કોઈ રસપ્રદ ઘટના કે પુસ્તકમાંથી (Book)રજૂ થતી માહિતી આજના વ્યસ્ત સમયમાં ગાગરમાં સાગર સમાન છે. આજના અતિવ્યસ્ત જીવનમાં પુસ્તક વાંચનનો (Book Reading)સમય ઘટતો જાય છે ત્યારે જો તમને દળદાર પુસ્તકો વાંચવાનો સમય ન હોય, અથવા તો તમે કોઈ ઘટના વિશેષ અંગે જાણવા માંગો છો તો અમે તમને નિયમિત કોઈ એક પુસ્તકનો આસ્વાદ ચખાડીશું. પુસ્તકના પાનેથી (Pustak na pane thi) સિરીઝમાં તમે રાજકીય, સાહિત્યિક કે મનોરંજન જગતની ઘટના કે વ્યક્તિ વિશેષ અંગે નજીવા સમયમાં માહિતી મેળવી શકશો. તો ચાલો આજે જાણીએ પુસ્તક અડધી રાત્રે આઝાદીના પૃષ્ઠ નંબર 267-268 ઉપર લખેલી ઐતિહાસિક વિગતો કે 15 ઓગસ્ટ વર્ષ 1947માં દેશ જ્યારે આઝાદ થયો ત્યારે અમૃસર પહોંચેલી ટ્રેનમાં મૃતદેહો જ જોવા મળ્યા હતા. શું હતું આ કંપાવી દેતી ઘટનાનું કારણ?
Published On - 7:41 pm, Fri, 19 August 22