સોનુ સૂદની બિલ્ડીંગ પર BMC નહીં ચલાવી શકે હથોડા, 13 જાન્યુઆરી સુધી મુંબઈ HCએ આપી રાહત

|

Jan 11, 2021 | 10:10 PM

સોનુ સૂદને 13 જાન્યુઆરી સુધી વચગાળાની રાહત અપાઈ છે. આ રાહત સોનુ સૂદની બિલ્ડીંગ પર બીએમસીની કાર્યવાહીને લઈને અપાઈ છે. હવે બીએમસી 13 જાન્યુઆરી સુધી સોનુ સૂદની બિલ્ડીંગમાં તોડફોડ નહીં કરી શકે.

સોનુ સૂદની બિલ્ડીંગ પર BMC નહીં ચલાવી શકે હથોડા, 13 જાન્યુઆરી સુધી મુંબઈ HCએ આપી રાહત
Sonu Sood (File Image)

Follow us on

સોનુ સૂદને 13 જાન્યુઆરી સુધી વચગાળાની રાહત અપાઈ છે. આ રાહત સોનુ સૂદની બિલ્ડીંગ પર બીએમસીની કાર્યવાહીને લઈને અપાઈ છે. હવે બીએમસી 13 જાન્યુઆરી સુધી સોનુ સૂદની બિલ્ડીંગમાં તોડફોડ નહીં કરી શકે. સોનુ સૂદને બીએમસી દ્વારા નોટિસ પાઠવવામાં આવી હતી. દિંડોશી સિટી સિવિલ કોર્ટે આ નોટિસ સામે સોનુની અરજી નામંજૂર કરી હતી. આ જ નિર્ણય સામે સોનુ સૂદે બોમ્બે હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. બીએમસીએ સોનુ સૂદના રહેણાંક મકાન અંગે બે નોટિસ ફટકારી હતી. જેમાં એક નોટિસ ગેરકાયદેસર બાંધકામ સાથે સંકળાયેલી હતી. તે જ સમયે બીજી સૂચના બિલ્ડિંગના ‘ઉપયોગના હેતુ’ (વપરાશકર્તાના પરિવર્તન) બદલવા વિશે હતી.

 

બીએમસી તરફથી હાજર વકીલ અનિલ સાખરેએ દલીલ કરી હતી કે “નોટિસ સામે સોનુ સૂદની અરજીને ફગાવી, નીચલી કોર્ટે હાઈકોર્ટમાં જવા માટે ત્રણ અઠવાડિયાનો સમય આપ્યો હતો. આ સમય શનિવારે સમાપ્ત થયો. અંતિમ ઘડીએ કોર્ટ પહોંચ્યા બાદ રાહત માંગવામાં આવી હતી.” સાખરેએ એમ પણ કહ્યું હતું કે BMCને યોગ્ય રીતે નોટિસ અપાઈ નથી. સાખરેએ જણાવ્યું હતું કે શનિવાર, રવિવારે મ્યુનિસિપલ કચેરીઓ બંધ છે. અખબારો અને ટેલિવિઝન દ્વારા અમને ખબર પડી કે આ મામલાની આજે (સોમવારે) સુનાવણી થવાની છે.” સાખેરેના જણાવ્યા અનુસાર તેમની ટીમ હજી સુધી તમામ દસ્તાવેજો તૈયાર કરી શકી નથી. જેથી કોર્ટને ખાતરી આપી શકાય કે સોનુને મોકલેલી નોટિસ કાયદેસર રીતે યોગ્ય કેમ છે.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

શું કહ્યું સોનુના વકીલે?

આ કેસમાં સોનુ વતી એડવોકેટ અમોગસિંહે તોડફોડનું કામકાજ અટકાવવા BMC પાસે રક્ષણ માંગ્યું હતું. સિંહના જણાવ્યા મુજબ, એક્સ ફેસીસનો ઓર્ડર અમાન્ય છે. સિંહે કહ્યું, ‘બીએમસી દ્વારા નોટિસ ફટકારવામાં આવી હતી અને અમે તેનો જવાબ આપ્યો હતો. આ માટે સ્પીકીંગ ઓર્ડર નથી અને નીચલી અદાલતે કહ્યું કે સ્પીકીંગ ઓર્ડર જરૂરી નથી. જ્યારે કોર્ટના આવા ઘણા આદેશો છે જે જણાવે છે કે આ આદેશ હોવો જોઈએ.” સિંહે વધુમાં કહ્યું કે, “2018 માં સોનુ સૂદે ‘ચેન્જ ઓફર યુઝર’ માટે બીએમસીને અરજી કરી હતી જે હજી બાકી છે. તેણે તેના પર કોઈ આદેશ આપ્યો ન હતો અને તે દરમિયાન અમને નોટિસ મોકલવાનું શરૂ કર્યું. જ્યાં સુધી આ એપ્લિકેશન બાકી છે, ત્યાં સુધી તેઓ કાર્યવાહી કરી શકશે નહીં.”

બીએમસીના વકીલે કહ્યું કે “સોનુ સૂદે છ માળના રહેણાંક મકાનને હોટેલમાં ફેરવ્યુ છે. જે હોટેલ ચલાવવા માટે કોઈ લાઈસન્સ નથી. આ બિલ્ડિંગમાં 24 ઓરડાઓ છે. ફ્લેટ્સને હોટલના રૂમમાં પરિવર્તિત કરવામાં આવ્યા છે. એક એવી એપ્સ છે કે જે સૂદની હોટલ સહિત મુંબઈની હોટલોની લીસ્ટ બતાવે છે. “ન્યાયાધીશ પૃથ્વીરાજ ચવ્હાણે સૂદના વકીલ સિંહને પૂછ્યું – હોટલ ચાલે છે? આ અંગે બીએમસીના વકીલ સાખરેએ કહ્યું – “હા, તે પરવાનગી વગર ચાલે છે.” જ્યારે સોનુ સૂદના વકીલ સિંહે કહ્યું, “આ એક રહેણાંક હોટલ છે. અમે લાઈસન્સ માટે અરજી કરી છે. અહીં કોઈ હોટલમાં સામાન્ય રોકાણ કરતા લાંબા સમય સુધી રહી શકે છે. તે કોઈ શયનગૃહ નથી. તે ભાડાના એપાર્ટમેન્ટ જેવું છે. પરંતુ કોર્ટ સમક્ષ આ મુદ્દો નથી.”

 

સિંહના આ જવાબ પર કોર્ટે એક સ્વરમાં કહ્યું, “પરંતુ કોર્ટ તમને કોઈ પ્રશ્ન પૂછી શકે છે અને તમારે જવાબ આપવાની જરૂર છે. મુદ્દો એ છે કે વ્યક્તિએ સ્વચ્છ હાથથી કોર્ટમાં આવવું જોઈએ. જો આ કેસ ન હોય તો તમારે પરિણામ ભોગવવા પડશે. દેખીતી રીતે પ્રશ્નો પૂછવામાં આવશે.” સુદના વકીલ સિંહે કોર્ટના સવાલનો જવાબ આપ્યા પછી ભારપૂર્વક જણાવ્યું હતું કે, એવું ના થવું જોઈએ કે BMC ડિમોલિશન માટે કાર્યવાહી કરે. બીએમસીએ એક નિવેદન આપવું જોઈએ કે તેઓ ડિમોલિશન નહીં કરે.”

 

આ પણ વાંચો: સ્નાતક લોકો માટે બેક ઓફીસમાં કામ કરવાની તક, 4.25 લાખ સુધીનો મળશે પગાર

Next Article