દિલ્હીના 1600 વર્ષ જૂના લોહ સ્તંભનું રહસ્ય, આજદિન સુધી નથી લાગ્યો કાટ, કારણ છે ચોંકાવનારું

કુતુબ મિનાર પરિસરમાં આવેલો આ લોહ સ્તંભ 1600 વર્ષથી વધુ જૂનો હોવાનું મનાય છે. તેની સૌથી મોટી વિશેષતા એ છે કે તે શુદ્ધ લોખંડનો બનેલો છે અને સદીઓથી ખુલ્લા આકાશ નીચે ઊભો છે, પરંતુ આજદિન સુધી તેને ક્યારેય કાટ લાગ્યો નથી. ત્યારે આ લેખમાં આ સ્તંભનો ઈતિહાસ અને તેને કાટ કેમ નથી લાગતો તેના પાછળનું કારણ શું છે, તેના વિશે જણાવીશું.

દિલ્હીના 1600 વર્ષ જૂના લોહ સ્તંભનું રહસ્ય, આજદિન સુધી નથી લાગ્યો કાટ, કારણ છે ચોંકાવનારું
Iron pillar
| Updated on: Oct 20, 2024 | 4:51 PM

દિલ્હી અનેક સંસ્કૃતિઓ અને ધર્મોનું શહેર છે. આ શહેરમાં ઘણા સ્મારકો છે, જે તેની રસપ્રદ વાસ્તુકલા માટે પ્રખ્યાત છે, આવી જ એક રસપ્રદ જગ્યા કુતુબ મિનાર છે. જેને વિશ્વનો સૌથી ઊંચો મિનાર માનવામાં આવે છે. પરંતુ તેની નજીક એક વિશાળ સ્તંભ પણ છે, જેને ‘લોહ સ્તંભ’ કહેવામાં આવે છે. ઘણા લોકો આ સ્તંભ વિશે જાણતા નથી, આ સ્તંભનો ઈતિહાસ જેટલો જૂનો છે, એટલો જ રહસ્યોથી ભરેલો છે. આ સ્તંભ 1600 વર્ષથી વધુ જૂનો હોવાનું મનાય છે. તેની સૌથી મોટી વિશેષતા એ છે કે તે શુદ્ધ લોખંડનો બનેલો છે અને સદીઓથી ખુલ્લા આકાશ નીચે ઊભો છે, પરંતુ આજદિન સુધી તેને ક્યારેય કાટ લાગ્યો નથી. આ પોતાનામાં એક મોટું રહસ્ય છે. ત્યારે આ લેખમાં અમે તમને આ સ્તંભનો ઈતિહાસ અને તેને કાટ કેમ નથી લાગતો તેના પાછળનું કારણ શું છે, તેના વિશે જણાવીશું. લોહ સ્તંભનો ઈતિહાસ કુતુબ મિનાર સંકુલમાં સ્થાપિત આ લોહ સ્તંભનું વજન કુલ 6 ટન છે અને તેની ઊંચાઈ 7.21 મીટર અને વ્યાસ...

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો