Sri Lanka Crisis: શ્રીલંકાના પીએમ રાનિલ વિક્રમસિંઘેના ખાનગી નિવાસસ્થાન પર પ્રદર્શનકારીઓએ આગ લગાવી, 13 જુલાઇએ પીએમ રાજીનામું આપશે

શ્રીલંકામાં (Sri Lanka) વધી રહેલા આર્થિક સંકટે દેશને હિંસાની આગમાં ધકેલી દીધો છે. ગુસ્સે થયેલા વિરોધીઓએ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના સત્તાવાર નિવાસસ્થાન પર વિનાશ કર્યા પછી વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘેના ઘરને હવે આગ લગાડવામાં આવી છે.

Sri Lanka Crisis: શ્રીલંકાના પીએમ રાનિલ વિક્રમસિંઘેના ખાનગી નિવાસસ્થાન પર પ્રદર્શનકારીઓએ આગ લગાવી, 13 જુલાઇએ પીએમ રાજીનામું આપશે
શ્રીલંકામાં પ્રદર્શનકારીઓએ પીએમના નિવાસસ્થાનને આગ લગાવી
Image Credit source: Twitter
| Edited By: | Updated on: Jul 09, 2022 | 10:44 PM

Sri Lanka Economic Crisis: શ્રીલંકામાં ગહન આર્થિક કટોકટીએ દેશને હિંસાની આગમાં ધકેલી દીધો છે. ગુસ્સે થયેલા વિરોધીઓએ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના સત્તાવાર નિવાસસ્થાન પર વિનાશ સર્જ્યા બાદ વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘેના ઘરને પણ આગ લગાડી દેવામાં આવી છે. ટોળાએ શનિવારે સાંજે કોલંબોમાં વડાપ્રધાન વિક્રમસિંઘેના નિવાસસ્થાન તરફ કૂચ કરી હતી. આ દરમિયાન સુરક્ષાકર્મીઓએ તેમને રોકવાનો ઘણો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ તેમને રોકવામાં નિષ્ફળ રહ્યા. દેખાવકારોએ સુરક્ષાકર્મીઓ સાથે પણ ભળવાનો પ્રયાસ કર્યો અને તેમના પર પથ્થરમારો કર્યો. પોલીસકર્મીઓએ પણ જવાબી કાર્યવાહી કરી હતી, જેમાં ઓછામાં ઓછા 4 પત્રકારો ઘાયલ થયા હતા.

આ પછી, વિરોધીઓ વિક્રમસિંઘેના ઘરની બહાર એકઠા થયા અને તેમના ઘરને આગ લગાવી દીધી. આ ઘટના વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘેના રાજીનામાના કલાકો બાદ સામે આવી છે. દેશમાં વધી રહેલા વિરોધને પગલે વિક્રમસિંઘેએ પાર્ટીના નેતાઓ સાથેની બેઠકમાં રાજીનામાની જાહેરાત કરી હતી. જોકે, અગાઉ તેમણે કહ્યું હતું કે તેઓ રાજીનામું નહીં આપે. રાજીનામું આપતા પહેલા રાનિલે કહ્યું હતું કે તેઓ રાજીનામું આપવા અને સર્વપક્ષીય સરકારનો માર્ગ મોકળો કરવા તૈયાર છે.

 

 

સર્વપક્ષીય સરકાર બનાવવાનો પ્રસ્તાવ

વિક્રમસિંઘે જણાવ્યું હતું કે તેઓ નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે રાજીનામું આપવાની વિરોધ પક્ષના નેતાઓની ભલામણ સાથે સંમત છે. વિક્રમસિંઘેએ બાદમાં મીડિયાને જણાવ્યું કે તેમણે રાષ્ટ્રપતિને સર્વપક્ષીય સરકારની રચનાનો પ્રસ્તાવ મૂક્યો હતો. તેમણે કહ્યું કે જ્યારે વર્તમાન સરકાર રાજીનામું આપે ત્યારે નવી સરકાર બનાવવી જોઈએ અને સરકાર વિના દેશ ચાલે તે સમજદારીભર્યું નથી. સરકાર વિરોધી વિરોધને પગલે મે મહિનામાં તત્કાલિન વડા પ્રધાન મહિન્દા રાજપક્ષેએ રાજીનામું આપ્યા બાદ વિક્રમસિંઘેને વડા પ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

પ્રદર્શનકારીઓ રાષ્ટ્રપતિ આવાસમાં ઘૂસી ગયા હતા

તેમનો નિર્ણય મધ્ય કોલંબોના ભારે રક્ષિત ફોર્ટ વિસ્તારમાં બેરિકેડ્સને હટાવીને વિરોધીઓએ રાષ્ટ્રપતિના સત્તાવાર નિવાસસ્થાન પર હુમલો કર્યાના કલાકો પછી આવ્યો હતો. સુરક્ષાકર્મીઓ અને દેખાવકારો વચ્ચેની અથડામણમાં સાત સુરક્ષાકર્મીઓ સહિત ઓછામાં ઓછા 45 લોકો ઘાયલ થયા છે. શ્રીલંકામાં શનિવારના વિરોધને પગલે રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે શુક્રવારે તેમનું સત્તાવાર નિવાસસ્થાન છોડી દીધું હતું. તે આ સમયે ક્યાં છે, તેના વિશે હજુ સુધી કોઈ માહિતી બહાર આવી નથી.

Published On - 10:42 pm, Sat, 9 July 22