સુશાંતસિંહ રાજપૂત આત્મહત્યા કેસ: ઝડપી તપાસ કરવા માટે IPS અધિકારી વિનય તિવારીને મુંબઈ મોકલવામાં આવ્યા

|

Sep 21, 2020 | 12:56 PM

બોલિવુડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની સંદિગ્ધ મોતથી સંબંધિત પટનામાં દાખલ FIR પર તપાસ કરવા મુંબઈ ગયેલી બિહાર પોલીસને મુંબઈ પોલીસ પાસેથી સહયોગ ના મળવાના આરોપની વચ્ચે બિહાર પોલીસ મુખ્યાલયે એક મોટો નિર્ણય લીધો છે. ઝડપી તપાસ કરવા માટે પટનાથી ભારતીય પોલીસ સેવાના સીનિયર અધિકારી વિનય તિવારીને મુંબઈ મોકલવામાં આવ્યા છે. Web Stories View more શું ફોન […]

સુશાંતસિંહ રાજપૂત આત્મહત્યા કેસ: ઝડપી તપાસ કરવા માટે IPS અધિકારી વિનય તિવારીને મુંબઈ મોકલવામાં આવ્યા

Follow us on

બોલિવુડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની સંદિગ્ધ મોતથી સંબંધિત પટનામાં દાખલ FIR પર તપાસ કરવા મુંબઈ ગયેલી બિહાર પોલીસને મુંબઈ પોલીસ પાસેથી સહયોગ ના મળવાના આરોપની વચ્ચે બિહાર પોલીસ મુખ્યાલયે એક મોટો નિર્ણય લીધો છે. ઝડપી તપાસ કરવા માટે પટનાથી ભારતીય પોલીસ સેવાના સીનિયર અધિકારી વિનય તિવારીને મુંબઈ મોકલવામાં આવ્યા છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

બિહાર પોલીસ મહાનિર્દેશક ગુપ્તેશ્વર પાંડેએ જણાવ્યું કે પટના નગર પોલીસ અધિક્ષક વિનય તિવારીને મુંબઈ મોકલવામાં આવ્યા છે. તેમને કહ્યું કે હાલમાં એક અધિકારીને મોકલવામાં આવ્યા છે અને આગળ જરૂર પડશે તો અન્ય વરિષ્ઠ અધિકારીઓને પણ મોકલવામાં આવશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

આ પહેલા બિહારથી મુંબઈ ગયેલી 4 સભ્યની ટીમને મુંબઈ પોલીસની મદદ ના મળવાનો આરોપ લાગ્યો છે. પોલીસ મુખ્યાલયનું કહેવું છે કે ઘણા મુદ્દાઓમાં મુંબઈ પોલીસ પાસેથી કોઈ સહયોગ મળી રહ્યો નથી. તેથી પટનાના નગર પોલીસ અધિક્ષકને મુંબઈ મોકલવામાં આવી રહ્યા છે. જેનાથી સુશાંતસિંહના સુસાઈડ મામલે મુંબઈમાં તપાસ કરી રહેલી બિહાર પોલીસની ટીમને થોડી મદદ મળી શકે. પોલીસ મહાનિર્દેશક પાંડેએ મીડિયા સાથે વાતચીત કરતાં કહ્યું કે સુશાંત સિંહ આત્મહત્યા કેસને લઈ બિહાર પોલીસ સત્ય સામે લાવશે. પટનાના રહેવાસી સુશાંતસિંહની બોડી તેમના મુંબઈના બાંદ્રામાં સ્થિત ફ્લેટમાં 14 જૂને મળ્યો હતો. ત્યારબાદ આ કેસની તપાસ મુંબઈ પોલીસ કરી રહી હતી.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 1:24 pm, Sun, 2 August 20

Next Article