Maharashtra: ડેપ્યુટી સીએમ અજિત પવાર પર કાર્યવાહી, 1000 કરોડની સંપત્તિ જપ્ત કરવા માટે IT ની કામગીરી

આવકવેરા વિભાગ દ્વારા મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રીની પાંચ મિલકતો જપ્ત કરવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે.

Maharashtra: ડેપ્યુટી સીએમ અજિત પવાર પર કાર્યવાહી, 1000 કરોડની સંપત્તિ જપ્ત કરવા માટે IT ની કામગીરી
Ajit Pawar (File Photo)
| Edited By: | Updated on: Nov 02, 2021 | 12:49 PM

લાંબા સમયથી આવકવેરા વિભાગના નિશાના પર રહેલા મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર પર કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. આવકવેરા વિભાગ દ્વારા પવારની પાંચ મિલકતો જપ્ત કરવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે. આ મિલકતોની કિંમત એક હજાર કરોડથી વધુ હોવાનો અંદાજ છે. મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખની ધરપકડના એક દિવસ બાદ જ આવકવેરા વિભાગ દ્વારા આ પગલું લેવામાં આવ્યું છે.

અનેક જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા હતા
અજિત પવાર લાંબા સમયથી આવકવેરા વિભાગના રડાર પર છે. 7 ઓક્ટોબરે, વિભાગ દ્વારા તેમના 70 થી વધુ ઠેકાણાઓ પર દરોડા પણ પાડવામાં આવ્યા હતા. કેન્દ્રીય એજન્સી દ્વારા બે રિયલ એસ્ટેટ જૂથો અને તેમના સંબંધીઓના પરિસરમાં દરોડા પાડ્યા પછી રૂ. 184 કરોડની સંપત્તિનો ખુલાસો થયો હતો, આ સંપત્તિનો કોઈ હિસાબ ન હતો, ત્યારબાદ વિભાગ દ્વારા તેમની સંપત્તિ જપ્ત કરવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે.

આવકવેરા વિભાગ આ મિલકતો જપ્ત કરશે
આવકવેરા વિભાગ અજિત પવારની પાંચ મિલકતો ટાંચમાં લેશે. આ માટે આદેશ પણ જાહેર કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, તેમની જરાંદેશ્વર સુગર ફેક્ટરી, દક્ષિણ દિલ્હીમાં ફ્લેટ, પાર્થ પવારની નિર્મલ ઓફિસ, ગોવામાં બનેલ રિસોર્ટ, મહારાષ્ટ્રમાં 27 જમીનો આવકવેરા હેઠળ જપ્ત કરવામાં આવશે. આ મિલકતોની કિંમત 1000 કરોડથી વધુ હોવાનો અંદાજ છે.


આ પણ વાંચોઃ

lionel messiના નિવેદનથી બાર્સેલોના ચાહકોના ચેહરા પર સ્મિત આવ્યું, દિગ્ગજ ખેલાડીએ જૂની ક્લબમાં પરત ફરવાના સંકેત આપ્યા !

આ પણ વાંચોઃ

ICC T20I Rankings T20 World Cup : ભારતને હરાવ્યા બાદ પાકિસ્તાને ICC રેન્કિંગમાં ટીમ ઈન્ડિયાને પાછળ છોડયું, જુઓ યાદી