ભારત (India) વિવિધતામાં એકતાનો દેશ છે. જ્યાં તમને તમામ પ્રકારના લોકો તેમની વિવિધ સંસ્કૃતિ, રિવાજો વગેરે જોવા મળે છે. ભારતમાં ઘણા ધર્મોનું સંયોજન છે જે એકસાથે આ દેશને બિનસાંપ્રદાયિક બનાવે છે. ભારતમાં પ્રવાસન સ્થળોની કોઈ કમી નથી. ભારતના પ્રવાસન સ્થળો જોઈને તમે મંત્રમુગ્ધ થઈ જશો. જ્યાં એક બાજુ રંગબેરંગી ખીણો હશે અને બીજી બાજુ દરિયાના ઊંચા ઉછળતા મોજાં હશે. ક્યાંક આકાશને સ્પર્શતા પર્વતો દેખાશે અને ક્યાંક ખીલેલા બગીચાઓ છે.
આવો જાણીએ ભારતના 5 લોકપ્રિય સાંસ્કૃતિક સ્થળ વિષે.
અમૃતસર
અમૃતસર શહેર શીખ સંસ્કૃતિનું કેન્દ્ર છે. અહીં સૌથી વધુ લોકપ્રિય પ્રવાસન સ્થળો છે ગોલ્ડન ટેમ્પલ, જલિયાંવાલા બાગ અને વાઘા બોર્ડર. તમે સુવર્ણ મંદિર જેવા પવિત્ર સ્થળ પર માનસિક શાંતિનો અનુભવ કરી શકો છો. બીજી બાજુ વાઘા બોર્ડર તમને હવામાં ઉર્જાનો અનુભવ કરાવશે અને તમને ઠંડક આપશે. આ સિવાય શહેરના ભોજન, સ્વાદિષ્ટ લસ્સી, અમૃતસરી માછલી, છોલે ભટુરે, અને સુવર્ણ મંદિર લંગરમાં શહેરની સંસ્કૃતિ સ્પષ્ટ દેખાય છે.
લખનૌ-
જો તમે હિન્દુ-મુસ્લિમ સંસ્કૃતિના સંપૂર્ણ જોડાણના વારસાનો અનુભવ કરવા માંગતા હોવ તો નવાબોના શહેર તરીકે જાણીતા લખનૌની અવશ્ય મુલાકાત લો. આ શહેરની કલા અને સાહિત્ય શબ્દોની બહાર છે. લખનૌનું સ્થાપત્ય દિલ્હી સલ્તનત, મોગલ, નવાબો તેમજ અંગ્રેજોથી ખૂબ પ્રભાવિત થયું છે. અધિકૃત મુઘલ ભોજન ઉત્તમ છે. જ્યારે તમે લખનૌમાં હોય ત્યારે, તમારે બડા ઇમામબારા, રૂમી દરવાજા, બ્રિટિશ રેસિડેન્સી પરિસર અને વધુ પ્રખ્યાત સ્થળોની મુલાકાત લેવી જોઈએ.
રાજસ્થાન
રાજસ્થાન રાજ્ય જે સંસ્કૃતિથી ભરપૂર છે, તેનો અનુભવ કરવા માટે તમારે અહીં વારંવાર મુલાકાત લેવી પડશે. ડ્રેસિંગ સેન્સથી લઈને ઘરોના રંગો અને ઉજ્જડ રણ સુધી, આ રાજ્યમાં અનુભવ કરવા માટે ઘણી મહાન વસ્તુઓ છે. અહીં તમે ઐતિહાસિક મહેલો અને કિલ્લાઓ જોઈ શકો છો. તમે રાજસ્થાનના ધાબામાં દાલ બાટી ચુરમાનો આનંદ માણી શકો છો.
મૈસુર
કર્ણાટકમાં સ્થિત મૈસુરને કર્ણાટકની સાંસ્કૃતિક રાજધાની તરીકે ઓળખાય છે. મૈસુરમાં તમે મૈસુર પેલેસ, લલિતા મહેલ અને ચામુંડી હિલટોપ મંદિરની મુલાકાત લેવી આવશ્યક છે. વિજયનગર સામ્રાજ્યનું વાસ્તુકલા ચાલુક્ય, હોયસલા,પંડયા અને ચોલા શૈલીઓનું જીવંત મિશ્રણ છે. આ સિવાય દશેરા દરમિયાન મૈસુરની મુલાકાત લેવાની સલાહ આપવામાં આવે છે.
કોલકાતા :
આ રાજ્યમાં મળતી મીઠાઈઓથી દરેક વ્યક્તિ વાકેફ છે. કોલકાતાને તેના સાંસ્કૃતિક ઇતિહાસને કારણે ઘણી વખત ભારતની સાંસ્કૃતિક રાજધાની માનવામાં આવે છે. ભારે બ્રિટીશ પ્રભાવ સિવાય આ શહેર તેના સમૃદ્ધ સાહિત્ય માટે પણ જાણીતું છે. જ્યારે તમે કોલકાતામાં હોય ત્યારે વિક્ટોરિયા મેમોરિયલ, સાયન્સ સિટી, હાવડા બ્રિજ અને અન્ય ઘણી જગ્યાઓની મુલાકાત અવશ્ય લો. શહેર ગમે ત્યારે મુલાકાત લેવા માટે એક સુંદર સ્થળ છે, જો કે, કોલકાતામાં દુર્ગા પૂજા એક એવો અનુભવ છે જે તમે ક્યારેય નહીં ભૂલો.
આ પણ વાંચો : Saffron Water Benefits : કેસરના પાણીના છે અઢળક ફાયદા, નિયમિત રીતે પીવાથી અનેક બીમારીઓ થશે દૂર
આ પણ વાંચો :Corona Vaccination : પ્રથમ ડોઝમાં 100 ટકા રસીકરણ કરનારું પ્રથમ રાજ્ય બન્યું હિમાચલ પ્રદેશ