દરેક વ્યક્તિ પોતાનું ઘર બનાવવાનું સપનું જુએ છે. માણસ ઘર બનાવવા માટે ખૂબ મહેનત કરે છે. ઘણી વખત વ્યક્તિ પોતાના સપનાનું ઘર બનાવવા અને શાંતિ મેળવવા માટે દેશના કોઈપણ ખૂણામાં જવા માટે તૈયાર હોય છે. પરંતુ શું તમે જાણો છો કે ભારતના આ રાજ્યોમાં બહારના લોકો ઘર બનાવી શકતા નથી કે જમીન ખરીદી શકતા નથી.
તમને જણાવી દઈએ કે ઘણા લોકો હિલ સ્ટેશનની મુલાકાત લેવાનું પસંદ કરે છે. કારણ કે હિલ સ્ટેશન પર જે શાંતિ મળે છે તે બીજે ક્યાંય જોવા મળતી નથી. હિમાચલ પ્રદેશ ભારતમાં તેના હિલ સ્ટેશન માટે ખૂબ ફેસ છે. પરંતુ અહીં બહારના લોકોને પ્રોપર્ટી ખરીદવાની છૂટ નથી. તમને જણાવી દઈએ કે 1972ના જમીન અધિનિયમની કલમ 118 અમલમાં આવી અને તેના અનુસાર હિમાચલ પ્રદેશમાં કોઈ પણ બિન-ખેડૂત અથવા બહારની વ્યક્તિ ખેતીની જમીન ખરીદી શકતા નથી
આ સિવાય તમે નાગાલેન્ડમાં જમીન ખરીદી શકતા નથી. કારણ કે વર્ષ 1963માં રાજ્યની રચના સાથે જ કલમ 371Aની જોગવાઈને વિશેષ અધિકાર આપવામાં આવ્યો હતો. જે મુજબ અહીં જમીન ખરીદવાની મંજૂરી નથી.
આ સિવાય સિક્કિમમાં બહારના લોકો જમીન ખરીદી શકતા નથી. સિક્કિમમાં માત્ર સિક્કિમના રહેવાસી જ જમીન ખરીદી શકે છે. ભારતના બંધારણની કલમ 371AF, જે સિક્કિમને વિશેષ જોગવાઈઓ પ્રદાન કરે છે, બહારના લોકોને જમીન અથવા મિલકતના વેચાણ અને ખરીદી પર પ્રતિબંધ છે.
તમને જણાવી દઈએ કે અરુણાચલ પ્રદેશ ભારતના પ્રખ્યાત પર્યટન સ્થળોમાંથી એક છે. પરંતુ આ જગ્યાએ પ્રોપર્ટી ખરીદવાની પણ મંજૂરી નથી. અહીં સરકારની મંજૂરી બાદ જ ખેતીની જમીન ટ્રાન્સફર કરવામાં આવે છે. આ જગ્યાઓ સિવાય મિઝોરમ, મેઘાલય અને મણિપુર પણ એવા રાજ્યો છે, જ્યાં પ્રોપર્ટી ખરીદવા સંબંધિત ઘણા કાયદા અને નિયમો છે. આ સિવાય ઉત્તર પૂર્વના રહેવાસીઓ પણ એકબીજાના રાજ્યમાં જમીન ખરીદી શકતા નથી.