કેનેડામાં કેમ ગાયબ થઈ રહ્યા છે પાકિસ્તાની એરલાઈન્સના ક્રૂ મેમ્બર? બે વર્ષમાં ચાર ગુમ

|

Nov 19, 2023 | 7:45 PM

પાકિસ્તાની એરલાઈન પીઆઈએના અધિકારીઓએ કહ્યું છે કે ટોરોન્ટોમાં પાકિસ્તાની અધિકારીઓને બે સ્ટાફના ગાયબ થવાની જાણકારી કરવામાં આવી છે. આ મામલાની તપાસ બાદ બંને સામે કડક ખાતાકીય કાર્યવાહી શરૂ કરવામાં આવશે અને તેમની સેવાઓ સમાપ્ત કરવામાં આવશે.

કેનેડામાં કેમ ગાયબ થઈ રહ્યા છે પાકિસ્તાની એરલાઈન્સના ક્રૂ મેમ્બર? બે વર્ષમાં ચાર ગુમ
PIA

Follow us on

કેનેડામાં કંઈક એવું થઈ રહ્યું છે જેનાથી પાકિસ્તાન હેરાન થઈ રહ્યા છે. પાકિસ્તાનથી કેનેડા જઈ રહેલા પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સના બે ક્રૂ મેમ્બરના ગાયબ થવાની જાણકારી સામે આવી છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ઈસ્લામાબાદથી ટોરોન્ટો લેન્ડ કર્યા બાદ તરત જ એરલાઈનના બે સીનિયર ક્રૂ મેમ્બર ગાયબ થઈ ગયા છે. ક્રૂ મેમ્બરના અચાનક ગુમ થવાથી એરલાઈન્સમાં ગભરાટનો માહોલ છે.

પાકિસ્તાની ન્યૂઝ વેબસાઈટ ડોનના રિપોર્ટ મુજબ એરલાઈન્સના પ્રવક્તાએ પુષ્ટિ કરી કે ઈસ્લામાબાદથી ઉડાન ભરેલી પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સની ફ્લાઈટના બે વરિષ્ઠ ક્રૂ મેમ્બર ટોરોન્ટોમાં લેન્ડ કર્યા બાદ તરત જ ગાયબ થઈ ગયા હતા. આ બે લોકોના ગુમ થયા બાદ કેનેડામાં પીઆઈએ ક્રૂ મેમ્બર ગુમ થયાની સંખ્યા વધીને ચાર થઈ ગઈ છે કારણ કે ગયા વર્ષે પણ બે ક્રૂ મેમ્બર ગાયબ થયા હતા.

ટોરોન્ટોમાં લેન્ડિંગ પછી તરત જ ગાયબ

જે બે મેમ્બર્સ ગાયબ થયા હતા તેમની ઓળખ પીઆઈએના સીનિયર ફ્લાઈટ એટેન્ડન્ટ ખાલિદ મહમૂદ અને ફેદા હુસૈન તરીકે થઈ છે. બંને પીઆઈએની ફ્લાઈટ પીકે772 દ્વારા ઈસ્લામાબાદથી કેનેડા પહોંચ્યા હતા. ટોરોન્ટોમાં લેન્ડ કર્યા બાદ બંને ગાયબ થઈ ગયા હતા. પ્રવક્તાએ જણાવ્યું હતું કે સંપૂર્ણ શોધખોળ પછી, જ્યારે તેમનો કોઈ પત્તો મળ્યો ન હતો, ત્યારે વિમાન બે ક્રૂ સભ્યો વિના પરત ફર્યું હતું.

એક મેચમાં કોમેન્ટ્રી કરી લાખો કમાય છે આ પૂર્વ ક્રિકેટરો અને કોમેન્ટેટરો
ભારતમાં આ રાજ્યની છોકરીઓ હોય છે સૌથી વધુ સુંદર
ગુજરાતી મ્યુઝિક ડાયરેક્ટર મેહુલ સુરતી વિશે જાણો
આ લોકોએ ભૂલથી પણ ના ખાવી જોઈએ અળસી, જાણો કેમ?
Sargva : ક્યા લોકોએ સરગવાનું શાક ન ખાવું જોઈએ?
નવરાત્રિમાં ગુજરાતી સિંગર ઓસમાણ મીરના ગીતોની રમઝટ બોલે છે

શું પાકિસ્તાનની આર્થિક સ્થિતિ જવાબદાર?

પીઆઈએ ક્રૂ મેમ્બરના ગાયબ થવા પાછળ પાકિસ્તાનની આર્થિક સ્થિતિ પણ જવાબદાર હોવાનું કહેવાય છે. લોકોનું કહેવું છે કે છેલ્લા કેટલાક મહિનામાં પાકિસ્તાનની અર્થવ્યવસ્થા ખરાબ રીતે પડી ભાંગી છે જેના કારણે પીઆઈએને તેના ઘણા વિમાનો ગ્રાઉન્ડ કરવા પડ્યા હતા અને કર્મચારીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આવામાં તેના કર્મચારીઓ કેનેડામાં રહીને બીજી કંપનીમાં કામ કરવાનું વધુ સારું માની રહ્યા છે.

આ પણ વાંચો: લંડનમાં શીખ કિશોરની ચાકુના ઘા મારીને ઘાતકી હત્યા, 4 લોકોની ધરપકડ

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article