GK Quiz : શું હિન્દુ ધર્મના લોકો વિશ્વમાં સૌથી વધુ છે ? જાણો કયા ધર્મના લોકો સૌથી વધુ છે

ક્વિઝ અથવા કોયડાઓ ઉકેલીને તમે તમારું નોલેજ વધારી શકો છો. આજે અમે તમારા માટે આવા જ જનરલ નોલેજના પ્રશ્નો અને તેના જવાબો લઈને આવ્યા છીએ. જે તમને ખૂબ જ ઉપયોગી થશે.

GK Quiz : શું હિન્દુ ધર્મના લોકો વિશ્વમાં સૌથી વધુ છે ? જાણો કયા ધર્મના લોકો સૌથી વધુ છે
GK Quiz
| Edited By: | Updated on: Aug 15, 2023 | 8:52 PM

GK Quiz : જનરલ નોલેજ (General Knowledge) કે જેને GK અથવા સામાન્ય જ્ઞાન તરીકે પણ ઓળખવામાં આવે છે. જનરલ નોલેજમાં ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, કળા, સાહિત્ય, વર્તમાન ઘટનાઓ અને અન્ય વિષયોનો સમાવેશ થઈ શકે છે. જનરલ નોલેજ વધારવાની ઘણી રીતો છે. એક રીત એ છે કે નિયમિતપણે સમાચાર, અખબારો, સામયિકો, પુસ્તકો અને લેખો વાંચો.

જનરલ નોલેજ વધારવાની બીજી રીત છે ક્વિઝ રમીને અથવા કોયડાઓ ઉકેલીને તમે તમારું નોલેજ વધારી શકો છો. આજે અમે તમારા માટે આવા જ જનરલ નોલેજના પ્રશ્નો અને તેના જવાબો લઈને આવ્યા છીએ. જે તમને ખૂબ જ ઉપયોગી થશે.

આ પણ વાંચો GK Guiz Nilgiri Mountain Railway: આ છે ભારતની સૌથી આળસુ ટ્રેન, તેમાં મુસાફરી કરવી એટલે મજા જ મજા…!

પ્રશ્ન – ભારત અને પાકિસ્તાન વચ્ચે કારગીલ યુદ્ધ ક્યારે થયું હતું ?
જવાબ – વર્ષ 1999માં

પ્રશ્ન – કયા પ્રાણીના દાંત કાયમ વધતા રહે છે ?
જવાબ – ઉંદરના

પ્રશ્ન – પ્રથમ વિશ્વ યુદ્ધમાં કેટલા દેશો સામેલ હતા ?
જવાબ – 30થી વધુ દેશો

પ્રશ્ન – વિશ્વનું સૌથી નાનું પક્ષી કયું છે ?
જવાબ – હમીંગબર્ડ

પ્રશ્ન – વિશ્વમાં બટાકાની સૌથી વધુ ખેતી કયા દેશમાં થાય છે ?
જવાબ – રશિયામાં

પ્રશ્ન – ભારતમાં સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય કયું છે ?
જવાબ – ઉત્તર પ્રદેશ

પ્રશ્ન – કયા પ્રાણીનું દૂધ પીવાથી નશો આવે છે ?
જવાબ – હાથણીનું દૂધ

પ્રશ્ન – કયું પ્રાણી ઘાયલ થાય ત્યારે માણસની જેમ રડે છે ?
જવાબ – રીંછ

પ્રશ્ન – પીળા રંગની નદી કયા દેશમાં વહે છે ?
જવાબ – ચીનની ‘હુઆંગ હી’ નદી

પ્રશ્ન – આઝાદ હિંદ ફોજની રચના ક્યારે થઈ ?
જવાબ – વર્ષ 1942માં

પ્રશ્ન – ઓલિમ્પિક રમતોમાં હોકીનો સમાવેશ કયા વર્ષમાં કરવામાં આવ્યો હતો ?
જવાબ – વર્ષ 1928માં

પ્રશ્ન – ભારતમાં સૌથી મોટો પશુ મેળો ક્યાં ભરાય છે ?
જવાબ – બિહારમાં

પ્રશ્ન – પટનાનું પ્રાચીન નામ શું હતું ?
જવાબ – પાટલીપુત્ર

પ્રશ્ન – ચોખાનું સૌથી વધુ ઉત્પાદન કયા દેશમાં થાય છે ?
જવાબ – ચીનમાં

પ્રશ્ન – મસાલાની ખેતીમાં કયો દેશ નંબર વન છે ?
જવાબ – ભારત

પ્રશ્ન – કયા રાજ્યમાં સફરજનનું સૌથી વધુ ઉત્પાદન થાય છે ?
જવાબ – જમ્મુ-કાશ્મીર

પ્રશ્ન – વિશ્વમાં ક્યા ધર્મના લોકો સૌથી વધુ છે ?
જવાબ – ખ્રિસ્તી ધર્મ

વિશ્વમાં લગભગ 7.2 બિલિયન લોકોમાંથી લગભગ 2.4 બિલિયન લોકો ખ્રિસ્તી ધર્મના છે. ખ્રિસ્તી ધર્મ વિશ્વનો સૌથી મોટો ધર્મ છે. બીજા નંબરે ઈસ્લામ ધર્મના સૌથી વધુ લોકો છે. જેમની વસ્તી 1.9 બિલિયન છે. જ્યારે હિન્દુ ધર્મના લોકો 1.2 બિલિયન છે. જે ત્રીજા નંબરે આવે છે.

નોલેજના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો