Russia Ukraine War Casualties: યુક્રેનનો દાવો, યુદ્ધમાં 12 હજાર રશિયન સૈનિકો માર્યા ગયા, ટેન્ક અને હેલિકોપ્ટરનો બોલાવ્યો ખાત્મો

|

Mar 08, 2022 | 6:16 PM

Russia-Ukraine War Casualties:યુક્રેનની સેના(Ukraine Army)એ કહ્યું કે, 24 ફેબ્રુઆરીથી 7 માર્ચ સુધીના યુદ્ધમાં 12,000 રશિયન સૈનિકો માર્યા ગયા.

Russia Ukraine War Casualties: યુક્રેનનો દાવો, યુદ્ધમાં 12 હજાર રશિયન સૈનિકો માર્યા ગયા, ટેન્ક અને હેલિકોપ્ટરનો બોલાવ્યો ખાત્મો
યુદ્ધમાં 12 હજાર રશિયન સૈનિકો માર્યા ગયા, યુક્રેનનો દાવો
Image Credit source: AFP

Follow us on

Russia Ukraine War Casualties: રશિયા અને યુક્રેન (Russia-Ukraine War) વચ્ચેના યુદ્ધને કારણે અત્યાર સુધી બંને પક્ષોને ભારે નુકસાન થયું છે. યુક્રેનની સેનાએ દાવો કર્યો છે કે 24 ફેબ્રુઆરીએ યુદ્ધની શરૂઆતથી 7 માર્ચ સુધી 12 હજાર રશિયન સૈનિકો માર્યા ગયા છે. આ સિવાય તેના ઘણા હથિયારો અને સૈન્ય વાહનોને પણ નષ્ટ કરવામાં આવ્યા છે. રશિયાએ પણ હજારો યુક્રેન (Ukraine) સૈનિકોને માર્યા હોવાનો દાવો કર્યો છે. 24 ફેબ્રુઆરીથી જ બંને દેશો વચ્ચે યુદ્ધ શરૂ થયું હતું.

આ યુદ્ધના કારણે મોટી સંખ્યામાં લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી છે. અત્યાર સુધીમાં લાખો લોકો પડોશી દેશોમાં સ્થળાંતર કરી ચૂક્યા છે.

યુક્રેન (Ukraine)ની સેનાએ કહ્યું કે 24 ફેબ્રુઆરીથી 7 માર્ચ સુધીના યુદ્ધમાં 12,000 રશિયન સૈનિકો માર્યા ગયા છે. જો ખરેખર આટલી સંખ્યામાં રશિયન સૈનિકો માર્યા ગયા છે, તો તે અફઘાનિસ્તાન યુદ્ધમાં સોવિયત સંઘ દ્વારા માર્યા ગયેલા સૈનિકોની સંખ્યાને વટાવી ગઈ છે. અફઘાનિસ્તાનમાં 80ના દાયકામાં ફાટી નીકળેલા યુદ્ધમાં 10,000 સૈનિકો માર્યા ગયા હતા. અત્યાર સુધીમાં રશિયન સેનાની 303 ટેન્ક નષ્ટ થઈ ચૂકી છે. આ સિવાય 1036 આર્મર્ડ કોમ્બેટ વ્હીકલ, 120 આર્ટિલરી સિસ્ટમ, 56 MLRS અને 27 એર ડિફેન્સ સિસ્ટમને પણ નષ્ટ કરવામાં આવી છે. સમયે, યુક્રેનની સેનાએ કહ્યું કે 48 રશિયન એરક્રાફ્ટ, 80 હેલિકોપ્ટર, 474 ઓટોમેટિક ટેક્નોલોજી અને 3 જહાજોને ઉડાવી દેવામાં આવ્યા છે.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

સુમીમાં સલામત કોરિડોર માટે સર્વસંમતિ

રશિયન હુમલાઓથી નાગરિકોને બચાવવા માટે યુક્રેનના પૂર્વીય શહેર સુમીમાં મંગળવારે એક સુરક્ષિત કોરિડોર ખોલવામાં આવ્યો હતો. યુક્રેનના વડા પ્રધાન ઇરિના વેરેશચુકે મંગળવારે જણાવ્યું હતું કે પૂર્વી શહેર સુમીમાંથી નાગરિકોને બહાર કાઢવા માટે બંને પક્ષો યુક્રેનના સમય મુજબ સવારે 9 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી યુદ્ધવિરામ માટે સંમત થયા છે. તેમણે જણાવ્યું હતું કે સુમીમાંથી હાંકી કાઢવામાં આવેલા લોકોમાં ભારત અને ચીનના વિદેશી વિદ્યાર્થીઓ પણ સામેલ છે. બસો અથવા ખાનગી કારમાં નાગરિકોનો પ્રથમ કાફલો યુક્રેનિયન શહેર પોલ્ટાવા માટે રવાના થયો છે.

20 લાખ લોકોએ દેશ છોડી દીધો

યુનાઇટેડ નેશન્સ અનુસાર, મંગળવારે યુક્રેન છોડનારા શરણાર્થીઓની સંખ્યા 20 લાખ સુધી પહોંચી ગઈ છે, જે બીજા વિશ્વ યુદ્ધ પછી યુરોપમાં સૌથી મોટું સ્થળાંતર છે. શરણાર્થીઓ માટે સંયુક્ત રાષ્ટ્રના હાઈ કમિશનર ફિલિપો ગ્રાન્ડીએ ટ્વિટર પર લખ્યું, “આજે યુક્રેન છોડીને જતા શરણાર્થીઓની સંખ્યા 2 મિલિયન છે.” આ લોકોએ યુક્રેનના પાડોશી દેશોમાં આશરો લીધો છે.

આ પણ વાંચો : Russia Attacks Ukraine: રશિયાએ યુક્રેનમાં 500 કિલોનો બોમ્બ ફેંક્યો, નિર્દોષ લોકોના મોત

 

Published On - 6:16 pm, Tue, 8 March 22

Next Article