Ganesh Utsavના સાતમા દિવસે મુંબઈના લોકોમાં દેખાયો ઉત્સાહ, વિસર્જન કરવામાં આવી 15 હજારથી વધારે મૂર્તિઓ

|

Sep 17, 2021 | 10:25 PM

મીડિયાના અહેવાલ અનુસાર ગુરુવારે મુંબઈમાં વિસર્જિત કરવામાં આવી 15,295 મૂર્તિઓમાંથી 6,818 મૂર્તિઓ કૃત્રિમ તળાવોમાં વિસર્જિત કરવામાં આવી હતી.

Ganesh Utsavના સાતમા દિવસે મુંબઈના લોકોમાં દેખાયો ઉત્સાહ, વિસર્જન કરવામાં આવી 15 હજારથી વધારે મૂર્તિઓ
મુંબઈમાં હજારો મૂર્તિઓનું વિસર્જન થયું.

Follow us on

કોરોના હોવા છતાં ગણપતિ ઉત્સવને લઈને લોકોનો ઉત્સાહ ઓછો થયો નથી. તહેવારના સાતમા દિવસે સમગ્ર મુંબઈ (Mumbai Ganesh Utsav)માં દરિયા, તળાવો અને તળાવોમાં ગૌરી દેવીની 213 મૂર્તિઓ સહિત ઓછામાં ઓછી 15,295 મૂર્તિઓનું વિસર્જન (Idols Immersion) કરવામાં આવ્યું હતું. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)એ શુક્રવારે આ માહિતી આપી.

 

બીએમસીના અધિકારીના જણાવ્યા અનુસાર ગુરુવારે ગણેશ ઉત્સવના સાતમા દિવસે વિસર્જન દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના નોંધાઈ ન હતી.  ગુરુવારે વિસર્જિત 15,295 મૂર્તિઓમાંથી 6,818 કૃત્રિમ તળાવોમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. કુદરતી જળાશયોમાં ભીડને ટાળવા માટે સમગ્ર શહેરમાં કૃત્રિમ તળાવો બનાવવામાં આવ્યા હતા.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

 

કોરોનાને કારણે તહેવાર સાદગી સાથે ઉજવવામાં આવી રહ્યો છે

અગાઉ, ગણપતિ ઉત્સવના બીજા અને પાંચમા દિવસે અનુક્રમે 41,000 અને 66,000 મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. કોવિડ 19 મહામારીને કારણે 10 દિવસનો ગણપતિ ઉત્સવ આ વખતે સાદગીથી ઉજવવામાં આવી રહ્યો છે. મુંબઈમાં ગણેશ ઉત્સવને ધ્યાનમાં રાખીને કલમ 144 (Sec 144 Imposed) લાગુ કરવામાં આવી છે.

 

19 સપ્ટેમ્બર સુધી કલમ 144 લાગુ કરાઈ

10 સપ્ટેમ્બરથી 19 સપ્ટેમ્બર સુધી મહાનગરમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. આ નિર્ણય મુંબઈ પોલીસે લીધો છે. કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકાર ગણેશ ઉત્સવ પ્રસંગે કોઈ પણ પ્રકારની બેદરકારી દાખવવા માંગતી નથી. આ જ કારણ છે કે ગણપતિ ઉત્સવ દરમિયાન કલમ 144 લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

 

બાપ્પાના ભક્તો દર્શન માટે પંડાલમાં જઈ શક્શે નહીં

મુંબઈ પોલીસ (Mumbai Police) દ્વારા જાહેર કરાયેલા આદેશ અનુસાર ગણેશ ઉત્સવ નિમિત્તે શહેરભરમાં 500થી વધુ લોકોના એકઠા થવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આ સાથે બાપ્પાના ભક્તો દર્શન માટે પંડાલમાં જઈ શકશે નહીં અને કોઈપણ મોટા મેળાવડા (Big Public Gathering Ban) પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

 

ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીની બીજી લહેર સમયે ભારતની પરિસ્થિતી ખૂબ જ વિકટ હતી. ઘણા રાજ્યોમાં ઓક્સિજનની અછત પણ સર્જાઈ હતી. આ ઉપરાંત મહારાષ્ટ્રમાં ગયા વર્ષે ગણપતિ ઉત્સવ બાદ જ કેસો વધવા લાગ્યા હતા અને સ્થિતી નિયંત્રણ બહાર ગઈ હતી. આ કારણે સરકાર આ વખતે પહેલેથી જ સાવધાની રાખી રહી છે અને આકરા નિર્ણયો લઈ રહી છે. સરકારનું કહેવું છે કે માણસોની જીંદગી વધારે કિમતી છે. વ્યક્તિ સલામત હશે તો તહેવારો આવતા વર્ષે પણ ઉજવી શકાશે.

 

આ પણ વાંચો :  ITR FILING :ઇન્કમટેક્સ રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર છે પરંતુ જો ટેક્સ જમા નહીં કરો તો લાગશે પેનલ્ટી , જાણો વિગતવાર

 

આ પણ વાંચો : Maharashtra: સચિન વાજેએ ED સામે કર્યો ખુલાસો, 10 DSPએ ટ્રાન્સફર ઓર્ડર રોકવા માટે અનિલ દેશમુખ અને અનિલ પરબને આપ્યા 40 કરોડ રૂપિયા

Next Article