Sri Lanka Crisis: શ્રીલંકામાં એપ્રિલના અંત સુધીમાં પેટ્રોલ પંપ પર પૂરું થઈ શકે છે ઈંધણ, જાણો શું ભારત મદદ કરી શકશે?

|

Apr 08, 2022 | 5:13 PM

Sri Lanka Crisis: શ્રીલંકામાં આર્થિક કટોકટી વધુ ઘેરી બની છે. આ દરમિયાન એપ્રિલના અંત સુધીમાં શ્રીલંકામાં પેટ્રોલ અને ડીઝલની અછત વધી શકે છે. જોકે, આગામી બે સપ્તાહમાં ભારત દ્વારા 120,000 ટન ડીઝલ અને 40,000 ટન પેટ્રોલની ડિલિવરી કરવામાં આવશે.

Sri Lanka Crisis: શ્રીલંકામાં એપ્રિલના અંત સુધીમાં પેટ્રોલ પંપ પર પૂરું થઈ શકે છે ઈંધણ, જાણો શું ભારત મદદ કરી શકશે?
પ્રતિકાત્મક તસવીર

Follow us on

Sri Lanka Crisis: શ્રીલંકામાં આર્થિક કટોકટી વધુ ઘેરી બની છે. આ દરમિયાન એપ્રિલના અંત સુધીમાં શ્રીલંકામાં પેટ્રોલ અને ડીઝલની અછત વધી શકે છે. જોકે, આગામી બે સપ્તાહમાં ભારત દ્વારા 120,000 ટન ડીઝલ અને 40,000 ટન પેટ્રોલની ડિલિવરી કરવામાં આવશે. શ્રીલંકાની 500 મિલિયન ડોલરની ઇંધણ સહાયથી વીજળીની કટોકટીનો અંત આવશે. ભારત 15, 18 અને 23 એપ્રિલના રોજ ત્રણ 40,000 ટન ડીઝલ શિપમેન્ટ મોકલવાનું સુનિશ્ચિત કરે છે. સમાન જથ્થાનું પેટ્રોલ શિપમેન્ટ 22 એપ્રિલે મોકલવામાં આવશે. ભારતે બુધવારે શ્રીલંકાને 36,000 ટન પેટ્રોલ અને 40,000 ટન ડીઝલ સહિત બે વધુ ઇંધણના માલસામાન મોકલ્યા છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ મહિનાના અંત સુધીમાં શ્રીલંકામાં ઇંધણ સમાપ્ત થઈ શકે છે. આ સંદર્ભે, ભારત અને શ્રીલંકાના અધિકારીઓ ક્રેડિટ લાઇન વધારવા માટે વાતચીત કરી રહ્યા છે. જો વાટાઘાટો નિષ્ફળ જાય, તો શ્રીલંકાને પહેલાથી કરેલી ખરીદીઓ માટે ચૂકવણા થયા પછી જ ફરીથી ક્રેડિટ લાઇનનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવશે. ભારતે તેની પડોશી નીતિના ભાગરૂપે શ્રીલંકાને દાયકાઓમાં સૌથી ખરાબ આર્થિક કટોકટીમાંથી બહાર નીકળવામાં મદદ કરવા માટે અત્યાર સુધીમાં 270,000 ટન ઇંધણ પૂરું પાડ્યું છે.

ભારતે શ્રીલંકાને ખોરાક અને દવાઓ જેવી અન્ય આવશ્યક વસ્તુઓની ખરીદી માટે 2.5 બિલિયનની ક્રેડિટ લાઇન આપી છે. આ સિવાય ઈંધણ માટે 500 મિલિયનની ક્રેડિટ લાઇન આપવામાં આવી છે. શ્રીલંકા 1948માં યુનાઇટેડ કિંગડમથી આઝાદી મેળવ્યા બાદ તેના સૌથી ખરાબ આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. આ કટોકટીના પગલે, વિક્રમી મોંઘવારી અને લાંબા સમય સુધી અંધારપટની સાથે ખાદ્ય અને ઈંધણનો પુરવઠો ખરાબ થઈ ગયો છે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
આજનું રાશિફળ તારીખ 26-04-2024

શ્રીલંકામાં મોટા પાયે પ્રદર્શન

શ્રીલંકામાં વિદેશી હૂંડિયામણના ઘટતા ભંડાર વચ્ચે મોટા પાયે વિરોધ પ્રદર્શનો થયા છે. શ્રીલંકાની સરકારનું કહેવું છે કે, રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષે કોઈપણ સંજોગોમાં રાજીનામું આપશે નહીં અને તેઓ વર્તમાન સમસ્યાઓનો સામનો કરશે. સરકારે કટોકટી લાદવાના રાજપક્ષેના નિર્ણયનો પણ બચાવ કર્યો હતો, જેને પાછળથી પાછો ખેંચી લેવામાં આવ્યો હતો. રાજપક્ષેએ દેશની બગડતી આર્થિક કટોકટી અને તેમના રાજીનામાની માંગને લઈને વ્યાપક વિરોધને કારણે 1 એપ્રિલના રોજ કટોકટીની સ્થિતિ લાદી હતી. ઈમરજન્સી લાગુ થયા બાદ સરકારના તમામ કેબિનેટ મંત્રીઓએ રાજીનામું આપી દીધું હતું.

આ પણ વાંચો: NEET 2022: સરકારી શાળાના વિદ્યાર્થીઓ માટે NEETમાં અનામત યથાવત રહેશે, હાઈકોર્ટે આપ્યો ચુકાદો

આ પણ વાંચો: Maharashtra: યુક્રેનથી પરત આવેલા વિદ્યાર્થીઓ હવે ભારતમાં મેડિસિનનો અભ્યાસ કરી શકશે, સરકારે શરૂ કર્યું ઇ-લર્નિંગ કન્ટેન્ટ, જાણો સમગ્ર વિગત

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

Published On - 5:10 pm, Fri, 8 April 22

Next Article