Ghana Blast: ઘાનામાં વિસ્ફોટકો ભરેલી ટ્રકમાં જોરદાર વિસ્ફોટ, 500 ઈમારતો નષ્ટ, અત્યાર સુધીમાં 17ના મોત, 59 ઘાયલ

|

Jan 21, 2022 | 9:05 AM

Ghana Blast: રાજકીય ઉથલપાથલના કારણે આફ્રિકન દેશ ઘાનામાં મોટી દુર્ઘટના થઈ રહી છે. હવે અહીંના પશ્ચિમ ભાગમાં વિસ્ફોટ થયો છે, જેમાં ઘણા લોકોના મોત થયા છે.

Ghana Blast: ઘાનામાં વિસ્ફોટકો ભરેલી ટ્રકમાં જોરદાર વિસ્ફોટ, 500 ઈમારતો નષ્ટ, અત્યાર સુધીમાં 17ના મોત, 59 ઘાયલ
Explosion in Ghana ( PS : Twitter)

Follow us on

પશ્ચિમ આફ્રિકન દેશ (African Country) ઘાનામાં પ્રચંડ વિસ્ફોટના (Explosion in Ghana) કારણે ઓછામાં ઓછા 17 લોકોના મોત થયા છે. જ્યારે 59 લોકો ઘાયલ થયા છે. સ્થાનિક સમાચાર એજન્સી આ માહિતી આપી છે. મીડિયા રિપોર્ટ અનુસાર આ ઘટના ધામકા દેશના પશ્ચિમ ભાગમાં બની છે. સરકારના જણાવ્યા અનુસાર ખાણકામમાં ઉપયોગમાં લેવાતા વિસ્ફોટકો વહન કરતું વાહન પશ્ચિમ બાજુએ એક મોટરસાઇકલ સાથે અથડાયું અને વિસ્ફોટ થયો હતો. જેમાં ઓછામાં ઓછા 17 લોકોના મોત થયા હતા અને 59 લોકો ઘાયલ થયા હતા.

ગુરુવારે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં વિસ્ફોટનો વિસ્તાર બતાવવામાં આવ્યો છે. જેમાં ડઝનેક ઈમારતો તો ધરાશાયી થઈ ગઈ છે અથવા તો કાટમાળના ઢગલામાં ફેરવાતી જોવા મળી રહી છે. એક નિવેદનમાં, પોલીસે જણાવ્યું હતું કે “પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે માઈનિંગ વિસ્ફોટકો વહન કરતું વાહન એક મોટરસાઈકલ સાથે અથડાયું હતું. જેના કારણે વિસ્ફોટ થયો હતો.” જ્યાં સુધી સ્થિતિ પહેલા જેવી સામાન્ય ન થાય ત્યાં સુધી લોકોને તેમની સલામતી માટે અકસ્માત સ્થળ પરથી અન્ય શહેરોમાં જવાની સલાહ આપવામાં આવી છે.

500 ઈમારતોને નુકસાન

નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓર્ગેનાઈઝેશન (NADMO)ના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ સેજી સાજી અમેદોનુએ જણાવ્યું હતું કે 500 ઈમારતો નાશ પામી છે. એક પ્રાદેશિક કટોકટી અધિકારીએ સ્થાનિક મીડિયાને જણાવ્યું કે તેણે 10 મૃતદેહો જોયા છે. આ વિસ્ફોટ એપિએટમાં થયો હતો, જે દેશના પશ્ચિમ વિસ્તારમાં બોગોસો અને બાવડી શહેરોની વચ્ચે આવેલું છે. અહીં એક મોટરસાઇકલ વિસ્ફોટકો ભરેલી ટ્રકની નીચે આવી ગઈ હતી, જે કેનેડિયન કિનરોસ કંપની દ્વારા સંચાલિત ચિરાનો સોનાની ખાણ તરફ જઈ રહી હતી. કિન્રોસના પ્રવક્તાએ આ ઘટનાની પુષ્ટિ કરતા કહ્યું કે જ્યાં આ ઘટના બની તે સ્થળ ખાણથી 140 કિલોમીટર દૂર હતું.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

પ્રાણીઓને થયું નુકસાન

પોલીસે જણાવ્યું કે નજીકના શહેરોને શાળાઓ અને ચર્ચોના દરવાજા ખોલવા માટે કહેવામાં આવ્યું છે. જેથી બ્લાસ્ટથી પ્રભાવિત લોકો ત્યાં આશરો લઈ શકે. પ્રમુખ નાના અદ્દો ડાંકવા અકુફો-અડ્ડોએ જણાવ્યું હતું કે વિસ્ફોટના પરિણામે “પ્રાણીઓને નુકસાન” થયું હતું. તેમણે કહ્યું કે ઘટનાની જાણ થતાં જ પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી. આગને કાબુમાં લેવા માટે ફાયર ફાઈટર પણ હાજર હતા. Akufo-Addoએ ટ્વીટ કર્યું, “આ ખૂબ જ દુઃખદ અને કમનસીબ ઘટના છે. સરકાર વતી હું મૃતકોના પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું અને ઘાયલો ઝડપથી સાજા થાય તેવી કામના કરું છું.

આ પણ વાંચો : Pariksha Pe Charcha 2022: PM મોદી સાથે પરીક્ષા પર ચર્ચા કરવા માટે રજીસ્ટ્ર્રેશનની તારીખ લંબાવાઈ, આ રીતે કરો એપ્લાય

આ પણ વાંચો : PM મોદી સોમનાથ મંદિર પાસે બનેલા સર્કિટ હાઉસનું આજે કરશે વર્ચ્યુઅલી ઉદ્ઘાટન, ઘણી સુવિધાઓથી છે સજ્જ

Next Article