US military Operation: સીરિયામાં અલ-કાયદાના આતંકીનો બોલાવ્યો ખાત્મો, અમેરિકી સેનાએ ડ્રોન હુમલામાં ઠાર માર્યો

|

Oct 23, 2021 | 8:19 AM

અલ-કાયદાના (Al-Qaeda) આતંકી અબ્દુલ હમીદ અલ-માતર (Abdul Hamid al-Matar) પર આ હુમલો એવા સમયે કરવામાં આવ્યો છે જ્યારે બે દિવસ પહેલા અમેરિકન ચોકી પર હુમલો થયો હતો.

US military Operation: સીરિયામાં અલ-કાયદાના આતંકીનો બોલાવ્યો ખાત્મો, અમેરિકી સેનાએ ડ્રોન હુમલામાં ઠાર માર્યો
File photo

Follow us on

અમેરિકી સેનાએ (US military) સીરિયામાં (Syria) ડ્રોન હુમલામાં અલ-કાયદાના આતંકી અબ્દુલ હમીદ અલ-માતરને  (Abdul Hamid al-Matar) ઠાર માર્યો છે. યુએસ સેન્ટ્રલ કમાન્ડના પ્રવક્તાએ આ માહિતી આપી છે. 

યુએસ આર્મી મેજર જ્હોન રિગ્સ્બીએ શુક્રવારે મોડી રાત્રે એક લેખિત નિવેદનમાં જણાવ્યું હતું કે, “અલ-કાયદાના આ વરિષ્ઠ નેતાની હત્યાથી અમેરિકન નાગરિકો, અમારા સાથીઓ અને નિર્દોષ નાગરિકોને જોખમમાં મૂકનારા વૈશ્વિક હુમલાનું કાવતરું રચીને અંજામ નહીં આપી શકે.

મેજર જોન રિગસ્બીએ કહ્યું કે આ હુમલાથી અન્ય કોઈ જાનહાનિ થઈ છે કે કેમ તે જાણી શકાયું નથી. તેમણે વધુમાં કહ્યું કે આ હુમલો MQ-9 એરક્રાફ્ટનો ઉપયોગ કરીને કરવામાં આવ્યો હતો. આ હુમલો દક્ષિણ સીરિયામાં અમેરિકન ચોકી પર હુમલાના બે દિવસ બાદ થયો છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

રિગસ્બીએ કહ્યું, “અલ-કાયદા યુનાઇટેડ સ્ટેટ્સ અને અમારા સાથીઓ માટે ખતરો છે.” અલ-કાયદા સંગઠનને પુનઃ નિર્માણ કરવા, બહારના સાથીઓ સાથે સંકલન કરવા અને બાહ્ય કામગીરીની યોજના બનાવવા માટે સીરિયાને સુરક્ષિત આશ્રયસ્થાન તરીકે ઉપયોગ કરે છે.

રિગ્સ્બીએ એ જણાવ્યું ન હતું કે, ચોકી પરના હુમલાના જવાબમાં અમેરિકન ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો કે નહીં તેણે એ પણ જણાવ્યું નથી કે સીરિયાના કયા વિસ્તારમાં આ હુમલો કરવામાં આવ્યો હતો. સપ્ટેમ્બરમાં પેન્ટાગનમાં બળવાખોરો દ્વારા નિયંત્રિત ઉત્તર-પશ્ચિમ સીરિયામાં પણ હુમલો કર્યો હતો.

જેમાં અલ-કાયદાના અન્ય વરિષ્ઠ નેતા સલીમ અબુ-અહમદનું મોત થયું હતું. અગાઉનો હવાઈ હુમલો ઇડલિબના ગવર્નરેટ નજીક કરવામાં આવ્યો હતો. ઇદલિબ અને પડોશી અલેપ્પો પાસે મોટા પ્રમાણમાં સીરિયન સશસ્ત્ર જૂથો છે.

અહીં અલ-કાયદા સાથે જોડાયેલા હયાત તાહિરી અલ-શામ સહિત સશસ્ત્ર જૂથોનું પ્રભુત્વ ધરાવે છે. સીરિયામાં ચાલી રહેલા યુદ્ધે એક જટિલ યુદ્ધભૂમિ બનાવી છે, જેમાં અલ-કાયદાથી જોડાયેલા મિલિશિયા અને અન્ય સશસ્ત્ર સમૂહ, ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ ધ લેવન્ટ અને વિદેશી દળો સામેલ છે. 2011માં શરૂ થયું ત્યારથી યુદ્ધમાં લગભગ 5 લાખ લોકો માર્યા ગયા છે.

આ પણ વાંચો : ચીનની દરેક નાપાક હરકતનો જડબાતોબ જવાબ આપવા ભારતે પ્લાન કર્યો મજબૂત, એક્શનમાં જોવા મળ્યા સૈનિકો

આ પણ વાંચો : Jammu-Kashmir : હાઇટેક ડ્રોન, સ્નાઈપર્સ અને 15 વિસ્તારમાં મોબાઈલ ઇન્ટરનેટ પર પ્રતિબંધ, અમિતશાહની જમ્મુ કાશ્મીર મુલાકાત પર ચુસ્ત સુરક્ષા

Next Article