INS Ranvir Explosion: મુંબઈ નેવલ ડોકયાર્ડ ખાતે INS રણવીરમાં બ્લાસ્ટ, 3 નૌસૈનિકો શહીદ અને 11 ઘાયલ

|

Jan 19, 2022 | 12:10 AM

સૂત્રોના જણાવ્યા અનુસાર વિસ્ફોટમાં ઈજા પામેલા 11 નૌસૈનિકોની સ્થાનિક નેવી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તો બીજી બાજુ શહીદ થયેલા નૌકાદળના જવાનોની ઓળખ હજુ સુધી કરી શકાઈ નથી.  આ મામલે બોર્ડ ઓફ ઈન્કવાયરીનો આદેશ આપવામાં આવ્યો છે.

INS Ranvir Explosion: મુંબઈ નેવલ ડોકયાર્ડ ખાતે INS રણવીરમાં બ્લાસ્ટ, 3 નૌસૈનિકો શહીદ અને 11 ઘાયલ
Blast in INS Ranvir (File Photo)

Follow us on

મુંબઈમાં ભારતીય નેવી ડોકયાર્ડમાં યુદ્ધ જહાજ  આઈએનએસ રણવીરમાં (Warship INS Ranvir) થયેલા વિસ્ફોટમાં 3 નૌસૈનિકો શહીદ થયા છે. સૂત્રોના જણાવ્યાનુસાર આ ઘટનામાં કેટલાક નૌસૈનિકો ઘાયલ થયા છે. નૌસેનાએ ( Indian Navy) આઈએનએસ રણવીરમાં થયેલા વિસ્ફોટ અંગે તપાસ કરવાના આપ્યા આદેશ.

મંગળવારે મુંબઈમાં ભારતીય નેવી ડોકયાર્ડમાં (Navy Dockyard) યુદ્ધ જહાજ INS રણવીરના (Warship INS Ranvir) આંતરિક ભાગમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં જહાજ પર તૈનાત નૌકાદળના ત્રણ જવાન શહીદ થયા છે અને અનેક જવાનો ઘાયલ થયા છે. જો કે, વિસ્ફોટ પછી તરત જ આગને કાબૂમાં લેવામાં આવી હતી, જેના કારણે જહાજને વધુ નુકસાન થયું ન હતું.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

યુદ્ધ જહાજ INS રણવીરમાં થયેલ વિસ્ફોટની ઘટના બાદ તરત જ બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. જહાજના ક્રૂ મેમ્બરોએ તરત જ પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. યુદ્ધ જહાજ INS રણવીરને વધારે નુકસાન થયું ન હતું.

મીડિયા અહેવાલો અનુસાર, ઈસ્ટર્ન નેવલ કમાન્ડમાં આઈએનએસ રણવીર નવેમ્બર 2021 થી દરિયાકાંઠાના વિસ્તારમાં ઓપરેશનલ તૈનાત પર હતું અને જ્યારે વિસ્ફોટ થયો ત્યારે તરત જ તે દરિયાકિનારે પરત આવવાનું હતું. આ મામલે બોર્ડ ઓફ ઈન્કવાયરીનો આદેશ આપવામાં આવ્યો છે. જહાજને કોઈ નુકસાન થયું હોવાના અહેવાલ નથી.

સૂત્રોના જણાવ્યા અનુસાર વિસ્ફોટમાં ઈજા પામેલા 11 નૌસૈનિકોની સ્થાનિક નેવી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તો બીજી બાજુ શહીદ થયેલા નૌકાદળના જવાનોની ઓળખ હજુ સુધી કરી શકાઈ નથી. 

આ પણ વાંચોઃ

Bombay High Court: 1996માં બાળ હત્યાના આરોપી સીમા અને રેણુકાની ફાંસી રદ્દ, બોમ્બે હાઈકોર્ટે ફાંસીની સજાને આજીવન કેદમાં બદલી

આ પણ વાંચોઃ

Maharashtra: ભાજપ નેતા રામકદમે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ નાના પટોલે પર FIR દાખલ કરવાની કરી માંગ, PM મોદી પર આપ્યું હતું વિવાદાસ્પદ નિવેદન

Published On - 9:32 pm, Tue, 18 January 22

Next Article