Russia-Ukraine War: રશિયાએ લ્વીવ શહેરમાં 5 મિસાઈલ છોડી, 6 લોકોના મોત, યુક્રેનના PMએ કહ્યું- આત્મસમર્પણ નહીં કરે દેશ

|

Apr 18, 2022 | 3:20 PM

Russia Ukraine War: યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ (Volodymyr Zelenskyy) વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ મારિયુપોલમાં અંત સુધી લડવાનો સંકલ્પ લીધો છે.

Russia-Ukraine War: રશિયાએ લ્વીવ શહેરમાં 5 મિસાઈલ છોડી, 6 લોકોના મોત, યુક્રેનના PMએ કહ્યું- આત્મસમર્પણ નહીં કરે દેશ
Russia-Ukraine War ( File Photo)

Follow us on

રશિયાએ સોમવારે વહેલી સવારે યુક્રેનના (Ukraine) પશ્ચિમી શહેર લ્વીવમાં મિસાઈલ હુમલો કર્યો હતો. હુમલા બાદ અનેક વિસ્ફોટો થયા હતા, જેમાં છ લોકો માર્યા ગયા હતા અને અન્ય આઠ ઘાયલ થયા હતા. સમાચાર એજન્સી રોયટર્સે કહ્યું કે અહીં લ્વીવમાં (Blast in Lviv) ઓછામાં ઓછા વિસ્ફોટ થયા છે. સ્થાનિક લોકોએ એમ પણ જણાવ્યું કે અહીં અનેક વિસ્ફોટોના અવાજો સંભળાયા છે. લ્વીવના મેયર એન્ડ્રા સદોવીએ સોમવારે શહેરમાં અનેક મિસાઈલ હુમલાઓ વિશે ફેસબુક પર પોસ્ટ કર્યું. તેમણે કહ્યું કે અહીં પાંચ મિસાઈલ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. ઈમરજન્સી સેવા સ્થળ પર પહોંચી ગઈ છે.

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ મારિયુપોલમાં અંત સુધી લડવાનો સંકલ્પ લીધો છે. રશિયન દળોએ બંદરગાહ શહેરમાં એક વિશાળ સ્ટીલ પ્લાન્ટનો નાશ કર્યો છે, જે દક્ષિણ યુક્રેનિયન શહેર મારિયુપોલમાં પ્રતિકારનું છેલ્લું સ્થળ હતું. લ્વીવ અને બાકીનો પશ્ચિમી યુક્રેન, દેશના અન્ય ભાગો કરતાં રશિયન આક્રમણથી ઓછો પ્રભાવિત થયો છે અને અત્યાર સુધી આ શહેર પ્રમાણમાં સલામત આશ્રયસ્થાન માનવામાં આવતું હતું. લ્વીવના મેયરે વિસ્ફોટ વિશે વધુ વિગતો આપી ન હતી. બંને દેશો વચ્ચેના યુદ્ધને 54 દિવસ થઈ ગયા છે.

યુક્રેન આત્મસમર્પણ કરશે નહીં: વડાપ્રધાન ડેનિસ શિમગલ

અહીં યુક્રેનના વડાપ્રધાન ડેનિસ શિમગલે રવિવારે એબીસીને જણાવ્યું હતું કે, અમે આ યુદ્ધ જીતવા માટે છેલ્લા શ્વાસ સુધી લડીશું. યુક્રેન કૂટનીતિ દ્વારા યુદ્ધનો અંત લાવવા માટે તૈયાર છે, પરંતુ અમારો આત્મસમર્પણ કરવાનો ઈરાદો નથી. તેમણે કહ્યું કે જો શક્ય હોય તો યુક્રેન કૂટનીતિ દ્વારા યુદ્ધનો અંત લાવવા તૈયાર છે. પરંતુ અમારો શરણે જવાનો ઈરાદો નથી. યુક્રેનના ડેપ્યુટી ડિફેન્સ મિનિસ્ટર હેન્ના માલયારે મારિયુપોલને યુક્રેનનું રક્ષણ કરતી ઢાલ ગણાવી હતી. તેમણે કહ્યું કે મારિયુપોલ પર રશિયાના હુમલા છતાં યુક્રેનિયન દળો અડગ છે. દેશના જુદા જુદા ભાગોમાં મિસાઈલ અને રોકેટ છોડવામાં આવ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 15-05-2024
આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજું પ્રી-વેડિંગ સેલિબ્રેશન
આજનું રાશિફળ તારીખ : 14-05-2024
મહાકાલના દર્શન કરતી વખતે આ બાબતોનું ખાસ રાખો ધ્યાન

ઝેલેન્સ્કીએ રશિયા પર ત્રાસનો આરોપ મૂક્યો

વોલોદિમીર ઝેલેન્સ્કીએ રશિયન સૈનિકો પર તેના નિયંત્રણ હેઠળના વિસ્તારોમાં લોકોને ત્રાસ આપવા અને અપહરણ કરવાનો આરોપ મૂક્યો છે. વોલોદિમીર ઝેલેન્સ્કીએ કહ્યું કે તેઓ પૂર્વી યુક્રેનને સુરક્ષિત રાખવા માટે બધું કરી રહ્યા છે. રવિવારે સાંજે રાષ્ટ્રને સંબોધતા ઝેલેન્સ્કીએ કહ્યું કે ટોર્ચર ચેમ્બર બનાવવામાં આવી છે. તેઓ સ્થાનિક સરકારોના પ્રતિનિધિઓ અને સ્થાનિક સમુદાયના લોકોનું અપહરણ કરી રહ્યા છે. ઝેલેન્સ્કીએ કહ્યું કે માનવતાવાદી સહાયની વસ્તુઓ ચોરાઈ ગઈ, જેના કારણે દુષ્કાળ પડ્યો. ઝેલેન્સ્કીએ ફરી એક વખત વિશ્વને અન્ય ક્ષેત્રોની વચ્ચે બેંકિંગ ક્ષેત્ર અને તેલ ઉદ્યોગમાં રશિયા સામે પ્રતિબંધો વધારવા આહ્વાન કર્યું.

આ પણ વાંચો: આજથી વડાપ્રધાન મોદી ગુજરાતના પ્રવાસે, 20મી સુધી અહીં જ રોકાશે

આ પણ વાંચો: તુર્કીએ ઈરાક પર કરી એરસ્ટ્રાઈક, દારૂગોળાના ડેપોને નિશાન બનાવવામાં આવ્યા

Next Article