Lata Mangeshkar: રાજકીય સમ્માન સાથે થઈ લતા દીદીની અંતિમ વિદાય, બે દિવસનો રાષ્ટ્રીય શોક, મહારાષ્ટ્રમાં એક દિવસની રજા જાહેર

|

Feb 06, 2022 | 10:53 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી લતા દીદીને શ્રદ્ધાંજલિ આપવા મુંબઈના શિવાજી પાર્ક પહોંચ્યા. તેમણે લતા દીદીના પાર્થિવ દેહ પર ફૂલ અર્પણ કર્યા. મંગેશકર પરિવારને મળીને તેમણે સાંત્વના આપી હતી.

Lata Mangeshkar: રાજકીય સમ્માન સાથે થઈ લતા દીદીની અંતિમ વિદાય, બે દિવસનો રાષ્ટ્રીય શોક, મહારાષ્ટ્રમાં એક દિવસની રજા જાહેર
Lata Mangeshkar

Follow us on

ભારત રત્ન લતા મંગેશકર પંચ તત્વોમાં વિલીન (Lata Mangeshkar) થઈ ગયા. તેમના અંતિમ સંસ્કાર મુંબઈના શિવાજી પાર્ક ખાતે રાજકીય સન્માન સાથે કરવામાં આવ્યા. લતા દીદીને તેમના ભાઈ હૃદયનાથ મંગેશકરે મુખાગ્નિ આપી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ શોકની ઘડીમાં તેમના પરિવાર સાથે ઉભા જોવા મળ્યા. મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે સહિત દેશ અને મહારાષ્ટ્રના મોટા નેતાઓ, અભિનેતાઓ અને દિગ્ગજો લતા દીદીને અંતિમ વિદાય આપવા શિવાજી પાર્ક પહોંચ્યા હતા. આ બધા સાથે, એક ભારત રત્ન બીજા ભારત રત્નને વિદાય આપવા આવ્યા હતા. ભારત રત્ન સચિન તેંડુલકર પણ લતા દીદીને શ્રદ્ધાંજલિ આપવા શિવાજી પાર્ક પહોંચ્યા હતા. લતા દીદી કહેતા કે જો તેમને દીકરો હોત તો તે સચિન જેવો હોત. સચિન પણ લતા દીદીને મા કહીને બોલાવતા હતા. લતા દીદીના નિધન પર ભારત સરકારે બે દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. મહારાષ્ટ્ર સરકારે સોમવારે રજા જાહેર કરી છે.

8 જાન્યુઆરીના રોજ, લતા દીદીને કોવિડ હોવાનું નિદાન થતાં મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ 28 દિવસથી વધુ સમય સુધી હોસ્પિટલમાં રહ્યા. આ દરમિયાન તેમને ન્યુમોનિયા પણ થયો હતો. આ પછી તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. આ દરમિયાન તબીબોએ પણ તેમની તબિયતમાં સુધારા વિશે જણાવ્યું હતું.

28 જાન્યુઆરીએ તેમને વેન્ટિલેટર પરથી દૂર કરવામાં આવ્યા હતા. પરંતુ 5 ફેબ્રુઆરીએ તેમની તબિયત ફરી બગડતાં તેમને ફરીથી વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. આખરે આજે (રવિવાર, 6 ફેબ્રુઆરી) સવારે તેમના ડૉક્ટર પ્રતિત સમદાનીએ દેશને ખૂબ જ દુઃખદ સમાચાર સંભળાવ્યા કે શરીરના ઘણા અંગો બગડવાને કારણે લતા દીદીનું સવારે 8:12 વાગ્યે નિધન થયું.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

PM મોદી લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ આપવા મુંબઈના શિવાજી પાર્ક પહોંચ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી લતા દીદીને શ્રદ્ધાંજલિ આપવા મુંબઈના શિવાજી પાર્ક પહોંચ્યા. મંગેશકર પરિવારને મળીને તેમણે પરિવારને સાંત્વના આપી હતી. વડાપ્રધાન પછી, મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે, રાજ ઠાકરે, શરદ પવાર, સુપ્રિયા સુલે, સચિન તેંડુલકર, શ્રદ્ધા કપૂર, શાહરૂખ ખાન, આમિર ખાન, જાવેદ અખ્તર વગેરેએ લતા દીદીને અંતિમ વિદાય આપી.

ભારત સરકાર દ્વારા બે દિવસનો રાષ્ટ્રીય શોક, મહારાષ્ટ્રમાં સોમવારે જાહેર રજા

આ દરમિયાન, ભારત સરકારે દેશમાં બે દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. મહારાષ્ટ્ર સરકારે લતા દીદીની યાદમાં રજા જાહેર કરી છે. લતા દીદીને શ્રદ્ધાંજલિ આપતાં મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, ‘લતા દીદીનું નિધન એ સ્વર યુગનો અંત છે. અમારા માથેથી માતૃ તુલ્ય આશીર્વાદ ચાલ્યો ગયો.

 

આ પણ વાંચો :  ભારત રત્ન લતા મંગેશકરે દુનિયાને કહ્યુ અલવિદા, ઉદ્યોગ જગતે કંઈક આ રીતે આપી શ્રદ્ધાંજલિ

Next Article