
તુર્કીમાં સોમવારે આવેલા ભૂકંપને કારણે આજે 12 ફેબ્રુઆરી સુધીમાં 28 હજારથી વધારે લોકોમાં મોત થયા છે. આ ઘટનામાં 80 હજારથી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા છે. ભૂકંપ દરમિયાનના અને બાદના અનેક વીડિયો-ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યાં છે. કાટમાળમાંથી કલાકો બાદ પણ લોકો જીવતા બહાર આવી રહ્યાં છે. કેટલીક ખાસ વાતોનું ધ્યાન રાખવામાં આવે તો તમે પણ ભૂકંપ સમયે પોતાની સુરક્ષા કરી શકો છો. તેની સંપૂર્ણ માહિતી તમને આ અહેવાલમાં જાણવા મળશે.
ભૂકંપીય ગતિવિધીનો અભ્યાસ કરનાર સોલર સિસ્ટમ જીઓમેટ્રી સર્વેના સંશોધક ફ્રેન્ક હૂગરબીટ્સએ વિનાશક ભૂકંપના 3 દિવસ પહેલા ટ્વિટર પર ભવિષ્યવાણી કરી હતી કે આજે અથવા કાલે દક્ષિણ-મધ્ય તુર્કી, જોર્ડન, સીરિયા અને લેબનોન આસપાસના વિસ્તારમાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ આવશે અને પછી જે થયું તે આપણે સૌ જાણીએ છે. આજ વ્યક્તિએ ભારતમાં ભૂકંપને લઈને કેટલીક શક્યતાઓ વ્યક્ત કરી છે.
Dutch researcher @hogrbe who anticipated the quake in #Turkey and #Syria three days ago had also predicted seismic activity anticipating a large size earthquake originating in #Afghanistan, through #Pakistan and #India eventually terminating into the Indian Ocean. @AlkhidmatOrg pic.twitter.com/qdg4xxREGf
— Muhammad Ibrahim (@miqazi) February 6, 2023
ડચ સંશોધક ફ્રેન્ક હુગરબીટ્સે ભારત, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વિશે સમાન ભવિષ્યવાણી કરી હતી. ફ્રેન્ક હગરબીટ્સનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે અફઘાનિસ્તાનમાં મોટા ભૂકંપની ભવિષ્યવાણી કરતો જોવા મળી રહ્યો છે. ડચ સંશોધકનું અનુમાન છે કે ભૂકંપીય ગતિવિધી ભારત અને પાકિસ્તાનમાંથી પસાર થશે અને અંતે હિંદ મહાસાગરમાં સમાપ્ત થશે.
ગુજરાતમાં જાન્યુઆરી મહિનામાં પણ ભૂકંપના નાના-મોટા આંચકાઓ અનુભવાયા હતા. ફેબ્રુઆરીની શરુઆતથી જ ગુજરાતમાં સુરત, સૌરાષ્ટ્ર અને કચ્છના અલગ અલગ વિસ્તારમાં કુલ 10 વાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જો કાલે તમારા વિસ્તારમાં ભયાનક ભૂકંપ આવે તો તમે શું કરશો ? તુર્કીના આવેલા ભૂકંપ જેવી સ્થિતિ સર્જાશે, તો શું કરશો ? ભૂકંપ દરમિયાન અને ભૂકંપ બાદ શું કરશો ? ચાલો જાણીએ તેની વિશેની માહિતી વિગતવાર.