પાકિસ્તાનીઓ પણ હવે જાણે છે કે, આ મનમોહન નહીં પરંતુ મોદી સરકાર છે, ઇમરાન ખાન શું આ વાત સમજશે ?

|

Feb 25, 2019 | 10:39 AM

પુલવામા હુમલા પછી સતત પાકિસ્તાન પર ભારત તરફથી દબાણ બનવવામાં આવી રહ્યું છે. જેમાં હવે પાકિસ્તાનમાં પણ ઇમરાન ખાન સરકાર સામે અવાજ ઉઠવાનું શરૂ થઈ ગયું છે. પાકિસ્તાનના જ ત્રણ પૂર્વ વિદેશ સચિવોએ તો પોતાની સરકારને એલર્ટ કરતાં કહી દીધું છે કે, ભારત સામેના કોઇ પણ આક્રમક પગલાંનો સામનો કરવા માટે તૈયાર રહેવું જોઇએ. આ […]

પાકિસ્તાનીઓ પણ હવે જાણે છે કે, આ મનમોહન નહીં પરંતુ મોદી સરકાર છે, ઇમરાન ખાન શું આ વાત સમજશે ?

Follow us on

પુલવામા હુમલા પછી સતત પાકિસ્તાન પર ભારત તરફથી દબાણ બનવવામાં આવી રહ્યું છે. જેમાં હવે પાકિસ્તાનમાં પણ ઇમરાન ખાન સરકાર સામે અવાજ ઉઠવાનું શરૂ થઈ ગયું છે. પાકિસ્તાનના જ ત્રણ પૂર્વ વિદેશ સચિવોએ તો પોતાની સરકારને એલર્ટ કરતાં કહી દીધું છે કે, ભારત સામેના કોઇ પણ આક્રમક પગલાંનો સામનો કરવા માટે તૈયાર રહેવું જોઇએ.

આ ઉપરાંત તેમણે એવું પણ કહ્યું છે કે, મુંબઈમાં 26/11 વખતે જેવું થયું હતું તેવું બનશે નહીં. ભારતમાં જોરશોરખી તૈયારીઓ થઈ રહી છે. પાકિસ્તાનના ન્યૂઝ પેપરમાં ત્રણ પૂર્વ સચિવ રિયાઝ હુસેન ખોખર, રિયાઝ મોહમ્મદ ખાન અને ઈનામુલ હકે પોતાના લેખમાં એવું કહ્યું છે કે, દેશના રાજકીય પક્ષો અને ગુપ્તચર વિભાગે દેશના અશાંત વાતાવરણમાં સંતુલન બનાવવા માટેના પ્રયત્ન કરવા જોઇએ.

આ પણ વાંચો : કુમાર વિશ્વાસનો પાકિસ્તાન સામે રોષ ફાટ્યો, ‘કૂતરું હડકાયું થઈ જાય, તો તેને ગોળી મારી દેવાય છે’

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

એટલું જ નહીં તેમણે પાક વડાપ્રધાનને સલાહ આપી છે કે, હાલની સ્થિતિને શાંતિપૂર્ણ રીતે સામનો કરવો જોઇએ જેના માટે કૂટનીતિની મદદ લેવી જોઇએ. આ ઉપરાંત અન્ય એક લેખમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, વડાપ્રધાન મોદીએ પોતાની સેનાને પુલવામાનો બદલો લેવા માટે ખુલ્લી છૂટ આપી દીધી છે.

TV9 Gujarati

 

આ સાથે જ પાકિસ્તાની છાપાઓમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, પાકિસ્તાને કોઇ અન્ય વાતમાં ધ્યાન ન આપીને ભારત સામે યોગ્ય પગલાં ભરવા પર ધ્યાન આપવું જોઇએ. ઘણી તૈયારીઓ વચ્ચે ભારતને નિષ્ફળ બનાવવા માટેના તમામ પ્રયત્ન કરવા જોઇએ. પુલવામા હુમલા પછી સતત ભારત તરફથી આક્રમક વલણ અપનાવવામાં આવી રહ્યું છે.

[yop_poll id=1795]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 10:37 am, Mon, 25 February 19

Next Article