Married Life : શા માટે લોકો તેમના લગ્ન જીવનમાં ખુશ નથી, આ 5 વસ્તુઓ છે કારણ

Married Life : ભારતનું નામ દુનિયાના તે દેશોની યાદીમાં સામેલ છે, જ્યાં લગ્ન લાંબા સમય સુધી ચાલે છે. પરંતુ એવા ઘણા લોકો છે જેઓ તેમના લગ્ન જીવનમાં ખુશ નથી.

| Edited By: | Updated on: Feb 02, 2023 | 2:08 PM

Married Life : લગ્ન એ ખૂબ જ પવિત્ર બંધન છે. તેને જીવનભરનો સાથી માનવામાં આવે છે. જેઓ આ બંધન જાળવી રાખે છે તેમની ખૂબ પ્રશંસા થાય છે. જેઓ લગ્ન તોડવાની વાત કરે છે તેમને ખોટા દ્રષ્ટિકોણથી જોવામાં આવે છે. કદાચ આ જ કારણ છે કે કેટલાક લોકો સમાજના ટોણા અને દુનિયાની વાતોથી બચવા માટે ન ઇચ્છવા છતા લગ્નજીવન જાળવી રાખે છે. ઘણા એવા કપલ છે જેઓ તેમના લગ્ન જીવનમાં ખુશ નથી છતાં પણ આ બંધનને જાળવી રાખવામાં માને છે. ચાલો જાણીએ આવું કેમ થાય છે.

એકલા રહેવાનો ડર

ઘણા લોકો એકલા રહેવાના ડરથી લગ્ન સમાપ્ત કરવા માંગતા નથી. તેમને લાગે છે કે સિંગલ લાઈફ આનાથી પણ ખરાબ હોઈ શકે છે.ખાસ કરીને મહિલાઓ એકલા રહેવાથી ડરે છે. એટલા માટે તે સંબંધોમાં સમાધાન કરવાનું વધુ સારું માને છે. સાથે જ લગ્નજીવનમાં આર્થિક સુરક્ષા અને સ્થિરતા પણ લગ્ન ન તૂટવાનું મુખ્ય કારણ છે.

ફાઇનાન્સ

અસંતુષ્ટ લગ્નજીવનમાં રહેવું કે નહીં – આ માટે નાણાં ખુબ મોટી ભૂમિકા ભજવે છે. કેટલાક યુગલો એવું માને છે કે છૂટાછેડા તેમની નાણાકીય સંપત્તિ એકને બદલે બે પરિવારો વચ્ચે વિભાજિત કરશે. જો કે, ઘણી વખત આવી પરિસ્થિતિ એવા લોકો માટે શક્ય નથી હોતી જેઓ પહેલેથી જ કેટલીક લોન ચૂકવી રહ્યા છે.

કંમ્ફર્ટેબિલિટી

આપણે ઘણીવાર એવી વસ્તુને વળગી રહીએ છીએ જે આપણે જાણીએ છીએ કે આપણા માટે ખરાબ હોઈ શકે છે. દાંપત્ય જીવનમાં આ બાબત ઘણીવાર કપલની લડાઈનું કારણ બની જાય છે. યુગલોએ તેમના માટે અનુકૂળ હોય પરંતુ સંબંધોમાં તિરાડ ઊભી કરી શકે તેવી કોઈપણ વસ્તુ છોડી દેવી જોઈએ.

સમાધાન

કેટલીકવાર યુગલો નાખુશ હોવા છતાં પણ સાથે રહેવાની આશા રાખતા હોય છે. જો કોઈ કપલ વચ્ચે મતભેદ હોય તો તેઓ પોતાના પાર્ટનરને તેમની ખુશીની પરવા કર્યા વગર મનાવવાનો પ્રયાસ કરે છે. ઘણી વખત પ્રયાસ કરવા છતાં પણ જો તેમનો પાર્ટનર સહમત ન થાય તો તેઓ દોષિત લાગે છે.

સામાજિક અને ધાર્મિક પ્રતિબંધો

ભલે કોઈ કપલ એકબીજાથી ખુશ ન હોય, પરંતુ આ પછી પણ તેઓ છૂટાછેડા કે અલગ થઈ શકતા નથી. કેટલાક લોકોનું માનવું છે કે છુટાછેડા માટે સમાજ કે ધર્મ મંજૂરી આપતો નથી. અને ન ઇચ્છતા હોવા છતા તે ખરાબ લગ્નજીવન ચલાવ્યા રાખે છે.

(આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. TV9 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ તેને અનુસરો.)

Published On - 2:05 pm, Thu, 2 February 23