Maharashtra: કોલ્હાપુર ઉત્તર વિધાનસભા બેઠક માટે પેટાચૂંટણીની તારીખ જાહેર, આ મહીનામાં યોજાશે ચૂંટણી

છેલ્લી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી દરમિયાન કોલ્હાપુર ઉત્તર વિધાનસભા ક્ષેત્રમાંથી કોંગ્રેસના ઉમેદવાર ચંદ્રકાંત જાધવ જીત્યા હતા. પરંતુ ડિસેમ્બર મહિનામાં તેમનું અચાનક અવસાન થયું. હવે આ વિસ્તાર માટે પેટાચૂંટણી યોજાઈ રહી છે.

Maharashtra: કોલ્હાપુર ઉત્તર વિધાનસભા બેઠક માટે પેટાચૂંટણીની તારીખ જાહેર, આ મહીનામાં યોજાશે ચૂંટણી
Election Commission (File Photo)
| Edited By: | Updated on: Mar 13, 2022 | 12:20 AM

પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામો આવતાની સાથે જ ચૂંટણી પંચે હવે પેટાચૂંટણીની તારીખ જાહેર કરી દીધી છે. કમિશને જાહેર કરેલી તારીખો અનુસાર, હવે મહારાષ્ટ્રમાં કોલ્હાપુર ઉત્તર વિધાનસભા મતવિસ્તારની પેટાચૂંટણી  (Kolhapur North Assembly Constituency in Maharashtra) માટે 12 એપ્રિલે મતદાન થશે. ચૂંટણી પંચ દ્વારા પેટાચૂંટણીની તારીખની જાહેરાત બાદ કોલ્હાપુરમાં ચૂંટણી સંબંધિત ઉત્સાહ વધી ગયો છે. ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ અનુસાર, ઉમેદવારી માટે અરજી 24 માર્ચથી શરૂ થશે. અરજી પાછી ખેંચવાનો છેલ્લો દિવસ 28 માર્ચ રહેશે. 12મી એપ્રિલે મતદાન થશે અને પરિણામ 16મી એપ્રિલે જાહેર થશે.

છેલ્લી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી દરમિયાન કોલ્હાપુર ઉત્તર વિધાનસભા ક્ષેત્રમાંથી કોંગ્રેસના ઉમેદવાર ચંદ્રકાંત જાધવ જીત્યા હતા. પરંતુ ડિસેમ્બર મહિનામાં તેમનું અવસાન થયું. જેના કારણે હવે કોલ્હાપુર ઉત્તર વિધાનસભા સીટ માટે 12 એપ્રિલે પેટાચૂંટણી યોજાઈ રહી છે.

પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, બિહાર અને મહારાષ્ટ્રની પેટાચૂંટણીની તારીખો

અઘાડી ચૂંટણી બિનહરીફ કરાવવા માંગતી હતી, પરંતુ ભાજપ ઉમેદવાર ઊભો રાખશે

કોલ્હાપુર ઉત્તર વિધાનસભા મતવિસ્તારના ઉમેદવાર ચંદ્રકાંત જાધવના અવસાન બાદ તેમની શ્રદ્ધાંજલિ સભામાં ગ્રામીણ વિકાસ મંત્રી હસન મુશ્રીફ અને પાલક મંત્રી સતેજ પાટીલે એવો અભિપ્રાય આપ્યો હતો કે ચંદ્રકાંત જાધવને સાચી શ્રદ્ધાંજલિ એ જ હશે કે અહીં પેટાચૂંટણી બિનહરીફ થાય. પરંતુ ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે સ્પષ્ટ કર્યું છે કે ભાજપ પોતાનો ઉમેદવાર ઉતારશે.

ભાજપ તરફથી પૂર્વ કોર્પોરેટર સત્યજીત કદમને ઉમેદવારી મળવાના સંકેતો છે. જિલ્લા અધ્યક્ષ રાહુલ ચિકોડે, કોલ્હાપુર દેવસ્થાન સમિતિના પૂર્વ પ્રમુખ મહેશ જાધવના નામ પણ ચર્ચામાં છે. ચંદ્રકાંત જાધવના પત્ની જયશ્રી ચંદ્રકાંત જાધવને કોંગ્રેસ તરફથી ઉમેદવારી મળે તેવી શક્યતા છે.

શિવસેના શું કરશે? હરીફાઈ બહુપક્ષીય હશે કે અઘાડીની એકતા જળવાઈ રહેશે?

ગત ચૂંટણીમાં હારેલા શિવસેનાના પૂર્વ ધારાસભ્ય રાજ્ય આયોજન બોર્ડના કાર્યકારી પ્રમુખ રાજેશ ક્ષીરસાગરની ઉમેદવારી માટે પણ પ્રયાસો ચાલુ છે. આવા સંજોગોમાં જોવાનું એ રહે છે કે મહા વિકાસ અઘાડી એકતા બતાવીને બે પક્ષો વચ્ચેની હરીફાઈને યથાવત રાખે છે કે પછી શિવસેના પોતાના ઉમેદવારો ઉભા કરીને સ્પર્ધાને બહુપક્ષીય બનાવે છે. આ દરમિયાન, આમ આદમી પાર્ટી, રઘુનાથદાદા પાટીલના ખેડૂત સંગઠન સાથે સંકળાયેલા બાલ નાઈક જેવા કેટલાક વધુ ઉમેદવારોએ પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે.

આ પણ વાંચો : Maharashtra: હવે દેવેન્દ્ર ફડણવીસ પોલીસ સ્ટેશન નહીં જાય, પરંતુ મુંબઈ પોલીસ તેમના ઘરે આવીને પૂછપરછ કરશે, ગૃહ વિભાગની બેઠકમાં લેવાયો નિર્ણય