
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે, 15 મેના રોજ સંયુક્ત આરબ અમીરાતની મુલાકાત લેશે. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે, આ મુલાકાત ભારતની ઉર્જા સુરક્ષા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, PM મોદી અને UAE ના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન વચ્ચે શુક્રવારે LPG અને વ્યૂહાત્મક તેલ ભંડાર અંગેના બે મુખ્ય કરારોને અંતિમ સ્વરૂપ આપવામાં આવે તેવી અપેક્ષા છે.
PM મોદી અને રાષ્ટ્રપતિ ઝાયેદ ઈરાન અને અમેરિકા યુદ્ધ અંગે પણ ચર્ચા કરે તેવી અપેક્ષા કરવામાં આવી રહી છે. ભારત આ ક્ષેત્રમાં શાંતિની હિમાયત કરે છે કારણ કે યુદ્ધથી તેલના ભાવ આસમાને પહોંચી શકે છે. જેની સીધી અસર ભારતીય અર્થતંત્ર પર પડી શકે છે. ભારત અને UAE વચ્ચે થનારો આ કરાર ભારતના ઇમરજન્સી તેલ ભંડારને વધુ મજબૂત બનાવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ મુલાકાત એટલા માટે પણ ખાસ માનવામાં આવી રહી છે કે તાજેતરમાં જ UAE તેલ નિકાસકાર દેશોના સંગઠન OPECમાંથી બહાર થવાની જાહેરાત કરી છે. આવી સ્થિતિમાં ભારત પાસે સીધી અને વધુ સારી ડીલ કરવાની તક છે.
UAE ભારતનો ત્રીજો સૌથી મોટો વેપારી ભાગીદાર છે. વિદેશ મંત્રાલયના સચિવ સિબી જ્યોર્જે જણાવ્યું હતું કે PM મોદી પાસે દ્વિપક્ષીય સંબંધો માટે એક નક્કર એજન્ડા છે. જેમાં સંરક્ષણ, ક્લીન એનર્જી અને અવકાશ સહયોગ જેવા વિષયોનો સમાવેશ થાય છે. ઇટાલી અને નેધરલેન્ડ્સ સાથે ભારતનો વેપાર પણ અબજો ડોલરનો છે અને તેને નવી ઊંચાઈએ લઈ જવાની યોજનાઓ ચાલી રહી છે.
UAEમાં માત્ર ચાર કલાક વિતાવ્યા પછી PM મોદી તેમના પાંચ દિવસના યુરોપિયન પ્રવાસ પર નીકળશે. આ સમયગાળા દરમિયાન તેઓ નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે અને ઇટાલીની મુલાકાત લેશે: