ચીન પર ફૂટ્યો નેપાળીઓનો ગુસ્સો, દખલગીરીથી પરેશાન લોકો ઉતર્યા રસ્તા પર

|

Jan 14, 2022 | 2:16 PM

ચીનની વધી રહેલી દખલગીરીથી નારાજ નેપાળના લોકો રસ્તા પર ઉતરી આવ્યા અને આ સાથે જ તેઓએ નેપાળમાં ચીનના રાજદૂત હોઉ યાન્કીની તસવીરો પણ સળગાવી હતી.

ચીન પર ફૂટ્યો નેપાળીઓનો ગુસ્સો, દખલગીરીથી પરેશાન લોકો ઉતર્યા રસ્તા પર
Scores protest in Nepal against Chinese interference in Nepalese affairs (Photo source -ANI)

Follow us on

નેપાળમાં (Nepal) ચીનની (China) વધતી જતી દખલગીરીના વિરોધમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ચીનના રાજદૂત હોઉ યાન્કીની તસવીરો બાળી હતી. નેપાળના હિન્દુ નાગરિક સમાજે બુધવારે કાઠમંડુમાં ‘રાષ્ટ્રીય એકતા અભિયાન’ હેઠળ દેશની આંતરિક બાબતોમાં ચીનના વધતા જતા દખલ સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન ગુસ્સે થયેલા પ્રદર્શનકારીઓએ ચીનના રાજદૂત હોઉ યાન્કીની તસવીરો પણ સળગાવી દીધી હતી.

કાઠમંડુના રસ્તાઓ પર એકઠા થયેલા દેખાવકારોએ ચીન વિરોધી સૂત્રોચ્ચાર કરતા કહ્યું કે ચીનના રાજદૂતે નેપાળની આંતરિક બાબતોમાં બિનજરૂરી દખલ કરવાની આદત છોડી દેવી જોઈએ. તેમણે રાસુવાગઢી તાતોપાની ખાતે અઘોષિત નાકાબંધી અને રાજદ્વારી સરહદો પાર કરવા બદલ હાઉ યાન્કીની પણ આકરી ટીકા કરી હતી. વિરોધીઓએ પ્લેકાર્ડ સાથે રાખ્યા હતા જેમાં લખ્યું હતું, ‘ચીની રાજદૂત યાન્કી ગો બેક’.

આ સંગઠને મંગળવારે જનકપુરના જનક ચોકમાં ચીન વિરુદ્ધ પ્રદર્શન પણ કર્યું હતું. ચીન વિવાદાસ્પદ અભિગમ સહિત નેપાળમાં તેની રાજકીય, આર્થિક અને સાંસ્કૃતિક હાજરીમાં વધારો કરવાનું ચાલુ રાખતા હોવાથી નેપાળમાં તેની સામે ગુસ્સો વધી રહ્યો છે. દેશભરમાં ચીન વિરોધ પ્રદર્શન કરતી વખતે લોકો રસ્તા પર ઉતરી રહ્યા છે. ભૂતકાળમાં પણ આવા વિરોધ પ્રદર્શનો થયા છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

ચીને નેપાળમાં તેની ગતિવિધિઓ તેજ કરી છે. નેપાળ સરકારના કામકાજમાં ચીનના રાજદૂતની દખલગીરી ભૂતકાળમાં ઘણી વખત સામે આવી ચૂકી છે. હાઉ યાન્કી અને નેપાળના પૂર્વ વડાપ્રધાન કેપી શર્મા ઓલીની નિકટતા કોઈનાથી છુપી નથી. એવું કહેવાય છે કે ઓલીએ ચીનને નેપાળમાં પગ જમાવવામાં મદદ કરી હતી. હવે મોટા ભાગના નેપાળી ઈચ્છે છે કે ચીનને સીમિત કરવામાં આવે અને તેના રાજદૂતને બિનજરૂરી દખલ કરતા અટકાવવામાં આવે. તે જાણીતું છે કે અગાઉ સ્વતંત્ર નાગરિક સમાજે પણ ચીનની હરકતો સામે પ્રદર્શન કર્યું હતું.

 

આ પણ વાંચો –

Boris Johnson ટૂંક સમયમાં આપી શકે છે રાજીનામું, ભારતીય મૂળના ઋષિ સુનક બની શકે છે બ્રિટનના નવા PM

આ પણ વાંચો –

S-400 મિસાઇલ સિસ્ટમની ખરીદી મામલે અમેરિકી પ્રતિબંધોથી બચી શકે છે ભારત, રાષ્ટ્રપતિ જો બાઇડના સહયોગીએ આપ્યો આ સંકેત

આ પણ વાંચો –

Rocket Attack: બગદાદમાં અમેરિકી દૂતાવાસ પર રોકેટ હુમલો, એક બાળક અને એક મહિલા ઘાયલ

Next Article