
વર્ષ 1947માં ભારતની ધરતી પર એક રેખા દોરવામાં આવી અને સત્તાવાર રીતે પાકિસ્તાન નામના દેશનો જન્મ થયો, પરંતુ આ નવા રાષ્ટ્રને તેની વહીવટી, આર્થિક અને નાણાકીય વ્યવસ્થા સ્થાપિત કરવામાં મોટા પડકારોનો સામનો કરવો પડ્યો. વિભાજન થતાં જમીનો અને મિલકતોના ભાગલા પાડવામાં આવ્યા. વિભાજન પછી ભારતે નવા રચાયેલા દેશ પાકિસ્તાનના પાયાને મજબૂત કરવા માટે દરેક શક્ય મદદ પૂરી પાડી. આવી જ એક મદદ પાકિસ્તાન માટે કરન્સી પ્રિન્ટિંગ હતી. કારણ કે ભારતથી અલગ થયા બાદ પાકિસ્તાનની રચના થઈ હતી. આ કારણે વિભાજન પછી તેની પાસે સેન્ટ્રલ બેંક સિસ્ટમ જેવી કોઈ સંસ્થા નહોતી. પાકિસ્તાન પાસે ન તો તેનું પોતાનું ચલણ હતું અને ન તો તેને છાપવા માટે કોઈ જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર હતું. પાકિસ્તાનના વિસ્તારોમાં ચલણ છાપી શકે તેવી કોઈ પ્રિન્ટિંગ પ્રેસ કે કોઈ સિસ્ટમ નહોતી. વિભાજન પછી તરત જ, પાકિસ્તાનને તેની અર્થવ્યવસ્થાને સરળતાથી ચલાવવા માટે અસરકારક ચલણની જરૂર હતી. પાકિસ્તાનને તેની કરન્સીની જરૂરિયાતો પૂરી કરવા માટે ભારત પર નિર્ભર હતું. ભારતીય રિઝર્વ બેંકે આ મુદ્દાને ઉકેલવા...