Ukraine Russia Crisis : રશિયા અને યુક્રેન વચ્ચે શરૂ થયેલા યુદ્ધનો (Russia Ukraine War) આજે 18મો દિવસ છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ કહ્યું કે માનવ કોરિડોર (Human Corridor) દ્વારા ચાર શહેરોમાંથી વધુ 7144 નાગરિકોને બહાર કાઢવામાં આવ્યા છે. રાષ્ટ્રને આપેલા સંબોધનમાં ઝેલેન્સકીએ (Volodymyr Zelenskyy) જણાવ્યું હતું કે મેરીયુપોલના મહત્વપૂર્ણ શહેરની પરિસ્થિતિ “વિનાશક” રહી છે. અહીં રશિયન સેના લોકોને શહેરની બહાર જવાની પરવાનગી નથી આપી રહી. શહેરો રશિયન દળો દ્વારા ઘેરાયેલા છે, હજારો લોકો વીજળી, પાણી, ખોરાક અને દવા વિના ત્યાં ફસાયેલા છે.
અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) જેક સુલિવને રવિવારે કહ્યું કે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન યુક્રેનમાં તેમના દળોની પ્રગતિથી નિરાશ છે. સાથોસાથ, સુલિવને વચન આપ્યું હતું કે નાટો પ્રદેશના દરેક ઇંચનું રક્ષણ કરવામાં આવશે. સુલિવને સીએનએન સાથેની એક મુલાકાતમાં જણાવ્યું હતું કે વ્લાદિમીર પુતિન એ હકીકતથી હતાશ છે કે તેમની સૈન્ય યુક્રેનમાં તે પ્રકારની પ્રગતિ દર્શાવી રહી નથી જે તેમણે કીવ સહિતના મોટા શહેરોમાં અપેક્ષા રાખી હતી.
યુક્રેનમાં યુદ્ધનો વિરોધ કરવા માટે ઘણા રશિયન નાગરિકો રવિવારે દરિયાકાંઠાના રિસોર્ટ ટાઉન લિમાસોલમાં યુક્રેનિયનો સાથે જોડાયા હતા. અન્ય વિરોધીઓમાં જોડાતા પહેલા લગભગ 50 રશિયન નાગરિકો લિમાસોલના એક રિસોર્ટમાં એકઠા થયા હતા અને સ્ટોપ ધ વોર, સ્ટોપ પુતિન અને પુતિન વિના રશિયા સહિતના સૂત્રો પોકાર્યા હતા. તેઓએ વાદળી અને સફેદ ધ્વજ લહેરાવ્યા.
યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં લગભગ 1,25,000 નાગરિકોને સુરક્ષિત કોરિડોર દ્વારા બહાર કાઢવામાં આવ્યા છે અને એક ટીમ માનવતાવાદી સહાય સાથે રશિયન દળો દ્વારા ઘેરાયેલા મારીયુપોલ શહેર તરફ આગળ વધી રહી છે. ઝેલેન્સકીએ રવિવારે જાહેર કરેલા એક વીડિયો સંદેશમાં જણાવ્યું હતું કે અમે અત્યાર સુધી માનવતાવાદી કોરિડોર દ્વારા લગભગ 1,25,000 લોકોને બહાર કાઢ્યા છે. તેમણે કહ્યું કે અમારી ટીમ માનવતાવાદી સહાય સાથે મારીયુપોલ તરફ આગળ વધી રહી છે, જે હવે માત્ર 80 કિમી દૂર છે. અમે આક્રમણકારોનો સામનો કરવા માટે તમામ સંભવિત પગલાં લઈ રહ્યા છીએ.
યુકે સરકારે રવિવારે યુક્રેનિયન શરણાર્થીઓને તેમના ઘરમાં આશ્રય આપનારા પરિવારોને દર મહિને £350 (US$456) ભથ્થાની જાહેરાત કરી હતી. બ્રિટનના હાઉસિંગ મિનિસ્ટર માઈકલ ગોવે ટેલિવિઝન ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે તેમને હજારો શરણાર્થીઓને વધારાની યોજનાઓનો લાભ મળવાની અપેક્ષા છે.
મેયરને ટાંકીને એએફપીના અહેવાલ મુજબ હુમલો શરૂ થયો ત્યારથી અત્યાર સુધીમાં 2,100 થી વધુ મારિયુપોલના રહેવાસીઓ માર્યા ગયા છે.
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલુ છે. આ દરમિયાન અમેરિકાએ રશિયાને મદદ કરવા બદલ ચીન પર પ્રતિબંધ લગાવવાની ધમકી આપતા કહ્યું છે કે તેને પરિણામ ભોગવવા પડશે.
યુક્રેનિયન શરણાર્થીઓને લઈ જતી બસ રવિવારે વહેલી સવારે ઈટાલીના એક મુખ્ય હાઈવે પર પલટી ગઈ હતી. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું હતું.
યુક્રેનમાં અમેરિકન પત્રકારની ગોળી મારીને હત્યા. સાક્ષીઓને ટાંકીને એએફપીનો અહેવાલ
Ukraine Russia War Live Updates: પોલેન્ડના રાષ્ટ્રપતિ એન્ડ્રેઝ ડુડાએ રવિવારે કહ્યું કે જો રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વિનાશક શસ્ત્રોનો ઉપયોગ કરશે, તો તે ગેમ ચેન્જર હશે. તેમણે કહ્યું કે નાટોએ શું કરવું તે અંગે ગંભીરતાથી વિચારવું પડશે. બીબીસી સાથેની એક મુલાકાતમાં ડુડાએ કહ્યું, ‘દરેકને આશા છે કે તે આવું કરવાની હિંમત નહીં કરે.’
Ukraine Russia War Live Updates: યુક્રેનના વિદેશ મંત્રીએ કહ્યું, “આજે, રશિયન સૈન્યએ અન્ય યુક્રેનના મેયર, ડીનિપ્રોરુડને યેવગેન માતવેયેવના વડાને પકડી લીધા છે. રશિયન આક્રમણકારો હવે આતંક તરફ વળ્યા છે. હું તમામ દેશો અને આંતરરાષ્ટ્રીય સંગઠનોને યુક્રેન અને લોકશાહી વિરુદ્ધ રશિયન આતંકવાદને રોકવા માટે આહ્વાન કરું છું.
Ukraine Russia War Live Updates: યુક્રેનનું કહેવું છે કે રશિયાએ જે લવીવ બેઝ પર હુમલો કર્યો ત્યાં વિદેશી પ્રશિક્ષકો પણ હાજર હતા.
યુક્રેનના વડા પ્રધાન ડેનિસ શ્યાગલે જણાવ્યું હતું કે, યુક્રેન સરકાર રશિયાના આક્રમણ વચ્ચે ખાદ્ય પુરવઠાને સુરક્ષિત કરવાના પ્રયાસમાં પાક-વાવણી અભિયાનને સમર્થન આપવા માટે એક યોજના રજૂ કરશે. યુક્રેન પાસે આગામી કેટલાક મહિનાઓ માટે જરૂરી ખોરાકનો હાલ પૂરતો જથ્થો છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બેલારુસના શબઘરો રશિયન સૈનિકોના મૃતદેહોથી ભરેલા છે. આ મૃતદેહોને ટ્રક મારફતે રશિયા મોકલવામાં આવી રહ્યા છે.
આ બેઠકમાં વડાપ્રધાન ઉપરાંત રક્ષા મંત્રી રાજનાથ સિંહ, નાણા મંત્રી નિર્મલા સીતારમણ અને વિદેશ મંત્રી એસ જયશંકર હાજર રહેવાના છે. આ સાથે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, કેબિનેટ સચિવ, વિદેશ સચિવ હર્ષવર્ધન શૃંગલા અને વડાપ્રધાનના મુખ્ય સચિવ પીકે મિશ્રા પણ બેઠકમાં સામેલ થશે.
ભારતની સુરક્ષા તૈયારીઓ અને યુક્રેનિયન સ્થિતિની સમીક્ષા કરવા માટે PM મોદી ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરશે.
NATO ના સભ્યો અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ઉપયોગમાં લેવાતા ઘાતક શસ્ત્રોના પરિવહન માટે સૌથી સુરક્ષિત હબ તરીકે તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે કારણ કે રશિયાએ મોટાભાગના યુક્રેનિયન એરબેઝ પર બોમ્બમારો કર્યો છે.
