Breaking News : ભારતીયોને નેપાળમાં સાવધાની રાખવા અપીલ, ભારત સરકારે જાહેર કરી એડવાયઝરી, પરિસ્થિતિ પર રાખી રહ્યુ છે નજર

નેપાળમાં હાલમાં હિંસા ફાટી નીકળી છે. ઓલી સરકાર વિરુદ્ધ Gen Z વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.  વિદ્યાર્થીઓ સતત બીજા દિવસે વિરોધ કરી રહ્યા છે. આ દરમિયાન, ભારતે એક એડવાયઝરી જાહેર કરી છે. વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલી એડવાયઝરીમાં, તેના નાગરિકોને નેપાળ વહીવટીતંત્ર દ્વારા આપવામાં આવેલી સૂચનાઓ અને માર્ગદર્શિકાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે.

Breaking News : ભારતીયોને નેપાળમાં સાવધાની રાખવા અપીલ, ભારત સરકારે જાહેર કરી એડવાયઝરી, પરિસ્થિતિ પર રાખી રહ્યુ છે નજર
| Updated on: Sep 09, 2025 | 3:10 PM

નેપાળમાં હાલમાં હિંસા ફાટી નીકળી છે. ઓલી સરકાર વિરુદ્ધ Gen Z વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.  વિદ્યાર્થીઓ સતત બીજા દિવસે વિરોધ કરી રહ્યા છે. આ દરમિયાન, ભારતે એક એડવાયઝરી જાહેર કરી છે. વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલી એડવાયઝરીમાં, તેના નાગરિકોને નેપાળ વહીવટીતંત્ર દ્વારા આપવામાં આવેલી સૂચનાઓ અને માર્ગદર્શિકાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે. આ સાથે, નેપાળમાં વિરોધ દરમિયાન માર્યા ગયેલા યુવાનો પર દુ:ખ વ્યક્ત કરવામાં આવ્યું છે.

આ સમયે નેપાળમાં હિંસક અથડામણો જોવા મળી રહી છે. યુવાનો ઓલી સરકાર સામે વિરોધ કરી રહ્યા છે. ઉપરાંત, આ પ્રદર્શનમાં અત્યાર સુધીમાં 21 લોકોનાં મોત નીપજ્યાં છે. આ પછી, મંગળવારે, ભારતે નેપાળની પરિસ્થિતિ અંગે એક એડવાયઝરી જાહેર કરી છે. સોશિયલ મીડિયા પર પ્રતિબંધ અંગે થયેલી હિંસક અથડામણો પછી, ભારતે નેપાળમાં રહેતા તેના તમામ નાગરિકોને સલામતી માટે અપીલ કરી છે.

મંગળવારે જાહેર કરાયેલા એક નિવેદનમાં, વિદેશ મંત્રાલયે તમામ ભારતીય નાગરિકોને સાવચેત રહેવા અને નેપાળ વહીવટીતંત્ર દ્વારા આપવામાં આવેલી સૂચનાઓ અને માર્ગદર્શિકાનું પાલન કરવાની અપીલ કરી છે.

ભારતે એડવાઈઝરી જાહેર કરી

તે જ સમયે, ભારતે નેપાળમાં વિરોધ પ્રદર્શન દરમિયાન માર્યા ગયેલા યુવાનો પ્રત્યે દુ:ખ વ્યક્ત કર્યું છે. પીડિત પરિવારો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરવામાં આવી છે. વિદેશ મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું છે કે, અમે સોમવારથી નેપાળમાં બનેલી ઘટનાઓ પર નજર રાખી રહ્યા છીએ અને ઘણા યુવાનોના મોતથી ખૂબ દુઃખી છીએ. અમારી સંવેદનાઓ મૃતકોના પરિવારો સાથે છે. અમે ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની પણ ઇચ્છા રાખીએ છીએ. નજીકના મિત્ર અને પાડોશી તરીકે, અમે આશા રાખીએ છીએ કે તમામ સંબંધિત પક્ષો સંયમ રાખે અને શાંતિ અને વાતચીત દ્વારા કોઈપણ સમસ્યાનું નિરાકરણ લાવે. ઉપરાંત, પરિસ્થિતિ અંગે, વિદેશ મંત્રાલયે કહ્યું કે, તમામ પક્ષોએ નેપાળમાં વર્તમાન પરિસ્થિતિનો ઉકેલ વાતચીત દ્વારા લાવવો જોઈએ.

નાગરિકોને સાવચેત રહેવાની અપીલ

તે જ સમયે, વિદેશ મંત્રાલયે ભારતીય નાગરિકોને સાવચેત રહેવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે, અમે એ પણ જોયું છે કે કાઠમંડુ અને નેપાળના અન્ય ઘણા શહેરોમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. નેપાળમાં રહેતા ભારતીય નાગરિકોને સાવચેત રહેવા અને નેપાળ વહીવટીતંત્ર દ્વારા જારી કરાયેલી સૂચનાઓ અને માર્ગદર્શિકાનું પાલન કરવા વિનંતી કરવામાં આવી છે.

21 લોકોના મોત

કાઠમંડુની શેરીઓમાં નીકળેલા લોકોમાં ઘણો ગુસ્સો જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા સાઇટ્સ પર પ્રતિબંધ લાદવામાં આવ્યા પછી આ વિરોધ શરૂ થયો હતો. પરંતુ, સરકારે પ્રતિબંધ હટાવી લીધો છે. આ પછી પણ વિરોધ ચાલુ છે. હવે લોકો કહે છે કે વિરોધ અટકવાનો નથી. હવે આ વિરોધ સોશિયલ મીડિયા સામે નહીં પરંતુ ભ્રષ્ટાચાર સામે છે.

નેપાળમાં, સોમવારે, 26 સોશિયલ મીડિયા સાઇટ્સ પર પ્રતિબંધથી ગુસ્સે ભરાયેલા 18 થી 30 વર્ષની વયના યુવાનોએ સરકાર પર હુમલો કર્યો. પરિસ્થિતિ એટલી વણસી ગઈ કે કર્ફ્યુ લાદવો પડ્યો. અત્યાર સુધીમાં 21 થી વધુ વિરોધીઓના મોત થયા છે. લગભગ 256 લોકો ઘાયલ થયા છે અને તેમની સારવાર ચાલી રહી છે.

14 વર્ષની ઉંમરે રાજકારણમાં પ્રવેશ, 14 વર્ષ જેલમાં રહ્યા આવો છે નેપાળના પીએમ કેપી શર્માનો પરિવાર

Published On - 2:17 pm, Tue, 9 September 25