Breaking News : લગ્નના થોડા કલાકોમાં હેલિકોપ્ટર ક્રેશ થતાં ભારતીય મૂળના પાયલટનું મોત, પત્ની ઈજાગ્રસ્ત

ડેવના પિતા જૉર્જે કહ્યું કે, જેસ્ની નિકળતા પહેલા અંદાજે 6 કલાક સુધી કાટમાળમાં ફસાયેલી હતી. તેમણે કહ્યું કે, જ્યારે તે ઉઠી તો તેમણે મારા દીકરા ડેવની પાસે ગઈ હતી. ત્યાં સુધી તેનું શરીર સંપૂર્ણ રીતે ઠંડુ થઈ ચૂક્યું હતુ.

Breaking News : લગ્નના થોડા કલાકોમાં હેલિકોપ્ટર ક્રેશ થતાં ભારતીય મૂળના પાયલટનું મોત, પત્ની ઈજાગ્રસ્ત
| Updated on: Jun 02, 2026 | 9:03 AM

જૉર્જિયામાં એક હેલિકોપ્ટર દુર્ઘટનામાં નવવિવાહિત યુવક સહિત 2 ભારતીય મૂળના વ્યક્તિઓના મૃત્યું થયા છે. મીડિયા રીપોર્ટ મુજબ શુક્રવારની સાંજે લગ્ન બાદ ડેવ ફિઝી અને તેની પત્ની જેસની રોબિન્સન આર66 હેલિકોપ્ટરમાં સવાર હતા. જેમાં નિખિલ નરગુંડકર ચલાવી રહ્યો હતો. તે ડેકાલ્બ-પીચટ્રી એરપોર્ટ પર જઈ રહ્યો હતો.

જોકે, ટેકઓફ કર્યાના થોડા સમય પછી, હેલિકોપ્ટર ખરાબ હવામાનને કારણે ક્રેશ થયું. ડોસનવિલેમાં એક લગ્ન સ્થળ નજીક થયેલા અકસ્માતમાં 26 વર્ષીય ડેવ અને 25 વર્ષીય નારગુંડકરનું મૃત્યુ થયું. 25 વર્ષીય જેસાની અકસ્માતમાં બચી ગઈ અને હાલમાં એટલાન્ટાની સ્થાનિક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

નવપરિણીત યુગલ ભારતીય મૂળનું હતું

અટલાંટા ન્યુઝ ફર્સ્ટની એક રિપોર્ટમાં હેલીકોપ્ટરના પાયલોટની ઓળખ નરગુંડકરના રુપમાં થઈ છે. જાણવા મળ્યું છે કે, નવપરિણીત યુગલ ભારતીય મૂળનું હતુ. જેના માતા-પિતા કેરળના રહેવાસી હતી. અટલાંટા ન્યુઝ ફર્સ્ટના રિપોર્ટ અનુસાર ડેવ ડેલ્ટા એરલાઈનમાં પાયલોટ પણ હતી. રિપોર્ટ મુજબ શુક્રવાર સાંજે ડોસનવિલેના ધ રેવરે હોટલમાં દંપત્તિના લગ્નમાં અંદાજે 400 લોકો સામેલ થયા હતા.ટેકઓફ કર્યાના થોડા સમય પછી, હેલિકોપ્ટર ખરાબ હવામાનને કારણે ક્રેશ થયું.

નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ આ અકસ્માતની તપાસ કરી રહ્યું છે

નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ આ અકસ્માતની તપાસ કરી રહ્યું છે અને હજુ સુધી તે નક્કી કરી શક્યું નથી કે હેલિકોપ્ટર ક્રેશ થવાનું કારણ શું હતું. જ્યોર્જે કહ્યું, “ઈશ્વરે અમને સુખી જીવન આપ્યું, અને થોડા કલાકોમાં બધું જ દુર્ઘટનામાં ફેરવાઈ ગયું. લગ્ન અંગે, જ્યોર્જે કહ્યું, “હું ફક્ત મારા દીકરાને જોઈ રહ્યો હતો, અને તે ખૂબ જ સુંદર દેખાતો હતો.” રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે યુવાન દંપતી દક્ષિણ કેરોલિના અને જ્યોર્જિયાના ચર્ચોમાં મળ્યા હતા.

જ્યોર્જે કહ્યું કે ડેવે ખરાબ હવામાન અને વરસાદને કારણે વિસ્તારમાં દૃશ્યતાને કારણે ફ્લાઇટ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. “મારો દીકરો પાઇલટ હોવાથી, તેણે પાઇલટને કહ્યું કે દૃશ્યતા શૂન્ય છે, અને જ્યારે દૃશ્યતા ઓછી હોય ત્યારે અમે ક્યારેય ઉડાન ભરતા નથી,” જ્યોર્જે કહ્યું. પાઇલટે કહ્યું હતું કે તેઓ વધુ ઊંચાઈએ ઉડાન ભરશે.

ભારત વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે. તેમાં એક રાજ્યકેરળ પણ આવેલું છે. જેની પાટનગર તિરુવનંતપુરમ (ત્રિવેન્દ્રમ) છે. વધુ સમાચાર માટે અહી ક્લિક કરો

Follow Us