લવીવના પશ્ચિમ શહેરની નજીક આવેલા યવોરીવ બેઝને “પીસકીપર સેન્ટર” કહેવામાં આવે છે. તેનો ઉપયોગ વિદેશી ટ્રેનર્સ દ્વારા કરવામાં આવે છે, મુખ્યત્વે યુએસ ફ્લોરિડા નેશનલ ગાર્ડ, યુક્રેનની સૈન્યને તાલીમ આપવા માટે તેમજ યુક્રેનને રશિયાને પડકાર આપતું નાટો બેઝ તૈયાર કરવા માટે તેનો ઉપયોગ થઈ રહ્યો છે.
રશિયાએ પોલેન્ડની સરહદોથી લગભગ 25 કિમી દૂર યોવોરિવમાં નાટો-યુએસ-યુક્રેન સંયુક્ત તાલીમ કેન્દ્ર પર હુમલો કર્યો છે.
રશિયાએ દાવો કર્યો છે કે, એર ડિફેન્સ ફોર્સે ડીપીઆરમાં યુક્રેનની બીજી મિસાઈલ ‘ટોચકા-યુ’ને અટકાવી છે, તેના ટુકડા સ્કૂલની નજીક પડ્યા છે.
રશિયાએ યુક્રેનિયન શહેરો પર તેના બોમ્બ ધડાકાને વધુ તીવ્ર બનાવ્યા છે,ત્યારે રાજધાની કિવની બહાર હાલ સ્થિતિ વિકટ બની રહી છે.
સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર, રશિયાએ યુક્રેનના લવીવની બહાર લશ્કરી મથક પર હુમલો કર્યો.
સ્વીડનના વિદેશ મંત્રીએ રશિયાની તાજેતરની ચેતવણીઓને ફગાવી દીધી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે જો આ દેશ (સ્વીડન) NATOમાં સામેલ થશે તો મોસ્કો તરફથી જવાબી કાર્યવાહી કરવામાં આવશે.
ઝેલેન્સકીએ કહ્યુ કે,’જો તેઓ બોમ્બ ફેંકીને આ પ્રદેશના ઈતિહાસને ભૂંસી નાખવાનું નક્કી કરશે…અને આપણા બધાનો નાશ કરશે, તો તેઓ કિવમાં પ્રવેશી શકશે. પરંતુ આ તેમનો ધ્યેય છે, તેથી તેમને અંદર આવવા દો, પરંતુ તેઓએ આ જમીન પર જાતે જ રહેવું પડશે.’
યુક્રેન પર હુમલો કરનારા રશિયન સૈનિકોને રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ કહ્યું, “તમારી પાસે ઘણા બધા શસ્ત્રો છે, પરંતુ તમારી પાસે અમને હરાવવાની તાકાત અને હિંમત નથી.”
યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ કહ્યું, ‘યુક્રેન આ પરીક્ષા પાસ કરશે, આપણી જમીનમાં ઘૂસી ગયેલા યુદ્ધ મશીનને તોડવા માટે આપણને સમય અને શક્તિની જરૂર છે.’
રશિયન સેનાએ ખેરસનને કબજે કરી લીધુ છે.તમને જણાવી દઈએ કે,આ અગાઉ રશિયન સમર્થક અલગતાવાદીઓએ વર્ષ 2014 માં ડોનેટ્સક અને લુહાન્સ્કના પૂર્વીય પ્રદેશોમાં યુક્રેનિયન સેના સાથે લડવાનું શરૂ કર્યું હતુ.
યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ કહ્યું કે, રશિયા તેમના દેશને તોડવા માટે યુક્રેનમાં એક નવું “સ્યુડો રિપબ્લિક” બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. ઝેલેન્સકીએ શનિવારે રાત્રે રાષ્ટ્રને પોતાના સંબોધનમાં આ વાત કહી હતી. આ સાથે તેમણે ખેરસન સહિતના યુક્રેનના પ્રદેશોને ડોનેટ્સક અને લુહાન્સ્કમાં જે બન્યું તેનું પુનરાવર્તન ન થવા દેવાની અપીલ કરી.
