
પીઓકેમાં છેલ્લા કેટલાય સમયથી લોકો વીજળી સંકટ, સતત વધતી મોંઘવારી, બેરોજગારી, સરકારની પક્ષપાતી નીતિને કારણે સરકારની સામે અવાજ ઉઠાવી રહ્યા હતા. પરંતુ સ્થિતિ ત્યારે વધુ વણસી ગઈ જ્યારે જોઈન્ટ આવામી એક્શન કમિટીના એક કાર્યકર્તાનું પોલીસ ફાયરીંગમાં મોત થઈ ગયુ, ત્યારબાદ હજારો પ્રદર્શનકર્તાઓ રસ્તા પર ઉતરી આવ્યા અને સમગ્ર વિસ્તારમાં તણાવની સ્થિતિ ઉભી થઈ. પીઓકે માં પાકિસ્તાની સેનાની બર્બરતાને કારણે સમગ્ર રાવલકોટ વિસ્તાર રણભૂમિ બની ગયો છે. પ્રદર્શનકર્તાઓ હવે ખુલ્લેઆમ રસ્તા પર આવીને પાકિસ્તાની સરકાર સામે સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. બીજી તરફ મોટી સંખ્યામાં પાકિસ્તાની પોલીસ, રેન્જર્સ અને સુરક્ષાદળોને તૈનાત કરવામાં આવ્યા છે. ઈન્ટરનેટ અને ફોન સેવા પણ સ્થગિત કરી દેવામાં આવી છે. જેથી પાકિસ્તાની સેના દ્વારા કરવામાં આવતા અત્યાચારનો કોઈ વીડિયો વાયરલ ન થાય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાનને કોઈ જવાબ ન દેવા પડે. શોકસભામાં સામેલ થયેલા હજારો લોકો પર મુનીરની સેનાએ ગોળીઓ વરસાવી POK ના લોકોનુ સ્પષ્ટ કહેવુ છે કે આસીમ મુનીર જ એ દહેશતગર્દ (સીતમગાર) છે જે પીઓકેના લોકોનું દમન કરી...
Published On - 8:46 pm, Wed, 10 June 26