ગુજરાતમાં પાલનપુરના લાલાવડા ખાતે અર્બુદા રજત જયંતિ મહોત્સવની ભવ્ય ઉજવણી થઈ રહી છે. બનાસકાંઠામાં મા અર્બુદા રજત જયંતિ મહોત્સવની ઉજવણીનો આજે બીજો દિવસ છે. આજે 108 સહસ્ત્ર ચંડી યજ્ઞનો પ્રારંભ થયો છે. બીજા દિવસે બે લાખથી વધુ લોકો યજ્ઞમાં હાજર રહે તેવી શક્યતા છે. ત્રિ દિવસીય અર્બુદા રજત જયંતિ મહોત્સવમાં લોકો ઉમટી રહ્યા છે.
મા અર્બુદાના મહોત્સવમાં 108 સહસ્ત્ર ચંડી યજ્ઞનો પ્રારંભ થયો છે. પ્રથમ દિવસે 1 લાખથી વધુ લોકોએ મહોત્સવમાં માતાજીના દર્શન કર્યા હતા અને ભોજન પ્રસાદનો લાભ લીધો હતો. 3 દિવસ ચાલનારા મહાયજ્ઞમાં 10 લાખ જેટલા લોકો ઉમટી પડશે. યજ્ઞમાં 551 બ્રાહ્મણો દ્વારા આહુતિ અપાશે. મહોત્સવ માટે સાત માળની યજ્ઞશાળા બનાવાઈ છે. મહાયજ્ઞમાં આજે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ પણ હાજરી આપશે.
દર્શનાર્થે આવતા લોકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે વ્યાપક વ્યવસ્થા ગોઠવાઈ છે. ભોજનના 8 કાઉન્ટર તૈયાર કરાયા છે. જેમાં એક સાથે 10 હજાર લોકો ભોજન લઈ શકશે. મહોત્સવમાં 25 હજાર જેટલા સ્વયંસેવકો ખડેપગે ફરજ બજાવી રહ્યા છે. આ મહોત્સવમાં ગુજરાત જ નહીં રાજસ્થાન, પંજાબ, દિલ્હી અને ઉત્તરપ્રદેશથી ચૌધરી સમાજના દર્શનાર્થીઓ ઉમટી પડશે.
પાલનપુરના લાલાવડા ખાતે અર્બુદા રજત જયંતિ મહોત્સવની ભવ્ય ઉજવણી થઈ રહી છે. મા અર્બુદાના મહોત્સવમાં 108 સહસ્ત્ર ચંડી યજ્ઞનો પ્રારંભ થયો છે. મહોત્સવ માટે સાત માળની યજ્ઞશાળા બનાવાઈ છે.મહાયજ્ઞમાં આવતીકાલે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ પણ હાજરી આપશે