ગુજરાતની ઐતિહાસિક ધરોહરને જોવાનો અનોખો અવસર, જાણો ભારત ગૌરવ ટ્રેનની લગ્ઝરી સુવિધાઓ વિશે

|

Feb 06, 2023 | 1:59 PM

Garvi Gujarat Tour: આપણા ગુજરાતના સાંસ્કૃતિક વારસાને પ્રદર્શિત કરવા માટે IRCTC દ્વારા ગરવી ગુજરાત યાત્રાની શરુઆત થવા જઈ રહી છે. ચાલો જાણીએ ગરવી ગુજરાત યાત્રાનું માધ્યમ બનનાર ભારત ગૌરવ ટ્રેનની ખાસિયતો વિશે.

ગુજરાતની ઐતિહાસિક ધરોહરને જોવાનો અનોખો અવસર, જાણો ભારત ગૌરવ ટ્રેનની લગ્ઝરી સુવિધાઓ વિશે
Bharat Gaurav Deluxe AC Tourist Train luxury facilities
Image Credit source: twitter

Follow us on

છેલ્લા ઘણા વર્ષોથી ભારતીય રેલવે અનેક ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ ફેરફારો કરી રહી છે. સ્વચ્છતા, ભોજન, સમય દરેક બાબતમાં ભારતીય રેલવે સારી સુવિધા આપવાનો પ્રયાસ કરી રહે છે. વંદે ભારત ટ્રેન, બૂલેટ ટ્રેન પ્રોજેક્ટ સહિત ભારત ગૌરવ ટ્રેન ભારતીય રેલવેને નવી ગતિ આપી રહ્યું છે.

આ બધા વચ્ચે ભારત ગૌરવ ડીલક્સ એસી ટૂરિસ્ટ ટ્રેન ચર્ચામાં છે. ભારતીય રેલવે ગુજરાતની ઐતિહાસિક ધરોહરને બતાવવા માટે ભારત ગૌરવ ડીલક્સ એસી ટૂરિસ્ટ ટ્રેન ચલાવી રહ્યું છે. ગુજરાતના આધ્યાત્મિક વારસા અને સાંસ્કૃતિક વારસાને પ્રદર્શિત કરવા માટે ગરવી ગુજરાત યાત્રાની શરુઆત થવા જઈ રહી છે.

ભારત ગૌરવ ડીલક્સ એસી ટૂરિસ્ટ ટ્રેન

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

IRCTC દ્વારા સંચાલિત આ ટૂરિસ્ટ ટ્રેન 28 ફેબ્રુઆરીથી દિલ્હીના સફરદરજંગ રેલવે સ્ટેશનથી આઠ દિવસની યાત્રા માટે નીકળશે. આ ટ્રેન ગુરુગ્રામ, રેવાડી, રીંગસ, ફૂલેરા અને અજમેર રેલવે સ્ટેશન પર પણ રોકાશે. આ યાત્રાને સરકારની ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ યોજનાની ભાવનાને અનુરુપ ડિઝાઈન કરવામાં આવી છે. આ આખી ટ્રેન 8 દિવસમાં કુલ 3500 કિલોમીટરનું અંતર કાપશે. ગુજરાતમાં આ ટ્રેન પહેલા કેવડિયામાં રોકાશે, જ્યાંથી સ્ટેચ્યુ ઓફ યૂનિટીના આકર્ષણને યાત્રીઓ નીહાળી શકશે.

યાત્રા દ્વારા ગુજરાતની આ ધરોહરોને જોવાનો મળશે અવસર

આ યાત્રા દ્વારા તમે સ્ટેચ્યુ ઓફ યૂનિટી, ચાંપાનેર, અક્ષરધામ મંદિર, સાબરમતી આશ્રમ, મોઢેરા સૂર્ય મંદિર, પાટણની રાનકી વાવ, સોમનાથ જ્યોતિર્લિગ, નાગેશ્વર જ્યોતિર્લિંગ, દ્વારકાધીશ મંદિર અને બેટ દ્વારકાની મુલાકાત 8 દિવસ દરિયાન લેવા જઈ શકશો.

ટ્રેનમાં મળશે આ લગ્ઝરી સુવિધાઓ

  1.  બે રેસ્ટોરેન્ટ, એક આધુનિક રસોડું
  2.  કોચમાં વોશરુમ, શાવર ક્યૂબિકલ્સ, ફૂટ મસાજર, સેન્સર આધારિત કાર્યપ્રણાલી જેવી સુવિધાઓ
  3. ફર્સ્ટ એસી અને સેકેન્ડ એસી કોચની સુવિધા
  4. સુરક્ષા માટે ટ્રેનમાં સીસીટીવી કેમેરા
  5. આખી ટ્રેનમાં ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ

એક અઠવાડિયાના ટૂર પેકેજમાં મળશે આ સુવિધાઓ

  1.  આઠ દિવસનું ટૂર પેકેજ
  2.  એસી હોટલમાં રાત્રી સ્ટે
  3.  માત્ર શાકાહારી ભોજન
  4.  યાત્રા વીમો અને ગાઈડની સુવિધા
  5. સ્થળોની મુલાકાત માટે બસોની સુવિધા
  6. સ્વાસ્થ્ય સંબંધિત તમામ સુવિધાઓ

યાત્રાનો ખર્ચ અને EMIની સુવિધાઓ

  1. ભારત સરકારની નવી પહેલ ‘દેખો અપના દેશ’
  2. એેસી 2 ટિયરમાં પ્રતિ વ્યક્તિ 52,250 રુપિયાથી ટિકિટની શરુઆત
  3. એસી 1 કેબિનમાં પ્રતિ વ્યક્તિ 67,140 રુપિયાથી ટિકિટની શરુઆત
  4. એસી 1 કૂપેમાં પ્રતિ વ્યક્તિ 77,400 રુપિયાથી ટિકિટની શરુઆત
  5.  irctctourism.com પરથી મળશે ઈએમઆઈથી પેમેન્ટ આપવાની સુવિધા
Next Article