સાયરસ મિસ્ત્રી અકસ્માત કેસમાં મર્સિડીઝને પુછાયા છ વેધક સવાલ : એરબેગ્સ કેમ ન ખુલી ?

પાલઘરના(Palghar ) એસપી બાલાસાહેબ પાટીલે મર્સિડીઝ ટીમ પાસેથી આવા 6 સવાલોના જવાબ માંગ્યા છે. મર્સિડીઝના રિપોર્ટમાં ટૂંક સમયમાં મોટા ખુલાસા થઈ શકે છે.

સાયરસ મિસ્ત્રી અકસ્માત કેસમાં મર્સિડીઝને પુછાયા છ વેધક સવાલ : એરબેગ્સ કેમ ન ખુલી ?
Cyrus mistry accident
| Edited By: | Updated on: Sep 06, 2022 | 8:39 AM

ટાટા (Tata )ગ્રુપના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીના મર્સિડીઝ અકસ્માતમાં મૃત્યુના બીજા દિવસે સોમવારે ટેકનિકલ અને એન્જિનિયરિંગ ટીમે કારનું વિશ્લેષણ કર્યું હતું. આ દરમિયાન ટીમની સામે અનેક સવાલો ઉભા થયા હતા. જેમ કે એરબેગ્સ કેમ ન ખૂલી?, શું કોઈ ટેકનિકલ ખામી હતી, બ્રેક ફ્લુઈડ કેટલું હતું, ટાયરનું દબાણ શું હતું? પાલઘરના એસપી બાલાસાહેબ પાટીલે મર્સિડીઝ ટીમ પાસેથી આવા 6 સવાલોના જવાબ માંગ્યા છે. મર્સિડીઝના રિપોર્ટમાં ટૂંક સમયમાં મોટા ખુલાસા થઈ શકે છે.

તમને જણાવી દઈએ કે સાયરસ મિસ્ત્રીએ મુંબઈને અડીને આવેલા પાલઘરમાં રોડ અકસ્માતમાં જીવ ગુમાવ્યો હતો. તે ગુજરાતના ઉદવાડામાં બનેલા પારસી મંદિરમાંથી પરત ફરી રહ્યો હતો. ત્યારબાદ મિસ્ત્રીની કાર પાલઘર પાસે રોડ ડિવાઈડર સાથે અથડાઈ હતી, જેમાં મિસ્ત્રી અને તેના મિત્રનું મોત થયું હતું. અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું છે કે મર્સિડીઝ લગભગ 134 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી રહી હતી. ઘટનાસ્થળની નજીક લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયેલા કારના છેલ્લા વીડિયો ફૂટેજ પરથી આ વાત સામે આવી છે.

પ્રારંભિક માહિતી મુજબ, વધુ ઝડપ અને નિર્ણયની ભૂલને કારણે કાર અકસ્માત સર્જાયો હતો. બંને મૃતકોએ સીટ બેલ્ટ પહેર્યા ન હતા. ચરોટી ચેકપોસ્ટ પર સીસીટીવી કેમેરા દ્વારા કેપ્ચર કરાયેલા ફૂટેજનું વિશ્લેષણ કરતી વખતે, પાલઘર પોલીસને જાણવા મળ્યું કે કાર બપોરે 2.21 વાગ્યે ચેકપોસ્ટને પાર કરી ગઈ હતી અને અકસ્માત 20 કિમી આગળ (મુંબઈની દિશામાં) થયો હતો.  આ બતાવે છે કે કારે માત્ર નવ મિનિટમાં 20 કિમી નું અંતર કાપ્યું હતું,અકસ્માત સૂર્યા નદીના પુલ પર બપોરે 2.30 વાગ્યે થયો હતો.

જોકે કારની આટલી મોટી કંપનીમાં આ ભૂલ કેવી રીતે હોય શકે છે, તેના પર પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે, ત્યારે હવે મર્સિડીઝ કંપની દ્વારા આ બાબતે શું જવાબ આપવામાં આવે છે, તેના પર સૌથી નજર છે.