સસ્તા પેકેજમાં ધાર્મિક સ્થળોની મુલાકાત લો, IRCTC આ ખાસ સુવિધાઓ આપી રહ્યું છે

|

Mar 10, 2023 | 1:13 PM

IRCTC Tour Package : IRCTC એ આધ્યાત્મિક પ્રવાસન સ્થળોની મુલાકાત લેવા માંગતા લોકો માટે દિલ્હીથી વૃંદાવન વાયા જયપુર સુધીનું સૌથી સસ્તું વેકેશન પેકેજ રજૂ કર્યું છે.

સસ્તા પેકેજમાં ધાર્મિક સ્થળોની મુલાકાત લો, IRCTC આ ખાસ સુવિધાઓ આપી રહ્યું છે

Follow us on

જો તમે ધાર્મિક સ્થળોની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો, તો IRCTC તમારા માટે ખાસ ઑફર લઈને આવ્યું છે. જેના દ્વારા તમે સસ્તા પેકેજમાં મથુરા-વૃંદાવનના ધાર્મિક સ્થળોનો આનંદ માણી શકો છો. IRCTC એ ધાર્મિક સ્થળોની મુલાકાત લેવા માંગતા લોકો માટે દિલ્હીથી વૃંદાવન વાયા જયપુર સુધીનું સૌથી સસ્તું પેકેજ વેકેશન પેકેજ રજૂ કર્યું છે. આ વેકેશન પેકેજ 23મી માર્ચથી શરૂ થશે અને 5 રાત અને 6 દિવસ સુધી ચાલશે. આ IRCTC પેકેજની કિંમત માત્ર 29,855 રૂપિયા છે.

 

આજનું રાશિફળ તારીખ : 17-04-2025
Mongoose vs Snake : સાપ નોળિયાને કેમ હરાવી શકતો નથી? આ 5 કારણો છે
Train Historic Journey : ભારતની પહેલી ટ્રેનમાં કેટલા લોકોએ મુસાફરી કરી હતી?
Gold Price Prediction : એલર્ટ, 1,25,000 ને પર જશે સોનાનો ભાવ ! જાણો કારણ
ઝહીર ખાન-સાગરિકા ઘાટગેના દીકરાના નામનો અર્થ શું છે?
જયા કિશોરીએ કહી મહાભારતની આ 3 વાત, જે શીખી લેશો તો ક્યારેય હારશો નહીં..

 

 

આ પેકેજ હેઠળની યાત્રા દિલ્હીથી શરૂ થશે અને જયપુર, આગ્રા, મથુરા થઈને આગળ વધશે અને છેલ્લે અંતિમ સ્થળ તરીકે વૃંદાવનમાં સમાપ્ત થશે. તમારી આ યાત્રામાં હવા મહેલ, આમેરનો કિલ્લો, ફતેહપુર સીકરી, શ્રી કૃષ્ણ જન્મભૂમિ મંદિર, બાંકે બિહારી મંદિર અને અન્ય ઘણી જગ્યાઓ શામેલ હશે. બે દિવસની દિલ્હીથી જયપુરની યાત્રામાં મોટાભાગના પ્રવાસન સ્થળોની મુલાકાત લેવામાં આવશે. યાત્રીઓ જયપુર ગયા બાદ ત્રીજા દિવસે આગ્રા પહોંચશે. તે પછી, તીર્થયાત્રીઓ મથુરામાં અનેક મંદિરોની મુલાકાત લઈને તેમની આધ્યાત્મિક યાત્રા ચાલુ રાખશે.

આ પણ વાંચો : Tour Package : IRCTC સાથે ઇજિપ્તની મુસાફરી કરો, તમારે આટલા જ પૈસા ખર્ચવા પડશે

 આ પેકેજમાં શામેલ વસ્તુઓ

આ IRCTC પેકેજમાં રાયપુર-દિલ્હી-રાયપુર આગળ અને પરત હવાઈ ભાડું સામેલ છે. આ સાથે 5 રાતનું ભોજન અને 5 દિવસનો નાસ્તો પણ ઉપલબ્ધ છે. કાર્યક્રમ અનુસાર, ખાનગી વાહનો પણ ફરવા માટે ઉપલબ્ધ રહેશે.

આ પણ વાંચો :IRCTC Package: મનાલીની વાદીઓમાં મનાવો હનીમૂન , IRCTC લાવ્યું સસ્તામાં ટુર પેકેજ કે જે Honeymoonને બનાવશે યાદગાર

આ મથુરા-વૃંદાવન ટૂર પેકેજની કિંમતો છે

IRCTC પેકેજની કિંમત તારીખોના આધારે બદલાય છે. જ્યારે આ પેકેજમાં દિલ્હીથી રાયપુર સુધીનું હવાઈ ભાડું સામેલ છે, ત્યારે મુસાફરો તેમની પસંદગીના આધારે જોવાલાયક સ્થળોનો પ્રવાસ કરવા માટે એસી સેડાન વાહન, એસી ઈનોવા અથવા એસી ટેમ્પો પ્રવાસી પસંદ કરી શકે છે. વ્યક્તિ દીઠનું ભાડું રૂ. 25,000 થી રૂ. 59,000 સુધીનું છે. વધુ જાણવા માટે, તમે IRCTCની સત્તાવાર વેબસાઇટ irctctourism.com પર જઈ શકો છો.