Beer ની બોટલ માત્ર લીલા અને ભૂરા રંંગની કેમ હોય છે ? જાણો કારણ

|

Dec 15, 2023 | 11:33 AM

તમે તમારા જીવનમાં ઘણી વખત બીયરની બોટલ જોઈ હશે. ભલે તમે બિયર (Beer) ન પીતા હો, પરંતુ તમે તેને જીવનમાં કોઈને કોઈ તબક્કે અથવા ફિલ્મોમાં જોઈ જ હશે. પરંતુ શું તમે ક્યારેય નોંધ્યું છે કે શા માટે તેની બોટલ હંમેશા લીલા અથવા ભુરા રંગમાં હોય છે.

Beer ની બોટલ માત્ર લીલા અને ભૂરા રંંગની કેમ હોય છે ? જાણો કારણ
Beer

Follow us on

આલ્કોહોલ (Alcohol) નું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક છે. તેના સેવનથી માણસને અનેક પ્રકારની બીમારીઓ પોતાની ચપેટમાં લે છે. પરંતુ તેમ છતાં લોકો દારૂનું સેવન કરે છે. દારૂમાં પણ કોઈને રમ ગમે છે તો કોઈને વ્હિસ્કીનો શોખ. કોઈને બીયર (Beer) ગમે છે. આજે અમે તમને આલ્કોહોલ સંબંધિત એક ફની સવાલ પૂછવા જઈ રહ્યા છીએ. જો તમે આલ્કોહોલનું સેવન ન કરતા હોવ તો પણ તમે નોંધ્યું હશે કે બિયરની બોટલ હંમેશા લીલા અથવા ભૂરા રંગની હોય છે. પરંતુ શું તમે ક્યારેય આનું કારણ જાણવાનો પ્રયાસ કર્યો છે ?

તાજેતર એવું બહાર આવ્યું છે કે દારૂ પીનારા એકસો લોકોમાંથી એંસી લોકોને બીયર ગમે છે. લોકો બીયર પીવે છે પરંતુ ભાગ્યે જ કોઈએ નોંધ્યું હશે કે તેની બોટલ હંમેશા ગ્રીન કે બ્રાઉન હોય છે. આનું કારણ શું છે ? બીયરને ક્યારેય સફેદ કે અન્ય કોઈ રંગની બોટલમાં કેમ પેક કરવામાં આવતી નથી ? આજે અમે તમને આ સવાલનો જવાબ જણાવવા જઈ રહ્યા છીએ.

રમ, વ્હિસ્કી, વોડકા, બીયર, બ્રાન્ડી, વાઇન અને શેમ્પેઈન વચ્ચે શું તફાવત છે ? જાણો ક્યા દેશમાં ક્યા પ્રકારનો બને છે દારૂ

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

અન્ય રંગીન બોટલોથી નુકસાન

બીયરની બોટલ લીલી કે ભૂરા થઈ જવા પાછળ એક ખાસ કારણ છે. મળતી માહિતી મુજબ ઘણા વર્ષો પહેલા ઈજિપ્તમાં બિયરની બોટલો બનાવવામાં આવતી હતી. અહીં પહેલા બિયર બનાવવામાં આવતી અને પારદર્શક બોટલમાં સર્વ કરવામાં આવતી હતી. આ સમય દરમિયાન, બિયર ઉત્પાદકોએ જોયું કે જ્યારે આ પારદર્શક બોટલોમાં સૂર્યપ્રકાશ પડે છે, ત્યારે પ્રકાશમાં હાજર અલ્ટ્રા વાયોલેટ કિરણોને કારણે અંદર એસિડ ઝડપથી પ્રતિક્રિયા આપે છે. જેના કારણે બિયર પીવાથી અનેક ગેરફાયદા થવા લાગી અને લોકો તેનાથી અંતર બનાવવા લાગ્યા. જેના કારણે બિયર કંપનીઓને ભારે નુકસાન થવા લાગ્યું.

શું શરાબની પણ એક્સપાયરી ડેટ હોય છે ? આજે તમને આ સવાલનો જવાબ મળશે, વાંચો આ સમગ્ર અહેવાલ

આવો ઉકેલ મળ્યો

જ્યારે બીયર કંપનીઓને તકલીફ થવા લાગી ત્યારે તેમણે આ સમસ્યાને ઉકેલવા માટે ઘણા પગલાં લીધા. પરંતુ કોઈપણ પગલાં અસરકારક સાબિત થયા નથી. આવી સ્થિતિમાં, તેણે તેની બોટલો પર ભૂરા રંગના કોટ્સ આપવાનું શરૂ કર્યું. આ ઉપાય કામ આવ્યો. બ્રાઉન બોટલોમાં રાખેલી બીયર બગડી ન હતી. એટલે કે, આ રંગને કારણે, સૂર્યપ્રકાશ બોટલમાં રહેલા પ્રવાહી સુધી પહોંચી શકતો નથી. પરંતુ આના થોડા સમય બાદ જ્યારે બીજું વિશ્વયુદ્ધ થયું ત્યારે બીયર કંપનીઓની સામે બીજી સમસ્યા આવી. તે સમયે ભૂરા રંગની બોટલોનો દુકાળ હતો. આ રંગની બોટલો મળતી બંધ થઈ ગઈ. આવી સ્થિતિમાં ફરીથી નવા રંગની બોટલ બનાવવી પડી. બ્રાઉન સિવાય સૂર્યનો કિરણ લીલો રંગ બિયર સુધી પહોંચવા દેતો ન હતો. તેથી જ તેની પસંદગી કરવામાં આવી હતી. ત્યારથી, બીયરની બોટલ ફક્ત લીલા અને ભૂરા રંગમાં જ ઉપલબ્ધ છે.

Published On - 4:00 pm, Tue, 14 June 22

Next Article