીસ અને પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે ભાજપ માટે પ્રચાર કર્યો છે.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો : Maharashtra: ભાજપ નેતા પ્રવીણ દરેકર પર પોલીસે કડક કાર્યવાહી કરી, મુંબઈ બેંક કૌભાંડ કેસમાં ફરી તપાસ