મેયરના કાર્યાલયના જણાવ્યા અનુસાર, રશિયન સેનાના ગોળીબારમાં મારિયુપોલ શહેરમાં 1,500 થી વધુ લોકોના મોત થયા છે. આ માર્યા ગયેલા લોકોને સામૂહિક કબરોમાં દફનાવવાના પ્રયાસોને પણ રશિયા નિષ્ફળ બનાવી રહી છે.
રશિયા નજીકના ભવિષ્યમાં પશ્ચિમ દેશો સામે વ્યક્તિગત પ્રતિબંધો લાદીને બદલો લેશે. દેશના નાયબ વિદેશ મંત્રી સર્ગેઈ રાયબકોવે શનિવારે આ જાણકારી આપી. ANIએ શિન્હુઆ ન્યૂઝ એજન્સીને ટાંકીને કહ્યું કે, ‘સૂચિ તૈયાર છે’, આ પ્રતિબંધો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
યુક્રેને રશિયા પર મેલિટોપોલના મેયર ઇવાન ફેડોરોવનું અપહરણ કરવાનો આરોપ લગાવ્યો છે. તમને જણાવવુ રહ્યુ કે, 150,000 લોકોની વસ્તી ધરાવતા આ શહેરને આક્રમણ શરૂ થયાના બે દિવસ બાદ રશિયા દ્વારા કબજે કરવામાં આવ્યું હતું.
ઝેલેન્સકીએ એક ન્યૂઝ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, રશિયા યુક્રેનની રાજધાની ફક્ત ત્યારે જ કબજે કરી શકે છે “જો તેઓ અમને બધાને મારી નાખે.”
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનના કાર્યાલયે કહ્યું છે કે, જર્મન ચાન્સેલર ઓલાફ શુલ્ટ્ઝ અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથેની તેમની ત્રિપક્ષીય વાટાઘાટો “ખૂબ જ સ્પષ્ટ અને મુશ્કેલ પણ હતી.”
યુનાઇટેડ નેશન્સ ઓફિસ ફોર હ્યુમન રાઇટ્સ (UNHCHR) એ જણાવ્યું કે, યુક્રેનમાં યુદ્ધની શરૂઆતથી અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 579 નાગરિકો માર્યા ગયા છે અને 1,000 થી વધુ લોકો ઘાયલ થયા છે.
કિવ ઈન્ડિપેન્ડન્ટે યુક્રેનના ડેપ્યુટી PM ઈરિના વેરેશ્ચુકને ટાંકીને જણાવ્યું હતું કે, યુક્રેને 12 માર્ચે માનવતાવાદી કોરિડોર દ્વારા 13,000 નાગરિકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા.
US સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટની બ્લિંકનમેં જણાવ્યુ કે, વધારાના શસ્ત્રો અને સાધનો માટે અમે યુક્રેનને 200 ડોલર મિલિયન સહાય આપવાની મંજૂરી આપી છે. તમને જણાવી દઈએ કે, એક વર્ષથી ઓછા સમયમાં અમેરિકાએ યુક્રેનને 1.2 ડોલર બિલિયનથી વધુ સુરક્ષા સહાય આપી છે.
યુક્રેન અને રશિયા વચ્ચે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા શાંતિ મંત્રણા થઈ હતી.વાટાઘાટોની પ્રાથમિકતાઓમાં માનવતાવાદી કોરિડોરનું વિસ્તરણ મુખ્ય બાબત રહી છે.
યુક્રેન સૈન્યનું કહેવું છે કે તેણે માર્યુપોલના પૂર્વી બહારના વિસ્તાર પર કબજો કરી લીધો છે. શનિવારે સૈન્યએ જણાવ્યું હતું કે, પૂર્વમાં મેરિયુપોલ અને સેવેરોડોનેત્સ્કને કબજે કરવું એ રશિયન સૈન્ય માટે પ્રાથમિકતા છે.
AFP સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર,રશિયનસેનાએ કિવ નજીક યુક્રેનના 1 બાળક સહિત 7 લોકોને ગોળી મારી.
Published On - 8:07 am, Sun, 13 March 22