PM મોદીને G7 સમિટ માટે UKનું આમંત્રણ, સંમેલન પૂર્વે ભારત આવશે બોરિસ જોનસન

પીએમ મોદી (PM Modi)ને જૂન 2021માં યુનાઈટેડ કિંગડમે  G7 Summitમાં ગેસ્ટ તરીકે આમંત્રિત કર્યા છે. જ્યારે યુકેના વડાપ્રધાન બોરિસ જોનસને કહ્યું તે G7 Summit પૂર્વે ભારતનો પ્રવાસ કરશે.

PM મોદીને G7 સમિટ માટે UKનું આમંત્રણ, સંમેલન પૂર્વે ભારત આવશે બોરિસ જોનસન
PM Modi and Boris Johnson (File Image)
| Edited By: | Updated on: Jan 17, 2021 | 7:12 PM

પીએમ મોદી (PM Modi)ને જૂન 2021માં યુનાઈટેડ કિંગડમે  G7 Summitમાં ગેસ્ટ તરીકે આમંત્રિત કર્યા છે. જ્યારે યુકેના વડાપ્રધાન બોરિસ જોનસને કહ્યું તે G7 Summit પૂર્વે ભારતનો પ્રવાસ કરશે. તેમણે કહ્યું કે દુનિયાની ફાર્મસી તરીકે ભારત પહેલેથી જ દુનિયાની 50 ટકાથી વધારે રસી સપ્લાય કરે છે. તેમજ યુકે અને ભારતે મહામારી દરમ્યાન એક સાથે મળીને કામ કર્યું હતું.

 

બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસનનો ભારત પ્રવાસ હાલમાં જ રદ થયો છે. બોરિસ જોનસન આ વખતે ભારતના ગણતંત્ર દિવસના મુખ્ય મહેમાન બનવાના હતા. જો કે કોરોનાના નવા સ્ટ્રેન બાદ તેમણે પીએમ મોદી સાથે વાતચીત કરી હતી અને ભારત આવવા પોતાની અસમર્થતા વ્યક્ત કરી હતી. ડાઉનિંગ સ્ટ્રીટના એક પ્રવક્તાએ જણાવ્યું હતું કે પીએમએ ભારતના પીએમ મોદી સાથે વાત કરી હતી અને આ મહિનાના અંતમાં ભારત આવવા માટે અસમર્થ છે.

 

પીએમ બોરિસ જોનસને પોતાની યાત્રા રદ કરવાને લઈને દુ:ખ વ્યક્ત કર્યું હતું. ઉલ્લેખનીય છે કે કોરોના વાઈરસના ખતરનાક નવા સ્ટ્રેન બાદ બ્રિટેનમાં લોકડાઉન લાદવામાં લગાવવામાં આવ્યું છે. તે સમયે તેમણે પીએમ જોનસને કહ્યું કે તેમની માટે યુકેમાં રહેવું મહત્વપૂર્ણ છે કારણ કે વાઈરસ રોકવા માટે ધ્યાન કેન્દ્રિત કરી શકીએ. ફોન પર વાતચીત કરતાં બંને દેશોના નેતાઓએ દ્રિપક્ષીય સબંધો માટે પોતાની પ્રતિબદ્ધતાને રેખાંકિત કર્યા. બોરિસ જોનસને પીએમ મોદીને કહ્યું કે વર્ષ 2021ના છેલ્લા 6 માસમાં ભારત પ્રવાસ માટે સક્ષમ હોવાની આશા વ્યક્ત કરી હતી.

 

આ પણ વાંચો: દિલ્હીમાં 26 જાન્યુઆરીના દિવસે આતંકી સંગઠન હુમલાની તૈયારીમાં, ભાગી છૂટેલા આતંકીઓના લાગ્યા પોસ્ટર