બોમ્બે હાઈકોર્ટે નવનીત રાણા અને તેના પતિની બીજી FIR રદ કરવાની માગને નકારી, મુંબઈ સેશન્સ કોર્ટ આવતીકાલે જામીન અરજી પર કરશે સુનાવણી

|

Apr 25, 2022 | 6:38 PM

બોમ્બે હાઈકોર્ટે (Mumbai High Court) આદેશ આપ્યો છે કે રાણા દંપતી સામે કોઈપણ કાર્યવાહી કરતા પહેલા તેમને 72 કલાક અગાઉ જાણ કરવામાં આવે. પરંતુ કોર્ટે રાણા દંપતીની માંગને ફગાવી દીધી હતી કે તેમની સામે બે અલગ-અલગ એફઆઈઆર રદ કરવામાં આવે.

બોમ્બે હાઈકોર્ટે નવનીત રાણા અને તેના પતિની બીજી FIR રદ કરવાની માગને નકારી, મુંબઈ સેશન્સ કોર્ટ આવતીકાલે જામીન અરજી પર કરશે સુનાવણી
Image Credit source: PTI

Follow us on

બોમ્બે હાઈકોર્ટે સાંસદ નવનીત રાણા (Navneet Rana) અને તેમના ધારાસભ્ય પતિ રવિ રાણાની બે અલગ-અલગ એફઆઈઆર રદ કરવાની અરજીને ફગાવી દીધી છે, જેમણે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાન ‘માતોશ્રી’ની બહાર હનુમાન ચાલીસાના (Hanuman Chalisa) પાઠ કરવાનો આગ્રહ કર્યો હતો. એટલે કે રાણા દંપતીને રાજદ્રોહના કેસમાંથી રાહત મળી નથી. રાણા દંપતીની જામીન અરજી પર આવતીકાલે મુંબઈ સેશન્સ કોર્ટમાં (Mumbai High Court) સુનાવણી થવાની છે. બાંદ્રાની હોલિડે કોર્ટે રવિવારે 14 દિવસ માટે ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. રાણા દંપતીએ તેમની સામે નોંધાયેલી FIR રદ કરવા માટે મુંબઈ હાઈકોર્ટમાં અરજી કરી હતી.

તેમણે પોતાની અરજીમાં દાવો કર્યો હતો કે તેમને ખોટા કેસમાં ફસાવવામાં આવ્યા છે. આ અરજી પર આજે (25 એપ્રિલ, સોમવાર) મુંબઈ હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. મુંબઈ હાઈકોર્ટે રાણા દંપતીની માગને ફગાવી દીધી હતી કે એક જ એફઆઈઆરમાં તમામ કલમો લગાવવામાં આવે.

રાણા દંપતીએ કહ્યું હતું કે તેમની સામે નોંધાયેલ બીજી એફઆઈઆર અને 124-A હેઠળનો કેસ રદ થવો જોઈએ. કોર્ટે કહ્યું કે બંને કેસ અલગ-અલગ ચલાવી શકાય છે. પહેલો કેસ ઉશ્કેરણીજનક ભાષણ અને સમાજમાં તણાવ પેદા કરવા સાથે સંબંધિત છે અને બીજો કેસ રાજદ્રોહ સાથે સંબંધિત છે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?

મુંબઈ હાઈકોર્ટે રાણા દંપતીને 353 હેઠળના કેસમાં રાહત આપી છે. પરંતુ કોર્ટે બાદમાં દાખલ કરાયેલી બીજી એફઆઈઆરને રદ કરવાની માંગને ફગાવી દીધી હતી. બીજી FIR રાણા દંપતી પર કલમ ​​124-A હેઠળ નોંધવામાં આવી હતી. આ અંતર્ગત તેમની સામે દેશદ્રોહનો કેસ નોંધવામાં આવ્યો છે. જો કે કોર્ટે રાહત આપી છે કે તેમની સામે ધરપકડની કાર્યવાહી કરવામાં આવશે તેના 72 કલાક પહેલા તેમને જાણ કરવામાં આવશે.

કોર્ટે સ્પષ્ટ કર્યું કે એકસાથે બે અલગ-અલગ એફઆઈઆર નોંધવામાં કંઈ ખોટું નથી. હાલમાં નવનીત રાણાને મુંબઈની ભાયખલા જેલમાં અને રવિ રાણાને નવી મુંબઈની તલોજા જેલમાં રાખવામાં આવ્યા છે. હવે આવતીકાલે મુંબઈ સેશન્સ કોર્ટમાં તેની જામીન અરજી પર સુનાવણી છે.

