Yasin Malik: યાસીન મલિકને મળી આજીવન કેદની સજા તો પાકિસ્તાન બોખલાયુ, PM શાહબાઝ શરીફે આક્રોશ વ્યક્ત કર્યો

બીજી તરફ યાસીન મલિકની સજા બાદ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે આ દિવસને કાળો દિવસ ગણાવ્યો છે. શાહબાઝ શરીફ ઉપરાંત પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવત ભુટ્ટોએ પણ ઝેર ઓક્યું છે.

Yasin Malik: યાસીન મલિકને મળી આજીવન કેદની સજા તો પાકિસ્તાન બોખલાયુ, PM શાહબાઝ શરીફે આક્રોશ વ્યક્ત કર્યો
yasin malik, shehbaz sharif
Image Credit source: File Image
| Edited By: | Updated on: May 26, 2022 | 12:05 AM

આતંકી યાસીન મલિકને (Yasin Malik) બુધવારે દિલ્હીની NIA કોર્ટે ટેરર ​​ફંડિંગ કેસમાં આજીવન કેદની સજા ફટકારી છે. મલિકની સજાથી પાકિસ્તાનને ઠંડક મળી હતી. યાસીન મલિકની આજીવન કેદ બાદ પાડોશી દેશમાં ગભરાટનું વાતાવરણ છે અને કેમ કે પાકિસ્તાન હંમેશા આતંકવાદીઓને આશ્રય આપતું રહ્યું છે. તમને જણાવી દઈએ કે સ્પેશિયલ જજ પ્રવીણ સિંહે ગેરકાનૂની પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ (UAPA) અને ભારતીય દંડ સંહિતા (IPC) હેઠળ અલગ-અલગ અપરાધો માટે અલગ-અલગ શરતો સંભળાવી હતી.

મલિકને બે ગુના માટે આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી – IPC કલમ 121 (ભારત સરકાર સામે યુદ્ધ છેડવું) અને UAPA કલમ 17 (UAPA) (આતંકવાદી પ્રવૃત્તિઓ માટે ભંડોળ એકત્ર કરવું). બીજી તરફ યાસીન મલિકની સજા બાદ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે આ દિવસને કાળો દિવસ ગણાવ્યો છે. શાહબાઝ શરીફ ઉપરાંત પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવત ભુટ્ટોએ પણ ઝેર ઓક્યું છે. આ સાથે જ પાકિસ્તાની સેનાએ પણ મલિકની સજા પર તીક્ષ્ણ નિવેદન આપ્યું છે.

શાહબાઝ શરીફે આક્રોશ વ્યક્ત કર્યો

પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે ટ્વિટ કર્યું હતું કે, “ભારતીય લોકશાહી અને તેની ન્યાય વ્યવસ્થા માટે આજનો દિવસ કાળો દિવસ છે. ભારત યાસીન મલિકને શારીરિક રીતે કેદ કરી શકે છે, પરંતુ તે સ્વતંત્રતાના વિચારને ક્યારેય કેદ કરી શકે નહીં જેનું તે પ્રતીક છે. બહાદુર સ્વાતંત્ર્ય સેનાનીને આજીવન કેદની સજા કાશ્મીરીઓના સ્વ-નિર્ણયના અધિકારને નવી પ્રેરણા આપશે.

બિલાવલ ભુટ્ટોએ કહી આ વાત

પાકિસ્તાની સેનાએ આપ્યું નિવેદન

યાસીન મલિકની આજીવન કેદની સજા પર પાકિસ્તાની સેનાએ પણ આકરા શબ્દોમાં નિવેદન આપ્યું છે. પાકિસ્તાનના ડીજી-આઈએસપીઆરએ ટ્વીટ કરીને કહ્યું ‘પાકિસ્તાન યાસીન મલિકને બનાવટી આરોપમાં આજીવન કેદની સજાની સખત નિંદા કરે છે. આવી દમનકારી રણનીતિઓ ગેરકાયદેસર ભારતીય કબજા સામેના સંઘર્ષમાં કાશ્મીરના લોકોની ભાવનાને મંદ કરી શકે નહીં. યુએનએસસીઆર મુજબ સ્વ-નિર્ણયની તેમની શોધમાં અમે તેમની સાથે ઊભા છીએ.

Published On - 11:59 pm, Wed, 25 May 22