Pustak na pane thi: વીરાંગના ભગવતી: સાક્ષાત જગદંબા અને મા ભગવતીનું સ્વરુપ

અતિવ્યસ્ત જીવનમાં પુસ્તક વાંચન (Book Reading) ઘટતું જાય છે, ત્યારે જો દળદાર પુસ્તકો વાંચવાનો સમય ન હોય, અથવા તો તમે કોઈ ઘટના વિશે જાણવા માંગો છો તો અમે તમને નિયમિત કોઈ એક પુસ્તકનો આસ્વાદ ચખાડીશું.

Pustak na pane thi:  વીરાંગના ભગવતી: સાક્ષાત જગદંબા અને મા ભગવતીનું સ્વરુપ
| Edited By: | Updated on: Mar 15, 2023 | 7:33 PM

કોઈ રસપ્રદ ઘટના કે પુસ્તકમાંથી રજૂ થતી માહિતી આજના વ્યસ્ત સમયમાં ગાગરમાં સાગર સમાન છે. આજના અતિવ્યસ્ત જીવનમાં પુસ્તક વાંચનનો સમય ઘટતો જાય છે ત્યારે જો તમને દળદાર પુસ્તકો વાંચવાનો સમય ન હોય, અથવા તો તમે કોઈ ઘટના વિશેષ અંગે જાણવા માંગો છો તો અમે તમને નિયમિત કોઈ એક પુસ્તકનો આસ્વાદ ચખાડીશું. પુસ્તકના પાનેથી સિરીઝમાં તમે રાજકીય, સાહિત્યિક કે મનોરંજન જગતની ઘટના કે વ્યક્તિ વિશેષ અંગે નજીવા સમયમાં માહિતી મેળવી શકશો.

 

પુસ્તકના પાનેથીની  આ નવી સીરીઝમાં તમે ભારતીય ઇતિહાસની  મહિલા વીરાંગનાઓ વિશે જાણી શકશો. તો આજે જાણીએ ભારતીય વિરાંગનાઓ પુસ્તકમાં આપેલી વિગતો કે  વિરાંગના ભગવતી એટલા બહાદુર હતા કે તેઓ જાણે સાક્ષાત જગદંબા અને ભગવતીનું સ્વરપ હોય તેવાલાગતા હતા.

 

અગાઉ તમે  વીરમતી વિશે જાણ્યું. વીરમતી  એવા સાહસિક મહિલા હતા જેમણે રાજા સામે વફાદારીનો ભંગ કરવા બદલ મંગેતર ઉપર પણ તલવાર ચલાવી દીધી હતી.  રાજા રામદેવની સેનામાં ઘણા મરાઠા સૈનિકો હતા.આમાના જ એક સૈનિકના  દીકરી  વીરમતી હતા.  તેમણે તેમના મંગેતર કૃષ્ણરાવ ઉપર રાજા સાથેની વફાદારી તોડવા બદલ તલવાર ચલાવી દીધી હતી.

 

આપણે હાડી રાની વિશે પણ જાણ્યું હતું. હાડી રાણીને આજની પેઢી ભાગ્યે જ ઓળખતી હશે. તેઓ  વીર મહિલા અને કુશલ  રાજનીતિજ્ઞ હતા. રાજા જ્યારે ઔરંગઝેબ સામે લડત આપતા ઇજાગ્રસ્ત થઈને પરત આવ્યા ત્યારે હાડી રાણીએ કિલ્લાના  દરવાજા જ બંધ કરી દીધા અને કહ્યું કે એ મારો વર ન હોય જે આ રીતે યુદ્ધ વિના પાછા આવે. જોકે હાડી રાણીના માતાએ તેમને સમજાવ્યા  કે રાજા ડરીને નહીં પરંતુ ઇજાગ્રસ્ત થઈને આવ્યા છે.