Turkey earthquake : જયાં જુઓ ત્યાં તારાજી જ, કાટમાળમાં ફેરવાયા શહેરો, આકાશમાંથી દેખાતું ‘સ્મશાન’

Turkey earthquake : તુર્કી અને સીરિયામાં સોમવારે આવેલા સૌથી ભયાનક ભૂકંપમાં અત્યાર સુધીમાં 15,000થી વધુ લોકોના મોત થયા છે. આ ભૂકંપે આ બંને દેશોને આગામી કેટલાક દાયકાઓ સુધી અવિસ્મરણીય પીડા આપી છે. ભૂકંપ બાદ સેટેલાઈટ ઈમેજ પરથી જોઈ શકાય છે કે ઘણા શહેરો અને....

Turkey earthquake : જયાં જુઓ ત્યાં તારાજી જ, કાટમાળમાં ફેરવાયા શહેરો, આકાશમાંથી દેખાતું સ્મશાન
ભૂકંપ બાદ તુર્કીની સેટેલાઇટ તસ્વીર
| Edited By: | Updated on: Feb 09, 2023 | 1:55 PM

Turkey earthquake : તુર્કી અને સીરિયામાં સોમવારે આવેલા સૌથી ભયાનક ભૂકંપમાં અત્યાર સુધીમાં 15,000થી વધુ લોકોના મોત થયા છે. આ ભૂકંપે આ બંને દેશોને આગામી કેટલાક દાયકાઓ સુધી અવિસ્મરણીય પીડા આપી છે. ભૂકંપ પછી સેટેલાઇટ તસવીરો દર્શાવે છે કે અહીંના ઘણા શહેરો અને વિસ્તારો ખંડેર અને કાટમાળમાં ફેરવાઈ ગયા છે. ભૂકંપથી દક્ષિણના શહેરો એન્ટાક્યા અને કહરામનમારસને સૌથી વધુ નુકસાન થયું છે અને અહીંની ઘણી ઊંચી ઈમારતો જમીનદોસ્ત થઈ ગઈ છે. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

સેટેલાઇટ દ્વારા લેવામાં આવેલી તસવીરોમાં અહીં ચાલી રહેલી રાહત કામગીરીમાં મદદ કરવા માટે ખુલ્લા વિસ્તારોમાં અને સ્ટેડિયમમાં બનાવવામાં આવેલા સેંકડો ઈમરજન્સી આશ્રયસ્થાનો પણ બહાર આવ્યા છે. તુર્કીમાં, લગભગ 20 લાખ લોકોની વસ્તી ધરાવતા તુર્કીના શહેર ગાઝિયાંટેપ નજીક સોમવારે વહેલી સવારે 7.8ની તીવ્રતાનો પ્રથમ ભૂકંપ આવ્યો હતો, ત્યારબાદ 7.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો અને બાદમાં આફ્ટરશોક્સના રૂપમાં અનેક આંચકાઓ આવ્યા હતા. .

ગ્રીનલેન્ડ સુધી ભૂકંપના આંચકા

ડેનમાર્ક અને ગ્રીનલેન્ડના જીઓલોજિકલ સર્વેએ જણાવ્યું હતું કે આંચકા ગ્રીનલેન્ડ સુધી અનુભવાયા હતા.

 


કહરામનમારસ અને ગાઝિયાંટેપ વચ્ચેના વિસ્તારોમાં ભૂકંપને કારણે સૌથી વધુ વિનાશ જોવા મળ્યો છે, જ્યાં શહેરના લગભગ દરેક બ્લોક કાટમાળમાં આવી ગયા છે. તુર્કીએ અનેક જાહેર હોસ્પિટલો સહિત સાત પ્રાંતોમાં 3,000 થી વધુ ઇમારતો ધરાશાયી થવાનો અંદાજ મૂક્યો હતો. આ પ્રલયમાં 13મી સદીની ઐતિહાસિક મસ્જિદ પણ આંશિક રીતે તૂટી પડી હતી.

મૃત્યુઆંક ઝડપથી વધી રહ્યો છે

તુર્કી અને સીરિયામાં ભૂકંપને કારણે મૃત્યુઆંક 15,000ને વટાવી ગયો છે અને 15,383 પર પહોંચી ગયો છે, જેમાં તુર્કીમાં 12,391 અને યુદ્ધગ્રસ્ત સીરિયામાં 2,992નો સમાવેશ થાય છે. આ બંને દેશોમાં હજુ પણ બચાવ કામગીરી ચાલી રહી હોવાથી મૃત્યુઆંક વધવાની આશંકા છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ ભૂકંપ વિશે તેના મૂલ્યાંકનમાં કહ્યું છે કે ભૂકંપને કારણે લગભગ 23 મિલિયન લોકો પ્રભાવિત થઈ શકે છે, અને તે કહે છે કે અસરગ્રસ્ત વિસ્તારોમાં 77 રાષ્ટ્રીય અને 13 આંતરરાષ્ટ્રીય ઇમરજન્સી મેડિકલ ટીમો તૈનાત કરવામાં આવી રહી છે. ભારત તરફથી ભૂકંપ પ્રભાવિત દેશોને મદદ આપવામાં આવી રહી છે. ભારતે તુર્કી અને સીરિયામાં ટન રાહત સામગ્રી મોકલી છે.

(ઇનપુટ-ભાષાંતર)

Published On - 1:55 pm, Thu, 9 February 23