મુંબઈ હાઈકોર્ટે નવનીત રાણાને ઠપકો આપ્યો

બોમ્બે હાઈકોર્ટે આજે સુનાવણી દરમિયાન જાહેર સ્થળે હનુમાન ચાલીસાનો પાઠ કરવાનો આગ્રહ રાખવા બદલ નવનીત રાણાને ઠપકો પણ આપ્યો છે. કોર્ટે કહ્યું કે તે જનપ્રતિનિધિ છે. જેના કારણે તેમને કેટલાક વિશેષાધિકારો મળ્યા છે. તેઓએ તેમના અધિકારોની સાથે જવાબદારી પણ સમજવી જોઈએ.

રાણા દંપતિના વકીલની કોર્ટમાં દલીલો આ મુજબ છે

રાણા દંપતીના વકીલ રિઝવાન મર્ચન્ટે કોર્ટમાં પોતાની દલીલ આપતા કહ્યું કે રાણા દંપતીને અગાઉ 149 હેઠળ નોટિસ આપવામાં આવી હતી. આ નોટિસ હેઠળ તેમને ઘર છોડવાની મનાઈ ફરમાવવામાં આવી હતી. રાણા દંપતિએ આ સૂચનાનું પાલન કર્યું અને ઘર છોડીને માતોશ્રી તરફ ગયા નહીં તેમ છતાં રાણા દંપતી સામે અગાઉ 153-A હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. આ પછી, મહારાષ્ટ્ર પોલીસ એક્ટ સંબંધિત કલમ 353, 34, 37 (1), 135 લાગુ કરવામાં આવી હતી.

બાદમાં 124-A હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. એટલે કે બાદમાં તેમની સામે રાજદ્રોહનો કેસ નોંધવામાં આવ્યો હતો. આના પર રાણાના વકીલ રિઝવાન મર્ચન્ટે વાંધો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે રાણા દંપતીને એક પછી એક અલગ-અલગ કેસમાં ફસાવવામાં આવી રહ્યા છે જેથી એક કેસમાં તેમને જામીન મળે અને બીજા કેસમાં તેમને કસ્ટડીમાં રાખી શકાય. આ બોગસ કેસ છે.

સરકારી વકીલે કોર્ટમાં આ દલીલ કરી હતી

રાણા દંપતીની અરજી પર સુનાવણી દરમિયાન સરકારી વકીલ પ્રદીપ ઘરતે તેમની દલીલમાં જણાવ્યું હતું કે શરૂઆતમાં 124-A લાગુ કરવામાં આવી ન હતી કારણ કે તપાસ અને પૂછપરછ બાકી હતી. બંને કિસ્સા અલગ-અલગ છે. આથી અલગ કેસ નોંધવામાં આવ્યો હતો. ઉશ્કેરણીજનક ભાષણ અને સમાજમાં તણાવ પેદા કરવાનો પ્રયાસ અલગ બાબત છે, સરકારી કામમાં અવરોધ ઉભો કરવો તે અલગ બાબત છે અને રાજદ્રોહ અલગ બાબત છે. આથી અલગ-અલગ કેસ નોંધવામાં આવ્યા છે.

પ્રદીપ ઘરતે કહ્યું કે નવનીત રાણાએ પોલીસ ટીમ સાથે દલીલ કરી, પોલીસ સ્ટેશન આવવાની ના પાડી, પોલીસ પર દબાણ લાવવાનો પ્રયાસ કર્યો. રાણા દંપતીએ હનુમાન ચાલીસાના પાઠના નામે સરકારને પડકારવાનું ષડયંત્ર રચ્યું હતું. તમને જણાવી દઈએ કે રાણા દંપતીની મુંબઈ ખાર પોલીસે શનિવારે ધરપકડ કરી હતી. રવિવારે બંનેને બાંદ્રા હોલીડે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે તેમને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા છે.

આ પણ વાંચો: Heat Wave: હવામાન વિભાગની આગાહી, રાજ્યમાં આગામી પાંચ દિવસમાં વધશે ગરમીનો પારો

આ પણ વાંચો: Russia Ukraine War: રશિયાના બ્રાંસ્કમાં યુક્રેનની જબરદસ્ત કાર્યવાહી, મિસાઈલ હુમલો કરીને ઓઈલ ડેપોને ઉડાવ્યા

Next Article