Maharashtra: મંત્રી અને NCP નેતા નવાબ મલિકના રાજીનામા પર ભાજપ અડગ, વિધાનસભાના પગથિયા પર ધારાસભ્યોએ કર્યુ પ્રદર્શન

|

Mar 04, 2022 | 10:46 PM

વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે ભાજપના નેતાઓ સાથે રાજ્યના ચાલુ વાર્ષિક બજેટ સત્ર દરમિયાન મલિકના રાજીનામાની માંગણી સાથે વિધાનસભા પરિસરમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું.

Maharashtra: મંત્રી અને NCP નેતા નવાબ મલિકના રાજીનામા પર ભાજપ અડગ, વિધાનસભાના પગથિયા પર ધારાસભ્યોએ કર્યુ પ્રદર્શન
BJP MLAs protested in the assembly premises

Follow us on

દાઉદ ઈબ્રાહિમ મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ની કસ્ટડીમાં રહેલા મંત્રી અને NCP નેતા નવાબ મલિકના (Nawab Malik) રાજીનામાની માંગણી સાથે, મહારાષ્ટ્ર ભાજપના ધારાસભ્યોએ શુક્રવારે રાજ્ય વિધાનસભાના પગથિયાં પર વિરોધ પ્રદર્શન (BJP MLAs protest) કર્યુ. મહારાષ્ટ્ર વિધાનસભામાં વિપક્ષના નેતા અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે ભાજપના નેતાઓ સાથે રાજ્યના ચાલુ વાર્ષિક બજેટ સત્ર વચ્ચે મલિકના રાજીનામાની માંગણી સાથે વિધાનસભા પરિસરમાં વિરોધ પ્રદર્શન કર્યું. ફડણવીસે મહારાષ્ટ્ર વિકાસ અઘાડી સરકાર પર મહારાષ્ટ્રના લઘુમતી કલ્યાણ પ્રધાનને બચાવવાનો પ્રયાસ કરવાનો આરોપ પણ લગાવ્યો.

અહીં મીડિયા સાથે વાત કરતા ફડણવીસે કહ્યું, “સરકાર શા માટે તેમનું રાજીનામું લેવા માંગતી નથી? આ ‘દાઉદ શરણ’ સરકાર છે. આ સરકાર દાઉદ સાથે સંબંધ ધરાવતા લોકોને બચાવવા માટે સાથે આવી રહી છે. માટે અમે  વિરોધ શરૂ કર્યો છે અને અમે માંગણી કરીએ છીએ કે તેમનું રાજીનામું તાત્કાલિક લેવામાં આવે.”

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

સીએમ ઠાકરેનો મત – મલિકનું રાજીનામું લેવાની જરૂર નથી

રાજ્યના નાયબ મુખ્યપ્રધાન અજિત પવારે બુધવારે કહ્યું કે હાલ મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેનું માનવું છે કે “નવાબ મલિકનું રાજીનામું લેવાની કોઈ જરૂર નથી”. વિશેષ PMLA કોર્ટે ગુરુવારે દાઉદ ઈબ્રાહિમ મની લોન્ડરિંગ કેસમાં મહારાષ્ટ્રના મંત્રી અને NCP નેતા નવાબ મલિકની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) કસ્ટડી 7 માર્ચ સુધી લંબાવી છે.

બચાવ પક્ષના વકીલ અમિત દેસાઈએ, ED પર પ્રહાર કરતા, કોર્ટમાં દલીલ કરી હતી કે એજન્સીએ આજે ​​કહ્યું હતું કે હસીના પારકરને મંત્રી દ્વારા આતંકવાદ માટે ભંડોળ પ્રથમ અરજીમાં 55 લાખ રૂપિયાની સામે 5 લાખ હતું, જેમાં ટાઈપિંગ ભૂલ હતી. તે જ સમયે, નવાબ મલિકે મુંબઈ હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને તેમની ધરપકડને ગેરકાયદેસર ગણાવી હતી. જેના પર 7 માર્ચે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે.

આ મામલે બુધવારે બોમ્બે હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. આ સુનાવણી દરમિયાન EDએ નવાબ મલિકની અરજી પર જવાબ આપવા માટે કોર્ટ પાસે સમય માંગ્યો હતો. કોર્ટે EDને 7 માર્ચ સુધીનો સમય આપ્યો છે. હવે હાઇકોર્ટમાં 7 માર્ચે સુનાવણી હાથ ધરાશે.

આ પણ વાંચો :  IPS રશ્મિ શુક્લાને રાહત, 25 માર્ચ સુધી ટળી કાર્યવાહી, ફોન ટેપિંગ મામલે બોમ્બે હાઈકોર્ટે આપ્યો નિર્દેશ

Published On - 10:44 pm, Fri, 4 March 22

Next Article