Maharashtra Beed Bus Accident: બીડમાં બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, 6ના મોત, 10 ઘાયલ

|

Jan 09, 2022 | 1:07 PM

મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં બસ ટ્રક અકસ્માત સર્જાયો હતો. 9 જાન્યુઆરી અને રવિવાર થયેલા આ ગમખ્વાર અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે અને 8 થી 10 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

Maharashtra Beed Bus Accident: બીડમાં બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, 6ના મોત, 10 ઘાયલ
Maharashtra Beed Bus Accident

Follow us on

મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં બસ ટ્રક અકસ્માત (Bus truck accident) સર્જાયો હતો. 9 જાન્યુઆરી અને રવિવાર થયેલા આ ગમખ્વાર અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે અને 8 થી 10 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. બીડના અંબાજોગાઈ તાલુકાના સાયગાંવ પાસે બસ ટ્રક સાથે અથડાઈ હતી. આ ટક્કર એટલી ભીષણ હતી કે 6 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. ઘાયલોને અંબાજોગાઈ સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બસ લાતુરથી ઔરંગાબાદ જઈ રહી હતી.

રવિવારે સવારે લાતુર-અંબાજોગાઈ રોડ પર રાજ્ય પરિવહનની બસ અને ટ્રક વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો. બસ લાતુરથી ઔરંગાબાદ જઈ રહી હતી. બીજી તરફ ટ્રક અંબાજોગાઈથી લાતુર તરફ આવી રહી હતી. ટ્રક પ્લાસ્ટિકની પાઇપોથી ભરેલી હતી. બરદાપુર ફાટક પાસે વળાંક પર આવતાં જ બસ ટ્રક સાથે અથડાઈ હતી.

અકસ્માતનું કારણ હજુ સ્પષ્ટ નથી

હજુ સુધી અકસ્માતનું કારણ સ્પષ્ટ થયું નથી. પરંતુ અકસ્માત કેટલો ભયંકર હતો તે આના પરથી જ સમજાય છે કે 6 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. ટ્રક પણ ઓવરલોડ હતી. જેના કારણે અકસ્માત આટલો ભયાનક બન્યો હતો. ઘાયલોની સારવાર શરૂ કરવામાં આવી છે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

આ પહેલા બુધવારે સવારે ઝારખંડના પાકુરમાં સિલિન્ડર વગરની ટ્રક બસ સાથે અથડાઈ હતી. આ ભયાનક અકસ્માતમાં 17 લોકોના મોત થયા હતા. આ અકસ્માતમાં 25 અન્ય ઘાયલ થયા છે. આ અકસ્માત આમ્રપાડા પોલીસ સ્ટેશન વિસ્તારના પેડર કોલા ગામ પાસે થયો હતો. આ ભયાનક અકસ્માતમાં સાત લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.

બાકીના દસ લોકો હોસ્પિટલમાં મૃત્યુ પામ્યા. બસ મુસાફરોથી ભરેલી હતી. ટ્રકમાં એલપીજી ગેસ સિલિન્ડર ભરેલા હતા. પરંતુ સદનસીબે એક પણ સિલિન્ડર ફાટ્યો ન હતો, અન્યથા અકસ્માત વધુ ગંભીર બન્યો હોત. બસ અને ટ્રક વચ્ચે આ ટક્કર સામસામે થઈ હતી.

ગેસ સિલિન્ડરોથી ભરેલી એક ઝડપી ટ્રક બીજી બાજુથી મુસાફરોથી ભરેલી બસ સાથે અથડાઈ હતી. આગરા-લખનૌ એક્સપ્રેસ વે પર બુધવારે રાત્રે વધુ એક અકસ્માત થયો હતો. અહીં પણ એક બસને અકસ્માત થયો હતો. જેમાં પાંચ મુસાફરો ઘાયલ થયા હતા. જો કે તમામ મુસાફરો ખતરાની બહાર છે.

 

આ પણ વાંચો: રેલવે વિભાગમાં એક લાખથી વધુ લોકોને રોજગારી મળશે, બહાર પાડેલી ભરતી માટે એક કરોડ 24 લાખ અરજી આવી: રેલવે પ્રધાન

આ પણ વાંચો: PNB Recruitment 2022: પંજાબ નેશનલ બેંકમાં વિવિધ જગ્યાઓ માટે ભરતી, જલ્દી કરો અરજી

Published On - 1:07 pm, Sun, 9 January 22

Next Article