મહારાષ્ટ્રના રાજ્યપાલને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે, પવાર અને રાઉતના હુમલાનો દેવેન્દ્ર ફડણવીસે આપ્યો વળતો જવાબ

|

Mar 05, 2022 | 11:58 PM

દેવેન્દ્ર ફડણવીસે કહ્યું, રાજ્યપાલને સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે. તેમનું અપમાન કરવામાં આવી રહ્યું છે. ગેરબંધારણીય કામ કરવું અને બંધારણીય પદ પર બેઠેલા રાજ્યપાલ પર ટિપ્પણી કરવી તે મહાવિકાસ આઘાડીના નેતાઓની આદત બની ગઈ છે.

મહારાષ્ટ્રના રાજ્યપાલને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે, પવાર અને રાઉતના હુમલાનો દેવેન્દ્ર ફડણવીસે આપ્યો વળતો જવાબ
Sharad Pawar And Devendra Fadnavis

Follow us on

છેલ્લા કેટલાક દિવસોથી મહા વિકાસ અઘાડી સરકાર સાથે જોડાયેલા પક્ષો મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી (Bhagat Singh Koshyari) વિરુદ્ધ ખૂબ જ આક્રમક બની ગયા છે. શનિવારે (5 માર્ચ) ના રોજ પુણેની પ્રેસ કોન્ફરન્સમાં, NCP ચીફ શરદ પવારે તેમના પર કટાક્ષ કર્યો અને કહ્યું કે તેમણે રાજ્યપાલ જેવા કર્તવ્યનિષ્ઠ વ્યક્તિ ક્યારેય જોયા નથી. સંજય રાઉતે શનિવારે મુંબઈમાં પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે રાજ્યપાલ ભાજપના પ્રદેશ અધ્યક્ષની જેમ વર્તી રહ્યા છે. આઘાડી સરકારનું પ્રતિનિધિમંડળ રાજ્યપાલને 12 એમએલસી અને વિધાનસભાના અધ્યક્ષના પદને લઈને મળ્યું હતું. તેમની સાથે ચર્ચા કરવા છતાં તેમણે ફરી કોઈ નિર્ણય લીધો ન હતો.

તેના પર જ્યારે પત્રકારે સવાલ કર્યો કે રાજ્યપાલને હટાવવા જોઈએ? તેના પર સંજય રાઉતે કહ્યું કે આ મહા વિકાસ અઘાડી સરકાર કહે છે એવું નથી, પરંતુ મહારાષ્ટ્રના લોકો અનુભવે છે. રાજ્યપાલ પરના આ દ્વિપક્ષીય હુમલાને જોતા હવે વિધાનસભામાં વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસ તેમના બચાવમાં સામે આવ્યા છે.

દેવેન્દ્ર ફડણવીસે કહ્યું, રાજ્યપાલને સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે. તેમનું અપમાન કરવામાં આવી રહ્યું છે. ગેરબંધારણીય કામ કરવું અને બંધારણીય પદ પર બેઠેલા રાજ્યપાલ પર ટિપ્પણી કરવી તે મહા વિકાસ અઘાડીના નેતાઓની આદત બની ગઈ છે. રાજ્યપાલ પર આવા નિવેદન કરનારાઓને શરમ આવવી જોઈએ. સરકારમાં બેઠેલા લોકો બંધારણ પ્રમાણે કામ કરતા નથી. જ્યારે રાજ્યપાલ તેમને અટકાવે છે, ત્યારે તેમને નિશાન બનાવવામાં આવે છે.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

સત્રના પહેલા દિવસથી જ રાજ્યપાલ ઠાકરે સરકારના નેતાઓથી ઘેરાયેલા રહ્યા

રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ છત્રપતિ શિવાજી મહારાજ અને સાવિત્રીબાઈ ફુલેને લઈને આપેલા વિવાદાસ્પદ નિવેદન બાદ રાજ્ય વિધાનસભાના બજેટ સત્રના પહેલા જ દિવસે રાજ્યપાલના સંબોધન દરમિયાન સત્તાધારી અઘાડી સરકારના નેતાઓએ ભારે હોબાળો મચાવ્યો હતો. ભારે હંગામાના કારણે રાજ્યપાલ પોતાનું સંબોધન અધવચ્ચે જ પૂરું કરી શક્યા અને ત્યાંથી ચાલ્યા ગયા. નાયબ મુખ્યમંત્રી અજિત પવારે તેમને ટોણો માર્યો હતો. એનસીપીના વડા શરદ પવાર પણ રાજ્યપાલને ટોણો મારવામાં પાછળ રહ્યા ન હતા.

શરદ પવારે પત્રકાર પરિષદમાં પ્રહારો કર્યા

રવિવારે પુણેમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં શરદ પવારે રાજ્યપાલ પર પણ આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું, કેન્દ્ર સરકાર કેટલા નીચા સ્તરે કામ કરી શકે છે, તે મહારાષ્ટ્રમાં દેખાય રહ્યું છે. રાજ્યના મંત્રીમંડળને વિધાનસભા, વિધાન પરિષદના સભ્યની પસંદગી કરવાનો અધિકાર છે. એક વર્ષ વીતી ગયું પરંતુ 12 એમએલસી પરના નામોની યાદી પર રાજ્યપાલ દ્વારા હજુ સુધી સહી કરવામાં આવી નથી. મેં આવા કર્તવ્યનિષ્ઠ રાજ્યપાલ આ પહેલા ક્યારેય જોયા નથી.

તેમના પર ટિપ્પણી ન કરવી તે યોગ્ય છે. માત્ર રાષ્ટ્રપતિ અને વડાપ્રધાને જ તેમનો વિચાર કરવો જોઈએ. તેના જવાબમાં ફડણવીસે કહ્યું કે સરકારમાં બેઠેલા લોકો બંધારણ મુજબ કામ કરતા નથી અને જ્યારે રાજ્યપાલ તેમને આ માટે અટકાવે છે ત્યારે બંધારણીય પદ પર બેઠેલા લોકો તેમને નિશાન બનાવે છે, આ યોગ્ય નથી.

આ પણ વાંચો :  Maharashtra: પ્રેમ સંબંધી વિવાદને લઈને એક વ્યક્તિને કારથી ટક્કર મારી, મોબાઈલમાં રેકોર્ડ કરાયેલો વીડિયો થયો વાયરલ

Next Article