Sudan Air Strike: સુદાનમાં ફરી હિંસા ફાટી નીકળી, રાજધાની ખાર્તુમમાં હવાઈ હુમલો, 5 બાળકો સહિત 17ના મોત

|

Jun 18, 2023 | 8:19 AM

આ હુમલામાં ઓછામાં ઓછા 17 લોકોના મોત થયા છે. જેમાં પાંચ બાળકોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત વૃદ્ધો અને મહિલાઓનો પણ સમાવેશ થાય છે. ઘણા લોકો ઘાયલ પણ થયા છે, જેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

Sudan Air Strike:  સુદાનમાં ફરી હિંસા ફાટી નીકળી, રાજધાની ખાર્તુમમાં હવાઈ હુમલો, 5 બાળકો સહિત 17ના મોત
સુદાનમાં ફરી હિંસા

Follow us on

Sudan Air Strike: હિંસા પ્રભાવિત સુદાનની રાજધાની ખાર્તુમમાં શનિવારે જબરદસ્ત હવાઈ હુમલો થયો હતો. આ અકસ્માતમાં પાંચ બાળકો સહિત 17 લોકોના મોત થયા હતા. આ સિવાય 25 મકાનો પણ ધરાશાયી થયા છે. સુદાનના સ્વાસ્થ્ય મંત્રાલયે આ માહિતી આપી છે. મંત્રાલયે જણાવ્યું હતું કે હવાઈ હુમલો દક્ષિણ ખાર્તુમમાં યાર્મૌક નજીક થયો હતો. છેલ્લા દિવસોમાં અહીં લડાઈ ચાલી રહી હતી. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

સુદાનના સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર આ હુમલામાં ઓછામાં ઓછા 17 લોકોના મોત થયા છે. જેમાં પાંચ બાળકોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત વૃદ્ધો અને મહિલાઓનો પણ સમાવેશ થાય છે. ઘણા લોકો ઘાયલ પણ થયા છે, જેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. મંત્રાલયે વધુમાં કહ્યું કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે આ હુમલો ડ્રોન દ્વારા કરવામાં આવ્યો હતો કે વિમાન દ્વારા.

સુદાનમાં સેના અને અર્ધલશ્કરી દળો વચ્ચે લડાઈ

જો કે, આર્મી એરક્રાફ્ટે વારંવાર RSF સૈનિકોને નિશાન બનાવ્યા છે, જ્યારે અર્ધલશ્કરી દળોએ લશ્કરની ચોકીઓ સામે ડ્રોન અને વિમાન વિરોધી શસ્ત્રોનો ઉપયોગ કર્યો હોવાના અહેવાલ છે. અલ જઝીરાના અહેવાલ મુજબ, ત્યાંના સ્થાનિક લોકોએ કહ્યું કે આ હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 11 લોકો ઘાયલ થયા છે. આ સિવાય તેમાંથી એકે સોશિયલ મીડિયા પર હુમલામાં નુકસાન પામેલા મકાનો અને કાટમાળમાં શોધતા લોકોની તસવીરો પોસ્ટ કરી છે.

આજનું રાશિફળ તારીખ : 20-09-2024
કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા

આરએસએફએ સેના પર હવાઈ હુમલાનો આરોપ લગાવ્યો છે

આરએસએફએ એક નિવેદન જાહેર કરીને આરોપ લગાવ્યો છે કે સેનાના વિમાનોએ આ વિસ્તારમાં બોમ્બમારો કર્યો અને ઘણા લોકો માર્યા ગયા. તેણે એવો પણ દાવો કર્યો હતો કે તેણે લશ્કરી મિગ ફાઇટર જેટને તોડી પાડ્યું હતું, પરંતુ આ સ્વતંત્ર રીતે ચકાસી શકાયું નથી.

આ પણ વાંચો : PM Modi US Visit: PM મોદીના અમેરિકી પ્રવાસને લઇને અમેરિકી સાંસદોમાં ઉત્સાહ, કહ્યું- અમે તમારી રાહ જોઈ રહ્યા છીએ

અત્યાર સુધીમાં 800 થી વધુ લોકોના મોત

તમને જણાવી દઈએ કે સુદાનમાં છેલ્લા ઘણા દિવસોથી સેના અને અર્ધલશ્કરી દળો વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. સુદાનના સૈન્ય નેતા અબ્દેલ ફતાહ અલ-બુરહાન અને તેના નાયબ અર્ધલશ્કરી દળના આરએસએફ કમાન્ડર મોહમ્મદ હમદાન ડગલો વચ્ચેની લડાઈ બાદ સુદાનમાં હિંસા ફાટી નીકળી હતી. ત્યારથી અત્યાર સુધીમાં દેશમાં 800થી વધુ લોકોના મોત થયા છે જ્યારે હજારો લોકો ઘાયલ થયા છે. લાખો લોકોએ દેશ છોડી દીધો.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 8:16 am, Sun, 18 June 23

Next Article