ઉદ્ધવ જી, તમને મરચા લાગે તો હુ શુ કરું ? ફડણવીસે, ઠાકરે અને શરદ પવારને સંભળાવી દિધું

મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં એક કાર્યક્રમમાં બોલતા મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ઉદ્ધવ ઠાકરેને મરચાં લાગે તો, કાચનું ઘર, હાડપિંજરથી લઈને અનેક વાતો સંભળાવી દીધી.

ઉદ્ધવ જી, તમને મરચા લાગે તો હુ શુ કરું ? ફડણવીસે, ઠાકરે અને શરદ પવારને સંભળાવી દિધું
Devendra Fadnavis (file photo)
| Edited By: | Updated on: Jun 25, 2023 | 11:45 PM

મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં, નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે હિંમત બતાવી અને ઉદ્ધવ ઠાકરેથી લઈને શરદ પવાર સુધી બધાને ખુલ્લંખુલ્લુ સંભળાવ્યું. મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં એક કાર્યક્રમમાં બોલતા ફડણવીસે ઉદ્ધવ ઠાકરેને મરચા લાગે તો, કાચનું ઘર, હાડપિંજર અને ન છોડવાની વાત કરી હતી, જ્યારે બીજી બાજુ તેમણે શરદ પવાર ઉપર પણ સીધુ નિશાન સાધ્યું હતું.

શરદ પવારને સંભળાવતા, દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, જ્યારે તેમણે 40 ધારાસભ્યો સાથે બળવો કર્યો અને વસંત દાદા પાટીલની સરકારને ઉથલાવી દીધી, ત્યારે તેમણે તેને મુત્સદ્દીગીરી ગણાવી. હવે તમે શિંદેને કેવી રીતે બેઈમાન કહો છો. મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં એક કાર્યક્રમ દરમિયાન દેવેન્દ્ર ફડણવીસે પહેલીવાર ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર પર આટલી મોટી વાત કહી છે.

‘ઉદ્ધવ ઠાકરે હું કાચના ઘરમાં નથી રહેતો’

નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું, ગઈ કાલે જ્યારે મેં કુટુંબલક્ષી પાર્ટી બાબતે કહ્યું ત્યારે ઉદ્ધવજીને મરચા લાગ્યા. ઉદ્ધવજી, જો તમને મરચા લાગે તો મારે શું કરવું જોઈએ. પહેલા તેઓ મને મુખ્યમંત્રીના મુદ્દે કહેતા હતા, હવે ગઈકાલે મારી પત્ની પર આવી ગયા છે. ઉદ્ધવ ઠાકરે હું કાચના ઘરમાં નથી રહેતો, તમે કાચના ઘરમાં રહો છો અને જે કાચના ઘરમાં રહે છે તે બીજાના ઘર પર પથ્થર નથી ફેંકતા.

ઠાકરેને ફડણવીસનો ખુલ્લો પડકાર

દેવેન્દ્ર ફડણવીસે આગળ કહ્યું, અરે, મારી તમને ખુલ્લી ચેલેન્જ છે કે હુ રહુ, મારો પરિવાર રહે, જો તમારી પાસે કંઈ હોય તો સામે લાવો, ખુલ્લેઆમ બતાવો અને બધાને કહો. પરંતુ ધ્યાનમાં રાખો કે દેવેન્દ્ર ફડણવીસ કોઈના મામલામાં નથી પડતા. અને જો તે પડે, તો પછી તેને છોડતો નથી. ધ્યાનમાં રાખો કે, જેમના કબાટમાં હાડપિંજર રાખવામાં આવે છે તેમને શાહુકારો વિશે વાત કરવાનો કોઈ અર્થ નથી. હાડપિંજર ચોક્કસપણે બહાર આવશે, બહાર કાઢીને રહેશે.

દેવેન્દ્ર ફડણવીસે ખુલ્લેઆમ શરદ પવારને પણ લપેટી લીધા

આ સિવાય દેવેન્દ્ર ફડણવીસે આજે ખુલ્લેઆમ શરદ પવાર ઉપર પણ શાબ્દિક પ્રહારો કર્યા હતા. તેમને 1978માં કોંગ્રેસના 40 ધારાસભ્યો સાથે બળવો કરીને વસંત દાદા પાટીલની સરકારને તોડી પાડવાની યાદ અપાવી હતી. દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, મને નવાઈ લાગે છે કે સરકાર આવ્યા પછી સેનાના લોકોએ બેઈમાની કરી, બેઈમાની કરી કહેવાનું શરૂ કર્યું, પરંતુ જ્યારે NCPના લોકોએ બેઈમાની કરી બેઈમાની કરી તેમ કહેવાનું શરૂ કર્યું ત્યારે મને આશ્ચર્ય થયું. કોઈ તો એક ગાના હૈ..તુમ કરો તો રાસલીલા હૈ મેં કરુ તો કેરેકટર ઢીલા હૈ. આવી સ્થિતિ છે.

પવારે મુત્સદ્દીગીરી કરી અને શિંદેએ બેઈમાની કરી

દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, 1978માં જ્યારે શરદ પવારે વસંતદાદા પાટીલની સરકારમાંથી 40 ધારાસભ્ય મંત્રીઓને લઈને સરકાર સામે બળવો કર્યો હતો અને ત્યાર બાદ ભાજપ સાથે 2 વર્ષ સુધી સરકાર ચલાવી હતી. જો ઈન્દિરા ગાંધીએ તેમને બરતરફ ન કર્યો હોત તો તે 5 વર્ષ સુધી ચાલુ રહેત. એવો સવાલ ઉઠાવતા દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે તે સમયે મને કહો કે પવારે ડિપ્લોમસી કરી અને શિંદેએ બેઈમાની કરી, આ રીતે કેવી રીતે ચાલશે.

મહારાષ્ટ્રના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો